કોંગ્રેસે કાર્યાલયની બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ, કહ્યું એક મહિના બાદ ગુજરાતમાંથી ભાજપ સરકાર જાય છે


  • Published By :
  • Published Date : 2022-11-08 17:42:20

ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાનની ગણતરી હાથ ધરાવામાં આવશે. પ્રચાર દરમિયાન પાર્ટી દ્વારા અવનવા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યા છે. ભાજપે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન લોન્ચ કર્યું છે તો કોંગ્રેસ પણ પ્રચારમાં નવું લાવી છે. કોંગ્રેસે મુખ્ય કાર્યાલય રાજીવ ભવન કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવી છે. કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે.


કોંગ્રેસે કાર્યાલય બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ

ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટી અવનવા પ્રયોગ કરી રહી છે તેમજ નવા-નવા કેમ્પેઈન લોન્ચ પણ કરી રહી છે. એક તરફ ભાજપે નવું સ્લોગન આપ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પરિવર્તન કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પી.ચિદમ્બરમ તેમજ રઘુ શર્માની ઉપસ્થિતિમાં સત્તાની કાઉન્ટડાઉન વોચ લગાવવામાં આવી છે.

  

ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે - કોંગ્રેસ

કોંગ્રેસે પણ જોરશોરથી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઘરે ઘરે જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. પ્રચારના ભાગરૂપે કોંગ્રેસે પોતાના કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન વોચ રાખી છે. કોંગ્રેસે પોતાના ટ્વિટર પર લખ્યું કે પરિવર્તનનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવી ગયું છે. બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"