AAP અને Congressના ગઠબંધન વિશે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, ઈસુદાન ગઢવીને કોંગ્રેસના પ્રવક્તાએ આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-08-08 16:52:02

ગઈકાલથી રાજકીય વર્તુળમાં એક ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ ગઠબંધન કરી લોકસભા ચૂંટણી લડવાની છે. ઈસુદાન ગઢવી દ્વારા ગઈકાલે પ્રેસકોન્ફરન્સ કરી આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પરંતુ આ મામલે કોંગ્રેસ દ્વારા કોઈ નિવદેન આપવામાં આવ્યું ન હતું, પરંતુ આજે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ગઠબંધનને લઈ મોટો ખુલાસો કર્યો છે.    

આપ સાથેના ગઠબંધન પર કોંગ્રેસે તોડી ચૂપી

લોકસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણી જીતવા અલગ અલગ રણનીતિ બનાવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી રાજકીય પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે અને તે ગઠબંધનનું નામ છે INDIA. રાષ્ટ્રીય લેવલ પર પાર્ટી એકબીજા સાથે આવી છે ત્યારે રાજ્યસ્તરે પણ પાર્ટી ગઠબંધન કરશે તેવી આશાઓ લોકોને હતી. ત્યારે ગઈકાલે ઈસુદાન ગઢવીએ ચૂંટણીને લઈ મહત્વની જાહેરાત કરી હતી. જે મુજબ આપ અને કોંગ્રેસ ભેગા થઈ ચૂંટણી લડશે. પરંતુ આ અંગે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. ત્યારે આજે મનીષ દોષીએ ગઠબંધનથી હાથ ખંખેરી દીધા છે. મનીષ દોષીએ કહ્યું કે આવા નિર્ણયો રાષ્ટ્રીય સ્તરે લેતા હોય છે. આવી વાતોથી લોકોએ દૂર રહેવું જોઈએ. આ જો અને તોની રણનીતિ છે.     

ઈસુદાન ગઢવી તેમજ આપને કોંગ્રેસના પ્રવક્તાએ આપી આ સલાહ  

વધુમાં કોંગ્રેસના પ્રવક્તા એ કહ્યું કે ટિકિટ વહેંચી કે ગઠબંધનની વાત હોય, આ નિર્ણયની સત્તા પ્રદેશ કક્ષાએ કોઇની નથી. ગઠબંધનની જાહેરાત મીડિયાથી જાણવા મળી છે. ગઠબંધનની જાહેરાત રાષ્ટ્રીય નેતૃત્વ કરે છે. પ્રવક્તા મનીષ દોષીએ લોકોને સાવચેત કર્યા છે. કોંગ્રેસે ગુજરાતની જનતાને અપીલ પણ કરી છે. કસમયના આવા નિવેદનોથી દૂર રહેવા જણાવ્યું છે. આપના નેતા અને ઈસુદાન ગઢવીએ આવા નિવેદનોથી બચવું જોઈએ. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.