Rajkot અગ્નિકાંડ મામલે Congressએ ઉઠાવ્યા અનેક સવાલ, હેમાંગ રાવલનો સવાલ ધવલ ઠક્કર માત્ર મહોરું, મુખ્ય માથાઓ કોણ?


  • Published By :
  • Published Date : 2024-05-31 13:01:54

શનિવારે રાજકોટમાં બની ઘટનામાં 27 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ.. મૃતકના પરિવાર શોકમાં ડૂબેલો છે.. અનેક પરિવારોએ પોતાના જવાન દીકરાને ગુમાવ્યા છે.. આવી દુર્ઘટનાઓ ગુજરાતમાં પહેલી વખત બની તેવું નથી, આની પહેલા પણ અનેક દુર્ઘટનાઓ ગુજરાતમાં બની છે. તપાસ થાય છે, પણ કેવી તે આપણે જાણીએ છીએ.. ઘટના બાદ સવાલ થાય કે કાર્યવાહીના નામ પર નાની માછલીઓ વિરૂદ્ધ એક્શન લેવામાં આવે છે પરંતુ મોટા મગરમચ્છ છુટીને જતા રહે છે. તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. 

ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી આ માગ

આ વખતે પણ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિકોને પકડવામાં આવ્યા તેમાંથી એક માલિક જેનું નામ  ધવલ ઠક્કર છે એ તો ટાયર પંચરની દુકાન ચલાવે છે હવે આ ધવલ પાછળ કોણ છે એ સવાલ ગુજરાત કોંગ્રેસ કરી રહી છે.... ગઈકાલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે એક પત્રકાર પરિસદ યોજી જેમાં થોડા વર્ષો પહેલા અમદાવાદમાં ટાયર પંચરની દુકાન ચલાવતો ધવલ ઠક્કર અચાનક ટીઆરપી ગેમ ઝોનનો માલિક કઈ રીતે બન્યોએ સવાલ ઉઠાવ્યો. ધવલ ઠક્કર આ કેસમાં માત્ર મહોરું છે, તેની પાછળના મુખ્ય માથાં કોણ છે તેની તપાસ થવી જોઇએ.

થોડા વર્ષો પહેલા રાજકોટ ગયો હતો ધવલ! 

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવીને કેસ તાત્કાલિક ચલાવે તેવી માગ કોંગ્રેસે કરી છે હેમાંગ રાવલે કહ્યું કે અમદાવાદમાં સીટીએમ પાસે સાઇકલ રિપેરીંગ અને પંક્ચરની દુકાન ચલાવતા ધવલ ઠક્કર . થોડા વર્ષોથી તે રાજકોટ રહેવા ગયો હતો અને આ વ્યકિત ભાડાના મકાનમાં રહે છે. રાજકોટમાં સલૂન-સ્પામાં નોકરી કર્યા પછી ટીઆરપી ગેમઝોનમાં માસિક રૂ. 14 હજારના પગારે નોકરી કરતો હતો, પણ મૂળ માલિકે એગ્રિમેન્ટ સાઇન કરાવી હતી અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં આવતું હતું. તે ઉપરાંત સાંસદ રામ મોકરિયા દ્વારા કરવામાં આવેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે