મારો બૂથ મારો ગૌરવ અભિયાન અંતર્ગત જનસંપર્ક બાંધવા કોંગ્રેસનો પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:32:51

 જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પણ ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તેમજ ભાજપ બાદ કોંગ્રેસ ચૂંટણીને લઈ સક્રિય થયું છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા.  મતદારો સુધી 8 વચનો પહોંચવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. મારુ બુથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જગદીશ ઠાકોરે પોતાના બુથ પરથી આ અભિયાનની શરૂઆત કરી છે.


મતદારો સુધી પહોંચવા કોંગ્રેસનો પ્રયાસ

ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા. લોકો સુધી આ 8 વચનો પહોંચાડવા માટે કોંગ્રેસે અભિયાનની શરુઆત કરી છે. વચનોની યાદી લોકો સુધી પહોંચાડવા માટે મેરા બુથ મેરા ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 1 કરોડ 55 લાખ પરિવાર સુધી પહોંચવા કોંગ્રેસ  પ્રયાસ કરી રહી છે. 

Gujarat Congress Appointment Of 7 Acting Presidents For The First Time In  The History Of Gujarat Congress | Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના  ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક ...

ભાજપ અને આપ બાદ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં ભાજપ અને આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરવામાં પાછી પાની નથી કરી રહ્યું. અલગ-અલગ વચનો આપી મતદારોને પોતાની તરફ પાર્ટીઓ આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના 1 કરોડ 55 લાખ પરિવાર સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.