રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નથી, પરિવાર બચાવો યાત્રા છેઃ રવિશંકર પ્રસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:49:16

એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વ્યાપેલી નિરાશાને દુર કરવા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહ્યા છે. તો બીજી તરફ આ યાત્રાના બહાને ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કટાક્ષ કરતા આ યાત્રાને તેમની પરિવાર બચાવવાની યાત્રા બતાવી દીધી. 


ભારત જોડો યાત્રા પર રવિશંકર પ્રસાદની ટિપ્પણી 

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારને ઘેરવા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે. તેને અનુલક્ષી કન્યાકુમારીથી કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરવાના છે. ત્યારે આ યાત્રા પર રવિશંકર પ્રસાદે ટિપ્પણી કરતા કહ્યું કે કોંગ્રેસના પોતાના જૂના સમર્પિત લોકો, સમર્પિત નેતા કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, અને રાહુલજી દેશ જોડવા ચાલી નિકળ્યા છે. રાહુલજી તમે પહેલા પોતાનું ઘર, પાર્ટી જોડે ત્યારબાદ દેશ જોડવાની વાત કરે.


રાહુલ ગાંધી દ્વારા ઉઠાવેલ સર્જિકલ સ્ટ્રાઈકના પ્રશ્ન પર કર્યો પલટવાર

2019માં ભારતીય સેનાએ PoKમાં ઘૂસી આતંકવાદીઓનો ખાતમો કરી ઉરી હુમલામાં શહીદ થયેલા 18 જવાનોની શહાદતનો બદલો લીધો હતો. ભારતીય સેના તેમજ ભારતીય લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ત્યારે રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકનું પ્રમાણ માગ્યું હતું. ત્યારે આ યાત્રા પર પલટવાર કરવા રવિશંકર પ્રસાદે આ મુદ્દાને યાદ કર્યો છે.

 તેમણે જવાબ આપતા કહ્યું કે હિંદુસ્તાનની એક સંસ્કૃતિ રહી છે કે સેનાની સહાદત, સેનાનું શોર્ય અને સેનાનું બલિદાન પર ક્યારે સવાલ નથી કરતા. રાહુલ ગાંધી તમે તો એનું પ્રમાણ માગ્યું હતું. રાહુલ ગાંધી તમે દેશની વ્યૂહાત્મક સુરક્ષા અને સેનાના ત્યાગને પણ તોડવાની કોશિશ કરી છે, અને તમે દેશ જોડવાની વાત કરો છો.

   

ચૂંટણી આવતા શરૂ આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર 

લોકસભાની ચૂંટણી હોય કે વિધાન સભાનો જંગ હોય ત્યારે પોતાની પાર્ટી જ કામ કરે છે તેવું બતાવવામાં કોઈ પણ પક્ષ પાછો નથી પડતો. પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી ખરાબ છે તેવું અનેક વાર નેતાઓ પોતાના ભાષણમાં કહેતા જોવા મળે છે. ભાજપની યોજનાને કોંગ્રેસ ખોટુ પાડવા મથામણ કરે છે તો જ્યારે કોંગ્રેસ કોઈ યોજના લાવે છે તો ભાજપ તેના પર પ્રશ્ન ઉઠાવે છે. ત્યારે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .