કોંગ્રેસે દુર્ઘટના યાદ કરતા લખ્યું, મોરબીમાં એક બાજુ મૃતદેહ પડ્યા હતા, અને સાહેબ માટે હોસ્પિટલનું રંગરોગાન કરાવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-27 16:04:27

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસે મોરબી દુર્ઘટનાને યાદ કરી છે. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા. 

Morbi Cable Bridge : મોરબીની દુર્ઘટના વિશે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

બ્રિજ તૂટી પડતા સર્જાઈ હતી દુર્ઘટના

દિવાળીના સમયે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મચ્છુ નદી પર બનેલો બ્રિજ તૂટી પડ્યો હતો. ઝુલતો પૂલ તૂટી પડતા અંદાજીત 135 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક તંત્રનો વિરોધ થયો હતો. આ હોનારત સર્જાતા મુખ્યમંત્રી સહિતના નેતાઓ મોરબી ખાતે પહોંચી ગયા હતા. દુર્ઘટના સર્જાઈ તે વખતે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલનું રંગરંગોન કરવામાં આવ્યું હતું. આને લઈ સરકારની અનેક ટીકાઓ પણ થઈ હતી.

PM મોદીની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલની કાયાપલટ, વિપક્ષે કરી ટીકા |  transformation of morbi civil hospital ahead of pm modis visit

Gujarat: Morbi hospital gets revamp ahead of PM Modi's visit

કોંગ્રેસે આ ઘટનાને યાદ કરતા ભાજપ પર સાધ્યું નિશાન 

આ ઘટનાને થોડો સમય વીતી ગયો છે. લોકો ધીરે ધીરે આ હોનારતને ભૂલી રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસે મતદારોને આ ઘટના યાદ કરાવી છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે મતદાન કરતી વખતે આ વાતને બરાબર ધ્યાન રાખજો. કોંગ્રેસે લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા.

   


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.