G-20 Summitને લઈ Congressએ સરકારને ઘેરી, ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું - મહેમાનોથી સત્ય છુપાવાની જરૂર નથી.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-09 18:51:52

ભારતની રાજધાની દિલ્હીમાં જી-20ની સમિટ થઈ રહી છે. વિદેશી નેતાઓ, મંત્રીઓ ભારતના મહેમાન બન્યા છે. કેન્દ્ર સરકારને કોંગ્રેસ અનેક વખત ઘેરવાનો પ્રયાસ કરતી હોય છે. ત્યારે જી-20 મુદ્દાને લઈને પણ કોંગ્રેસે ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કર્યા જેમાં કહેવામાં આવ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર આપણા લોકોને અને જાનવરોને છુપાવી રહી છે. આપણા મહેમાનોની સામે ભારતની વાસ્તવિક્તા છુપાવવાની જરૂર નથી.

 


સરકાર આપણા લોકોને અને જાનવરોને છૂપાઈ રહી છે - કોંગ્રેસ  

કેન્દ્ર સરકાર પર ફરી એક વખત કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ ભાજપ પર નિશાન સાધતી હોય છે. ત્યારે હાલ જી-20ને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. દેશની ધરા પર અનેક વિદેશી નેતાઓ આવ્યા છે. વિદેશથી અનેક નેતાઓ જી-20માં સામેલ થવા ભારત આવ્યા છે. દિલ્હીમાં ઘણા સમયથી જી-20ને લઈ તડામાર તૈયારી કરવામાં આવી હતી. ત્યારે રસ્તા પર અનેક કપડા લગાવવામાં આવ્યા છે. ત્યારે રસ્તા પર લાગેલા આ કપડાને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર આપણા લોકોને અને જાનવરોને છુપાવી રહી છે. આપણા મહેમાનોની સામે ભારતની વાસ્તવિક્તા છુપાવવાની જરૂર નથી. 


કોંગ્રેસે જાનવરોને લઈને કર્યો દાવો

તે સિવાય પણ કોંગ્રેસે એક દાવો કર્યો છે કે રસ્તા પર ફરતા કૂતરાઓને પણ ઢસેડવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય નેતાઓના આગમન પહેલા કૂતરાઓને બહેરીમીથી ઢસેડવામાં આવ્યા અને પાંજરે પૂરવામાં આવ્યા. જે કૂતરાઓને પૂરવામાં આવ્યા છે તેમને સારી રીતે પાણી નથી આપવામાં આવતું અને ખાવાનું પણ નથી આપવામાં આવતું. 




ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?