AMTS અને BRTSની ટિકિટના ભાવમાં કરાયેલા વધારા સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, ભાવ વધારો પાછો ખેંચવા કરી માગ


  • Published By :
  • Published Date : 2023-06-28 09:06:44

પહેલી જૂલાઈથી અનેક નવા નિયમો લાગુ કરવામાં આવશે. થોડા દિવસો પહેલા AMCના હોદ્દેદારો અને કમિશનર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટિકિટના ભાવમાં વધારો થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં લેવાયા નિર્ણય બાદ ટિકિટના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. આઠ વર્ષ બાદ AMTSના બસ લઘુતમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. AMTS તેમજ  BRTSના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ વાતનો વિરોધ ગુજરાત કોંગ્રેસના કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જમાલપુર AMTS ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.BJP બસ સર્વિસ લખેલી પ્રતિકાત્મક બસને પણ સળગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.  


AMTS-BRTSના ભાવ વધારા પર કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એએમટીએસ બસ ઘણા વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. બસ સેવાને સામાન્ય લોકો માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. ત્યારે પહેલી જુલાઈથી ટિકિટના ભાવમાં કરાયેલા વધારો લાગુ કરવામાં આવશે. 3 કિલોમીટર સુધી પહેલા 3 રુપિયા ચૂકવવા પડતા હતા તેની બદલીમાં હવે પાંચ રુપિયા ચૂકવવા પડશે. 3-5 કિલોમીટર માટે 10 રુપિયા, 5-8 કિલોમીટર માટે 15 રુપિયા, 8-14 કિલોમીટર માટે 20 રુપિયા, 14-20 કિલોમીટર માટે 25 રુપિયા તેમજ 20થી વધુ જો કિલોમીટરની મુસાફરી બસમાં કરશો તો તમારે 30 રુપિયા હવેથી ચૂકવવા પડશે. ત્યારે આ ભાવ વધારાનો વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમજ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન AMTSના ચેરમેન વિરૂદ્ધ નારા લગાવ્યા હતા ઉપરાંત BJP બસ સર્વિસ લખેલી પ્રતિકાત્મક બસને પણ સળગાવી હતી. 


જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કરાશે વિરોધ! 

આ વિરોધ શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો. વિરોધ દર્શાવતી વખતે વલ્લભ પટેલ ચોર હૈના નારા લગાવ્યા હતા. ઉપરાંત ભાવ વધારો પાછો ખેંચવાની માગ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યા કે આ ભાવ વધારો મળતિયા કોન્ટ્રાક્ટરને ફાયદો મળે તે માટે કરવામાં આવ્યો છે. જો ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવશે તેવું પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું. ભાવ વધારા મામલે જ્યારે ટ્રાન્સપોર્ટ મેનેજરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે નોર્મલ ભાવ વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોને સારી સુવિધા મળે તે માટે કરવામાં આવ્યો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.