કોંગ્રેસે કાર્યાલયની બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ, કહ્યું એક મહિના બાદ ગુજરાતમાંથી ભાજપ સરકાર જાય છે


  • Published By :
  • Published Date : 2022-11-08 17:42:20

ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાનની ગણતરી હાથ ધરાવામાં આવશે. પ્રચાર દરમિયાન પાર્ટી દ્વારા અવનવા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યા છે. ભાજપે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન લોન્ચ કર્યું છે તો કોંગ્રેસ પણ પ્રચારમાં નવું લાવી છે. કોંગ્રેસે મુખ્ય કાર્યાલય રાજીવ ભવન કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવી છે. કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે.


કોંગ્રેસે કાર્યાલય બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ

ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટી અવનવા પ્રયોગ કરી રહી છે તેમજ નવા-નવા કેમ્પેઈન લોન્ચ પણ કરી રહી છે. એક તરફ ભાજપે નવું સ્લોગન આપ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પરિવર્તન કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પી.ચિદમ્બરમ તેમજ રઘુ શર્માની ઉપસ્થિતિમાં સત્તાની કાઉન્ટડાઉન વોચ લગાવવામાં આવી છે.

  

ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે - કોંગ્રેસ

કોંગ્રેસે પણ જોરશોરથી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઘરે ઘરે જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. પ્રચારના ભાગરૂપે કોંગ્રેસે પોતાના કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન વોચ રાખી છે. કોંગ્રેસે પોતાના ટ્વિટર પર લખ્યું કે પરિવર્તનનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવી ગયું છે. બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.