કોંગ્રેસે દુર્ઘટના યાદ કરતા લખ્યું, મોરબીમાં એક બાજુ મૃતદેહ પડ્યા હતા, અને સાહેબ માટે હોસ્પિટલનું રંગરોગાન કરાવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-27 16:04:27

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસે મોરબી દુર્ઘટનાને યાદ કરી છે. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા. 

Morbi Cable Bridge : મોરબીની દુર્ઘટના વિશે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

બ્રિજ તૂટી પડતા સર્જાઈ હતી દુર્ઘટના

દિવાળીના સમયે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મચ્છુ નદી પર બનેલો બ્રિજ તૂટી પડ્યો હતો. ઝુલતો પૂલ તૂટી પડતા અંદાજીત 135 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક તંત્રનો વિરોધ થયો હતો. આ હોનારત સર્જાતા મુખ્યમંત્રી સહિતના નેતાઓ મોરબી ખાતે પહોંચી ગયા હતા. દુર્ઘટના સર્જાઈ તે વખતે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલનું રંગરંગોન કરવામાં આવ્યું હતું. આને લઈ સરકારની અનેક ટીકાઓ પણ થઈ હતી.

PM મોદીની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલની કાયાપલટ, વિપક્ષે કરી ટીકા |  transformation of morbi civil hospital ahead of pm modis visit

Gujarat: Morbi hospital gets revamp ahead of PM Modi's visit

કોંગ્રેસે આ ઘટનાને યાદ કરતા ભાજપ પર સાધ્યું નિશાન 

આ ઘટનાને થોડો સમય વીતી ગયો છે. લોકો ધીરે ધીરે આ હોનારતને ભૂલી રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસે મતદારોને આ ઘટના યાદ કરાવી છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે મતદાન કરતી વખતે આ વાતને બરાબર ધ્યાન રાખજો. કોંગ્રેસે લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા.

   


ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .