મારો બૂથ મારો ગૌરવ અભિયાન અંતર્ગત જનસંપર્ક બાંધવા કોંગ્રેસનો પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:32:51

 જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પણ ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તેમજ ભાજપ બાદ કોંગ્રેસ ચૂંટણીને લઈ સક્રિય થયું છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા.  મતદારો સુધી 8 વચનો પહોંચવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. મારુ બુથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જગદીશ ઠાકોરે પોતાના બુથ પરથી આ અભિયાનની શરૂઆત કરી છે.


મતદારો સુધી પહોંચવા કોંગ્રેસનો પ્રયાસ

ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા. લોકો સુધી આ 8 વચનો પહોંચાડવા માટે કોંગ્રેસે અભિયાનની શરુઆત કરી છે. વચનોની યાદી લોકો સુધી પહોંચાડવા માટે મેરા બુથ મેરા ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 1 કરોડ 55 લાખ પરિવાર સુધી પહોંચવા કોંગ્રેસ  પ્રયાસ કરી રહી છે. 

Gujarat Congress Appointment Of 7 Acting Presidents For The First Time In  The History Of Gujarat Congress | Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના  ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક ...

ભાજપ અને આપ બાદ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં ભાજપ અને આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરવામાં પાછી પાની નથી કરી રહ્યું. અલગ-અલગ વચનો આપી મતદારોને પોતાની તરફ પાર્ટીઓ આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના 1 કરોડ 55 લાખ પરિવાર સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .