કોંગ્રેસે કાર્યાલયની બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ, કહ્યું એક મહિના બાદ ગુજરાતમાંથી ભાજપ સરકાર જાય છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-08 17:42:20

ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાનની ગણતરી હાથ ધરાવામાં આવશે. પ્રચાર દરમિયાન પાર્ટી દ્વારા અવનવા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યા છે. ભાજપે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન લોન્ચ કર્યું છે તો કોંગ્રેસ પણ પ્રચારમાં નવું લાવી છે. કોંગ્રેસે મુખ્ય કાર્યાલય રાજીવ ભવન કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવી છે. કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે.


કોંગ્રેસે કાર્યાલય બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ

ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટી અવનવા પ્રયોગ કરી રહી છે તેમજ નવા-નવા કેમ્પેઈન લોન્ચ પણ કરી રહી છે. એક તરફ ભાજપે નવું સ્લોગન આપ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પરિવર્તન કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પી.ચિદમ્બરમ તેમજ રઘુ શર્માની ઉપસ્થિતિમાં સત્તાની કાઉન્ટડાઉન વોચ લગાવવામાં આવી છે.

  

ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે - કોંગ્રેસ

કોંગ્રેસે પણ જોરશોરથી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઘરે ઘરે જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. પ્રચારના ભાગરૂપે કોંગ્રેસે પોતાના કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન વોચ રાખી છે. કોંગ્રેસે પોતાના ટ્વિટર પર લખ્યું કે પરિવર્તનનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવી ગયું છે. બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે. 



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.