G-20 Summitને લઈ Congressએ સરકારને ઘેરી, ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું - મહેમાનોથી સત્ય છુપાવાની જરૂર નથી.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-09 18:51:52

ભારતની રાજધાની દિલ્હીમાં જી-20ની સમિટ થઈ રહી છે. વિદેશી નેતાઓ, મંત્રીઓ ભારતના મહેમાન બન્યા છે. કેન્દ્ર સરકારને કોંગ્રેસ અનેક વખત ઘેરવાનો પ્રયાસ કરતી હોય છે. ત્યારે જી-20 મુદ્દાને લઈને પણ કોંગ્રેસે ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કર્યા જેમાં કહેવામાં આવ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર આપણા લોકોને અને જાનવરોને છુપાવી રહી છે. આપણા મહેમાનોની સામે ભારતની વાસ્તવિક્તા છુપાવવાની જરૂર નથી.

 


સરકાર આપણા લોકોને અને જાનવરોને છૂપાઈ રહી છે - કોંગ્રેસ  

કેન્દ્ર સરકાર પર ફરી એક વખત કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ ભાજપ પર નિશાન સાધતી હોય છે. ત્યારે હાલ જી-20ને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. દેશની ધરા પર અનેક વિદેશી નેતાઓ આવ્યા છે. વિદેશથી અનેક નેતાઓ જી-20માં સામેલ થવા ભારત આવ્યા છે. દિલ્હીમાં ઘણા સમયથી જી-20ને લઈ તડામાર તૈયારી કરવામાં આવી હતી. ત્યારે રસ્તા પર અનેક કપડા લગાવવામાં આવ્યા છે. ત્યારે રસ્તા પર લાગેલા આ કપડાને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર આપણા લોકોને અને જાનવરોને છુપાવી રહી છે. આપણા મહેમાનોની સામે ભારતની વાસ્તવિક્તા છુપાવવાની જરૂર નથી. 


કોંગ્રેસે જાનવરોને લઈને કર્યો દાવો

તે સિવાય પણ કોંગ્રેસે એક દાવો કર્યો છે કે રસ્તા પર ફરતા કૂતરાઓને પણ ઢસેડવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય નેતાઓના આગમન પહેલા કૂતરાઓને બહેરીમીથી ઢસેડવામાં આવ્યા અને પાંજરે પૂરવામાં આવ્યા. જે કૂતરાઓને પૂરવામાં આવ્યા છે તેમને સારી રીતે પાણી નથી આપવામાં આવતું અને ખાવાનું પણ નથી આપવામાં આવતું. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.