AAP અને Congressના ગઠબંધન વિશે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, ઈસુદાન ગઢવીને કોંગ્રેસના પ્રવક્તાએ આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-08-08 16:52:02

ગઈકાલથી રાજકીય વર્તુળમાં એક ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ ગઠબંધન કરી લોકસભા ચૂંટણી લડવાની છે. ઈસુદાન ગઢવી દ્વારા ગઈકાલે પ્રેસકોન્ફરન્સ કરી આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પરંતુ આ મામલે કોંગ્રેસ દ્વારા કોઈ નિવદેન આપવામાં આવ્યું ન હતું, પરંતુ આજે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ગઠબંધનને લઈ મોટો ખુલાસો કર્યો છે.    

આપ સાથેના ગઠબંધન પર કોંગ્રેસે તોડી ચૂપી

લોકસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણી જીતવા અલગ અલગ રણનીતિ બનાવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી રાજકીય પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે અને તે ગઠબંધનનું નામ છે INDIA. રાષ્ટ્રીય લેવલ પર પાર્ટી એકબીજા સાથે આવી છે ત્યારે રાજ્યસ્તરે પણ પાર્ટી ગઠબંધન કરશે તેવી આશાઓ લોકોને હતી. ત્યારે ગઈકાલે ઈસુદાન ગઢવીએ ચૂંટણીને લઈ મહત્વની જાહેરાત કરી હતી. જે મુજબ આપ અને કોંગ્રેસ ભેગા થઈ ચૂંટણી લડશે. પરંતુ આ અંગે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. ત્યારે આજે મનીષ દોષીએ ગઠબંધનથી હાથ ખંખેરી દીધા છે. મનીષ દોષીએ કહ્યું કે આવા નિર્ણયો રાષ્ટ્રીય સ્તરે લેતા હોય છે. આવી વાતોથી લોકોએ દૂર રહેવું જોઈએ. આ જો અને તોની રણનીતિ છે.     

ઈસુદાન ગઢવી તેમજ આપને કોંગ્રેસના પ્રવક્તાએ આપી આ સલાહ  

વધુમાં કોંગ્રેસના પ્રવક્તા એ કહ્યું કે ટિકિટ વહેંચી કે ગઠબંધનની વાત હોય, આ નિર્ણયની સત્તા પ્રદેશ કક્ષાએ કોઇની નથી. ગઠબંધનની જાહેરાત મીડિયાથી જાણવા મળી છે. ગઠબંધનની જાહેરાત રાષ્ટ્રીય નેતૃત્વ કરે છે. પ્રવક્તા મનીષ દોષીએ લોકોને સાવચેત કર્યા છે. કોંગ્રેસે ગુજરાતની જનતાને અપીલ પણ કરી છે. કસમયના આવા નિવેદનોથી દૂર રહેવા જણાવ્યું છે. આપના નેતા અને ઈસુદાન ગઢવીએ આવા નિવેદનોથી બચવું જોઈએ. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.