કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કર્યો અસ્વિકાર, અયોધ્યા નહીં જાય સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે


  • Published By :
  • Published Date : 2024-01-10 18:01:32

અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ માટે વિવિધ પાર્ટીઓના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના અગ્રણી નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.  જો  કે હવે કોંગ્રેસ પાર્ટીએ એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કર્યો છે. 


આ નેતાઓ નહીં રહે ઉપસ્થિત


કોંગ્રેસના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી તથા વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં, 22 જાન્યુઆરીના રોજ યોજાનારા આ શાનદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આ નેતાઓને ખાસ આમંત્રણ પાઠવવામા આવ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન દ્વારા કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જાણકારી આપી હતી. 

 

ધર્મ દરેકની અંગત બાબત


જયરામ રમેશે કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જણાવ્યું કે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે, જો કે ધર્મએ દરેકની અંગત બાબત છે, આરએસએસ અને બિજેપીએ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બિજેપી અને RSSના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદઘાટન સ્પષ્ટપણે ચૂંટણી લાભ માટે  કરવામાં આવી રહ્યું છે, વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના ફેંસલાનું પાલન કરતા અને ભગવાન રામનું સન્માન કરતા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અને અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટપણે RSS-બિજેપીના કાર્યક્રમના નિમંત્રણનું સન્માનપૂર્વક અસ્વિકાર કર્યું છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે