કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કર્યો અસ્વિકાર, અયોધ્યા નહીં જાય સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે


  • Published By :
  • Published Date : 2024-01-10 18:01:32

અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ માટે વિવિધ પાર્ટીઓના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના અગ્રણી નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.  જો  કે હવે કોંગ્રેસ પાર્ટીએ એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કર્યો છે. 


આ નેતાઓ નહીં રહે ઉપસ્થિત


કોંગ્રેસના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી તથા વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં, 22 જાન્યુઆરીના રોજ યોજાનારા આ શાનદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આ નેતાઓને ખાસ આમંત્રણ પાઠવવામા આવ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન દ્વારા કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જાણકારી આપી હતી. 

 

ધર્મ દરેકની અંગત બાબત


જયરામ રમેશે કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જણાવ્યું કે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે, જો કે ધર્મએ દરેકની અંગત બાબત છે, આરએસએસ અને બિજેપીએ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બિજેપી અને RSSના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદઘાટન સ્પષ્ટપણે ચૂંટણી લાભ માટે  કરવામાં આવી રહ્યું છે, વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના ફેંસલાનું પાલન કરતા અને ભગવાન રામનું સન્માન કરતા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અને અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટપણે RSS-બિજેપીના કાર્યક્રમના નિમંત્રણનું સન્માનપૂર્વક અસ્વિકાર કર્યું છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.