કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કર્યો અસ્વિકાર, અયોધ્યા નહીં જાય સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે


  • Published By :
  • Published Date : 2024-01-10 18:01:32

અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ માટે વિવિધ પાર્ટીઓના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના અગ્રણી નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.  જો  કે હવે કોંગ્રેસ પાર્ટીએ એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કર્યો છે. 


આ નેતાઓ નહીં રહે ઉપસ્થિત


કોંગ્રેસના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી તથા વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં, 22 જાન્યુઆરીના રોજ યોજાનારા આ શાનદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આ નેતાઓને ખાસ આમંત્રણ પાઠવવામા આવ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન દ્વારા કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જાણકારી આપી હતી. 

 

ધર્મ દરેકની અંગત બાબત


જયરામ રમેશે કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જણાવ્યું કે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે, જો કે ધર્મએ દરેકની અંગત બાબત છે, આરએસએસ અને બિજેપીએ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બિજેપી અને RSSના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદઘાટન સ્પષ્ટપણે ચૂંટણી લાભ માટે  કરવામાં આવી રહ્યું છે, વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના ફેંસલાનું પાલન કરતા અને ભગવાન રામનું સન્માન કરતા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અને અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટપણે RSS-બિજેપીના કાર્યક્રમના નિમંત્રણનું સન્માનપૂર્વક અસ્વિકાર કર્યું છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.