રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નથી, પરિવાર બચાવો યાત્રા છેઃ રવિશંકર પ્રસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:49:16

એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વ્યાપેલી નિરાશાને દુર કરવા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહ્યા છે. તો બીજી તરફ આ યાત્રાના બહાને ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કટાક્ષ કરતા આ યાત્રાને તેમની પરિવાર બચાવવાની યાત્રા બતાવી દીધી. 


ભારત જોડો યાત્રા પર રવિશંકર પ્રસાદની ટિપ્પણી 

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારને ઘેરવા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે. તેને અનુલક્ષી કન્યાકુમારીથી કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરવાના છે. ત્યારે આ યાત્રા પર રવિશંકર પ્રસાદે ટિપ્પણી કરતા કહ્યું કે કોંગ્રેસના પોતાના જૂના સમર્પિત લોકો, સમર્પિત નેતા કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, અને રાહુલજી દેશ જોડવા ચાલી નિકળ્યા છે. રાહુલજી તમે પહેલા પોતાનું ઘર, પાર્ટી જોડે ત્યારબાદ દેશ જોડવાની વાત કરે.


રાહુલ ગાંધી દ્વારા ઉઠાવેલ સર્જિકલ સ્ટ્રાઈકના પ્રશ્ન પર કર્યો પલટવાર

2019માં ભારતીય સેનાએ PoKમાં ઘૂસી આતંકવાદીઓનો ખાતમો કરી ઉરી હુમલામાં શહીદ થયેલા 18 જવાનોની શહાદતનો બદલો લીધો હતો. ભારતીય સેના તેમજ ભારતીય લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ત્યારે રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકનું પ્રમાણ માગ્યું હતું. ત્યારે આ યાત્રા પર પલટવાર કરવા રવિશંકર પ્રસાદે આ મુદ્દાને યાદ કર્યો છે.

 તેમણે જવાબ આપતા કહ્યું કે હિંદુસ્તાનની એક સંસ્કૃતિ રહી છે કે સેનાની સહાદત, સેનાનું શોર્ય અને સેનાનું બલિદાન પર ક્યારે સવાલ નથી કરતા. રાહુલ ગાંધી તમે તો એનું પ્રમાણ માગ્યું હતું. રાહુલ ગાંધી તમે દેશની વ્યૂહાત્મક સુરક્ષા અને સેનાના ત્યાગને પણ તોડવાની કોશિશ કરી છે, અને તમે દેશ જોડવાની વાત કરો છો.

   

ચૂંટણી આવતા શરૂ આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર 

લોકસભાની ચૂંટણી હોય કે વિધાન સભાનો જંગ હોય ત્યારે પોતાની પાર્ટી જ કામ કરે છે તેવું બતાવવામાં કોઈ પણ પક્ષ પાછો નથી પડતો. પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી ખરાબ છે તેવું અનેક વાર નેતાઓ પોતાના ભાષણમાં કહેતા જોવા મળે છે. ભાજપની યોજનાને કોંગ્રેસ ખોટુ પાડવા મથામણ કરે છે તો જ્યારે કોંગ્રેસ કોઈ યોજના લાવે છે તો ભાજપ તેના પર પ્રશ્ન ઉઠાવે છે. ત્યારે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.