Rajkot અગ્નિકાંડ મામલે Congressએ ઉઠાવ્યા અનેક સવાલ, હેમાંગ રાવલનો સવાલ ધવલ ઠક્કર માત્ર મહોરું, મુખ્ય માથાઓ કોણ?


  • Published By :
  • Published Date : 2024-05-31 13:01:54

શનિવારે રાજકોટમાં બની ઘટનામાં 27 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ.. મૃતકના પરિવાર શોકમાં ડૂબેલો છે.. અનેક પરિવારોએ પોતાના જવાન દીકરાને ગુમાવ્યા છે.. આવી દુર્ઘટનાઓ ગુજરાતમાં પહેલી વખત બની તેવું નથી, આની પહેલા પણ અનેક દુર્ઘટનાઓ ગુજરાતમાં બની છે. તપાસ થાય છે, પણ કેવી તે આપણે જાણીએ છીએ.. ઘટના બાદ સવાલ થાય કે કાર્યવાહીના નામ પર નાની માછલીઓ વિરૂદ્ધ એક્શન લેવામાં આવે છે પરંતુ મોટા મગરમચ્છ છુટીને જતા રહે છે. તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. 

ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી આ માગ

આ વખતે પણ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિકોને પકડવામાં આવ્યા તેમાંથી એક માલિક જેનું નામ  ધવલ ઠક્કર છે એ તો ટાયર પંચરની દુકાન ચલાવે છે હવે આ ધવલ પાછળ કોણ છે એ સવાલ ગુજરાત કોંગ્રેસ કરી રહી છે.... ગઈકાલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે એક પત્રકાર પરિસદ યોજી જેમાં થોડા વર્ષો પહેલા અમદાવાદમાં ટાયર પંચરની દુકાન ચલાવતો ધવલ ઠક્કર અચાનક ટીઆરપી ગેમ ઝોનનો માલિક કઈ રીતે બન્યોએ સવાલ ઉઠાવ્યો. ધવલ ઠક્કર આ કેસમાં માત્ર મહોરું છે, તેની પાછળના મુખ્ય માથાં કોણ છે તેની તપાસ થવી જોઇએ.

થોડા વર્ષો પહેલા રાજકોટ ગયો હતો ધવલ! 

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવીને કેસ તાત્કાલિક ચલાવે તેવી માગ કોંગ્રેસે કરી છે હેમાંગ રાવલે કહ્યું કે અમદાવાદમાં સીટીએમ પાસે સાઇકલ રિપેરીંગ અને પંક્ચરની દુકાન ચલાવતા ધવલ ઠક્કર . થોડા વર્ષોથી તે રાજકોટ રહેવા ગયો હતો અને આ વ્યકિત ભાડાના મકાનમાં રહે છે. રાજકોટમાં સલૂન-સ્પામાં નોકરી કર્યા પછી ટીઆરપી ગેમઝોનમાં માસિક રૂ. 14 હજારના પગારે નોકરી કરતો હતો, પણ મૂળ માલિકે એગ્રિમેન્ટ સાઇન કરાવી હતી અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં આવતું હતું. તે ઉપરાંત સાંસદ રામ મોકરિયા દ્વારા કરવામાં આવેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.