G-20 Summitને લઈ Congressએ સરકારને ઘેરી, ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું - મહેમાનોથી સત્ય છુપાવાની જરૂર નથી.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-09 18:51:52

ભારતની રાજધાની દિલ્હીમાં જી-20ની સમિટ થઈ રહી છે. વિદેશી નેતાઓ, મંત્રીઓ ભારતના મહેમાન બન્યા છે. કેન્દ્ર સરકારને કોંગ્રેસ અનેક વખત ઘેરવાનો પ્રયાસ કરતી હોય છે. ત્યારે જી-20 મુદ્દાને લઈને પણ કોંગ્રેસે ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કર્યા જેમાં કહેવામાં આવ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર આપણા લોકોને અને જાનવરોને છુપાવી રહી છે. આપણા મહેમાનોની સામે ભારતની વાસ્તવિક્તા છુપાવવાની જરૂર નથી.

 


સરકાર આપણા લોકોને અને જાનવરોને છૂપાઈ રહી છે - કોંગ્રેસ  

કેન્દ્ર સરકાર પર ફરી એક વખત કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ ભાજપ પર નિશાન સાધતી હોય છે. ત્યારે હાલ જી-20ને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. દેશની ધરા પર અનેક વિદેશી નેતાઓ આવ્યા છે. વિદેશથી અનેક નેતાઓ જી-20માં સામેલ થવા ભારત આવ્યા છે. દિલ્હીમાં ઘણા સમયથી જી-20ને લઈ તડામાર તૈયારી કરવામાં આવી હતી. ત્યારે રસ્તા પર અનેક કપડા લગાવવામાં આવ્યા છે. ત્યારે રસ્તા પર લાગેલા આ કપડાને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર આપણા લોકોને અને જાનવરોને છુપાવી રહી છે. આપણા મહેમાનોની સામે ભારતની વાસ્તવિક્તા છુપાવવાની જરૂર નથી. 


કોંગ્રેસે જાનવરોને લઈને કર્યો દાવો

તે સિવાય પણ કોંગ્રેસે એક દાવો કર્યો છે કે રસ્તા પર ફરતા કૂતરાઓને પણ ઢસેડવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય નેતાઓના આગમન પહેલા કૂતરાઓને બહેરીમીથી ઢસેડવામાં આવ્યા અને પાંજરે પૂરવામાં આવ્યા. જે કૂતરાઓને પૂરવામાં આવ્યા છે તેમને સારી રીતે પાણી નથી આપવામાં આવતું અને ખાવાનું પણ નથી આપવામાં આવતું. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.