મારો બૂથ મારો ગૌરવ અભિયાન અંતર્ગત જનસંપર્ક બાંધવા કોંગ્રેસનો પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:32:51

 જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પણ ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તેમજ ભાજપ બાદ કોંગ્રેસ ચૂંટણીને લઈ સક્રિય થયું છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા.  મતદારો સુધી 8 વચનો પહોંચવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. મારુ બુથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જગદીશ ઠાકોરે પોતાના બુથ પરથી આ અભિયાનની શરૂઆત કરી છે.


મતદારો સુધી પહોંચવા કોંગ્રેસનો પ્રયાસ

ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા. લોકો સુધી આ 8 વચનો પહોંચાડવા માટે કોંગ્રેસે અભિયાનની શરુઆત કરી છે. વચનોની યાદી લોકો સુધી પહોંચાડવા માટે મેરા બુથ મેરા ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 1 કરોડ 55 લાખ પરિવાર સુધી પહોંચવા કોંગ્રેસ  પ્રયાસ કરી રહી છે. 

Gujarat Congress Appointment Of 7 Acting Presidents For The First Time In  The History Of Gujarat Congress | Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના  ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક ...

ભાજપ અને આપ બાદ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં ભાજપ અને આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરવામાં પાછી પાની નથી કરી રહ્યું. અલગ-અલગ વચનો આપી મતદારોને પોતાની તરફ પાર્ટીઓ આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના 1 કરોડ 55 લાખ પરિવાર સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે