રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નથી, પરિવાર બચાવો યાત્રા છેઃ રવિશંકર પ્રસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:49:16

એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વ્યાપેલી નિરાશાને દુર કરવા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહ્યા છે. તો બીજી તરફ આ યાત્રાના બહાને ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કટાક્ષ કરતા આ યાત્રાને તેમની પરિવાર બચાવવાની યાત્રા બતાવી દીધી. 


ભારત જોડો યાત્રા પર રવિશંકર પ્રસાદની ટિપ્પણી 

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારને ઘેરવા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે. તેને અનુલક્ષી કન્યાકુમારીથી કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરવાના છે. ત્યારે આ યાત્રા પર રવિશંકર પ્રસાદે ટિપ્પણી કરતા કહ્યું કે કોંગ્રેસના પોતાના જૂના સમર્પિત લોકો, સમર્પિત નેતા કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, અને રાહુલજી દેશ જોડવા ચાલી નિકળ્યા છે. રાહુલજી તમે પહેલા પોતાનું ઘર, પાર્ટી જોડે ત્યારબાદ દેશ જોડવાની વાત કરે.


રાહુલ ગાંધી દ્વારા ઉઠાવેલ સર્જિકલ સ્ટ્રાઈકના પ્રશ્ન પર કર્યો પલટવાર

2019માં ભારતીય સેનાએ PoKમાં ઘૂસી આતંકવાદીઓનો ખાતમો કરી ઉરી હુમલામાં શહીદ થયેલા 18 જવાનોની શહાદતનો બદલો લીધો હતો. ભારતીય સેના તેમજ ભારતીય લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ત્યારે રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકનું પ્રમાણ માગ્યું હતું. ત્યારે આ યાત્રા પર પલટવાર કરવા રવિશંકર પ્રસાદે આ મુદ્દાને યાદ કર્યો છે.

 તેમણે જવાબ આપતા કહ્યું કે હિંદુસ્તાનની એક સંસ્કૃતિ રહી છે કે સેનાની સહાદત, સેનાનું શોર્ય અને સેનાનું બલિદાન પર ક્યારે સવાલ નથી કરતા. રાહુલ ગાંધી તમે તો એનું પ્રમાણ માગ્યું હતું. રાહુલ ગાંધી તમે દેશની વ્યૂહાત્મક સુરક્ષા અને સેનાના ત્યાગને પણ તોડવાની કોશિશ કરી છે, અને તમે દેશ જોડવાની વાત કરો છો.

   

ચૂંટણી આવતા શરૂ આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર 

લોકસભાની ચૂંટણી હોય કે વિધાન સભાનો જંગ હોય ત્યારે પોતાની પાર્ટી જ કામ કરે છે તેવું બતાવવામાં કોઈ પણ પક્ષ પાછો નથી પડતો. પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી ખરાબ છે તેવું અનેક વાર નેતાઓ પોતાના ભાષણમાં કહેતા જોવા મળે છે. ભાજપની યોજનાને કોંગ્રેસ ખોટુ પાડવા મથામણ કરે છે તો જ્યારે કોંગ્રેસ કોઈ યોજના લાવે છે તો ભાજપ તેના પર પ્રશ્ન ઉઠાવે છે. ત્યારે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.