કોંગ્રેસે કાર્યાલયની બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ, કહ્યું એક મહિના બાદ ગુજરાતમાંથી ભાજપ સરકાર જાય છે


  • Published By :
  • Published Date : 2022-11-08 17:42:20

ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાનની ગણતરી હાથ ધરાવામાં આવશે. પ્રચાર દરમિયાન પાર્ટી દ્વારા અવનવા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યા છે. ભાજપે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન લોન્ચ કર્યું છે તો કોંગ્રેસ પણ પ્રચારમાં નવું લાવી છે. કોંગ્રેસે મુખ્ય કાર્યાલય રાજીવ ભવન કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવી છે. કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે.


કોંગ્રેસે કાર્યાલય બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ

ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટી અવનવા પ્રયોગ કરી રહી છે તેમજ નવા-નવા કેમ્પેઈન લોન્ચ પણ કરી રહી છે. એક તરફ ભાજપે નવું સ્લોગન આપ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પરિવર્તન કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પી.ચિદમ્બરમ તેમજ રઘુ શર્માની ઉપસ્થિતિમાં સત્તાની કાઉન્ટડાઉન વોચ લગાવવામાં આવી છે.

  

ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે - કોંગ્રેસ

કોંગ્રેસે પણ જોરશોરથી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઘરે ઘરે જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. પ્રચારના ભાગરૂપે કોંગ્રેસે પોતાના કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન વોચ રાખી છે. કોંગ્રેસે પોતાના ટ્વિટર પર લખ્યું કે પરિવર્તનનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવી ગયું છે. બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.