Rajkot અગ્નિકાંડ મામલે Congressએ ઉઠાવ્યા અનેક સવાલ, હેમાંગ રાવલનો સવાલ ધવલ ઠક્કર માત્ર મહોરું, મુખ્ય માથાઓ કોણ?


  • Published By :
  • Published Date : 2024-05-31 13:01:54

શનિવારે રાજકોટમાં બની ઘટનામાં 27 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ.. મૃતકના પરિવાર શોકમાં ડૂબેલો છે.. અનેક પરિવારોએ પોતાના જવાન દીકરાને ગુમાવ્યા છે.. આવી દુર્ઘટનાઓ ગુજરાતમાં પહેલી વખત બની તેવું નથી, આની પહેલા પણ અનેક દુર્ઘટનાઓ ગુજરાતમાં બની છે. તપાસ થાય છે, પણ કેવી તે આપણે જાણીએ છીએ.. ઘટના બાદ સવાલ થાય કે કાર્યવાહીના નામ પર નાની માછલીઓ વિરૂદ્ધ એક્શન લેવામાં આવે છે પરંતુ મોટા મગરમચ્છ છુટીને જતા રહે છે. તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. 

ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી આ માગ

આ વખતે પણ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિકોને પકડવામાં આવ્યા તેમાંથી એક માલિક જેનું નામ  ધવલ ઠક્કર છે એ તો ટાયર પંચરની દુકાન ચલાવે છે હવે આ ધવલ પાછળ કોણ છે એ સવાલ ગુજરાત કોંગ્રેસ કરી રહી છે.... ગઈકાલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે એક પત્રકાર પરિસદ યોજી જેમાં થોડા વર્ષો પહેલા અમદાવાદમાં ટાયર પંચરની દુકાન ચલાવતો ધવલ ઠક્કર અચાનક ટીઆરપી ગેમ ઝોનનો માલિક કઈ રીતે બન્યોએ સવાલ ઉઠાવ્યો. ધવલ ઠક્કર આ કેસમાં માત્ર મહોરું છે, તેની પાછળના મુખ્ય માથાં કોણ છે તેની તપાસ થવી જોઇએ.

થોડા વર્ષો પહેલા રાજકોટ ગયો હતો ધવલ! 

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવીને કેસ તાત્કાલિક ચલાવે તેવી માગ કોંગ્રેસે કરી છે હેમાંગ રાવલે કહ્યું કે અમદાવાદમાં સીટીએમ પાસે સાઇકલ રિપેરીંગ અને પંક્ચરની દુકાન ચલાવતા ધવલ ઠક્કર . થોડા વર્ષોથી તે રાજકોટ રહેવા ગયો હતો અને આ વ્યકિત ભાડાના મકાનમાં રહે છે. રાજકોટમાં સલૂન-સ્પામાં નોકરી કર્યા પછી ટીઆરપી ગેમઝોનમાં માસિક રૂ. 14 હજારના પગારે નોકરી કરતો હતો, પણ મૂળ માલિકે એગ્રિમેન્ટ સાઇન કરાવી હતી અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં આવતું હતું. તે ઉપરાંત સાંસદ રામ મોકરિયા દ્વારા કરવામાં આવેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.   



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.