કોંગ્રેસે દુર્ઘટના યાદ કરતા લખ્યું, મોરબીમાં એક બાજુ મૃતદેહ પડ્યા હતા, અને સાહેબ માટે હોસ્પિટલનું રંગરોગાન કરાવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-27 16:04:27

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસે મોરબી દુર્ઘટનાને યાદ કરી છે. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા. 

Morbi Cable Bridge : મોરબીની દુર્ઘટના વિશે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

બ્રિજ તૂટી પડતા સર્જાઈ હતી દુર્ઘટના

દિવાળીના સમયે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મચ્છુ નદી પર બનેલો બ્રિજ તૂટી પડ્યો હતો. ઝુલતો પૂલ તૂટી પડતા અંદાજીત 135 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક તંત્રનો વિરોધ થયો હતો. આ હોનારત સર્જાતા મુખ્યમંત્રી સહિતના નેતાઓ મોરબી ખાતે પહોંચી ગયા હતા. દુર્ઘટના સર્જાઈ તે વખતે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલનું રંગરંગોન કરવામાં આવ્યું હતું. આને લઈ સરકારની અનેક ટીકાઓ પણ થઈ હતી.

PM મોદીની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલની કાયાપલટ, વિપક્ષે કરી ટીકા |  transformation of morbi civil hospital ahead of pm modis visit

Gujarat: Morbi hospital gets revamp ahead of PM Modi's visit

કોંગ્રેસે આ ઘટનાને યાદ કરતા ભાજપ પર સાધ્યું નિશાન 

આ ઘટનાને થોડો સમય વીતી ગયો છે. લોકો ધીરે ધીરે આ હોનારતને ભૂલી રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસે મતદારોને આ ઘટના યાદ કરાવી છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે મતદાન કરતી વખતે આ વાતને બરાબર ધ્યાન રાખજો. કોંગ્રેસે લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા.

   


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.