કોંગ્રેસે દુર્ઘટના યાદ કરતા લખ્યું, મોરબીમાં એક બાજુ મૃતદેહ પડ્યા હતા, અને સાહેબ માટે હોસ્પિટલનું રંગરોગાન કરાવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-27 16:04:27

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસે મોરબી દુર્ઘટનાને યાદ કરી છે. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા. 

Morbi Cable Bridge : મોરબીની દુર્ઘટના વિશે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

બ્રિજ તૂટી પડતા સર્જાઈ હતી દુર્ઘટના

દિવાળીના સમયે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મચ્છુ નદી પર બનેલો બ્રિજ તૂટી પડ્યો હતો. ઝુલતો પૂલ તૂટી પડતા અંદાજીત 135 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક તંત્રનો વિરોધ થયો હતો. આ હોનારત સર્જાતા મુખ્યમંત્રી સહિતના નેતાઓ મોરબી ખાતે પહોંચી ગયા હતા. દુર્ઘટના સર્જાઈ તે વખતે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલનું રંગરંગોન કરવામાં આવ્યું હતું. આને લઈ સરકારની અનેક ટીકાઓ પણ થઈ હતી.

PM મોદીની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલની કાયાપલટ, વિપક્ષે કરી ટીકા |  transformation of morbi civil hospital ahead of pm modis visit

Gujarat: Morbi hospital gets revamp ahead of PM Modi's visit

કોંગ્રેસે આ ઘટનાને યાદ કરતા ભાજપ પર સાધ્યું નિશાન 

આ ઘટનાને થોડો સમય વીતી ગયો છે. લોકો ધીરે ધીરે આ હોનારતને ભૂલી રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસે મતદારોને આ ઘટના યાદ કરાવી છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે મતદાન કરતી વખતે આ વાતને બરાબર ધ્યાન રાખજો. કોંગ્રેસે લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા.

   


પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.