PM Modiને Congressએ ઘેરી, Mallikarjun Khargeએ કહ્યું પીએમ મોદી લક્ષદીપ જાય છે. પરંતુ Manipur કેમ નથી જતા?


  • Published By :
  • Published Date : 2024-01-06 14:17:10

લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ રહી છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. અયોધ્યા મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ મણિપુરને લઈ ચર્ચા થઈ રહી છે. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી ગયા તેવી ચર્ચાઓ અનેક વખત થતી હતી કોંગ્રેસે અનેક વખત આવા સવાલો પૂછ્યા છે. ત્યારે ફરી એક વખત મણિપુર મુદ્દે પીએમ મોદી પર નિશાન મલ્લિકાર્જુન ખડગેએ સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં દુર્ભાગ્ય ઘટના થઈ, પરંતુ પીએમ મોદી ત્યાં નથી ગયા. તે રામ મંદિરની સાઈટ અથવા તો બીચ પર જઈ રહ્યા છે અને ફોટા પડાવી રહ્યા છે. 

મણિપુર મુદ્દે પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ 

મણિપુરમાં હિંસા પ્રતિદિન વધી રહી છે. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. માહોલ શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહ્યું છે. અનેક વખત મણિપુર મુદ્દાને લઈ રાજકારણ ગરમાયું છે. પીએમ મોદીને મણિપુર મુદ્દે અનેક વખત કોંગ્રેસે ઘેરી છે. સંસદમાં જ્યારે વિશેષ સત્ર હતું ત્યારે ભડકેલી હિંસાને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ એક મોકો નથી છોડતી મણિપુરને લઈ પીએમ મોદીને પ્રશ્ન પૂછવાનો. એક તરફ અયોધ્યાની ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ પર નિશાન સાધ્યું છે.

'આ મહાપુરૂષ મણિપુર કેમ નથી જતા' - મલ્લિકાર્જુન ખડગે 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, પરંતુ વડાપ્રધાન મોદી ત્યાં ગયા નહીં. તેઓ રામ મંદિર સાઇટ અથવા બીચ પર જાય છે અને ફોટો સેશન કરાવે છે. તે મુંબઈ કે કેરળ જાય, દરેક જગ્યાએ જાય, તમે તેના ફોટા બધે જ જોઈ શકો છો...તેના ફોટા એવા પડે છે જાણે ભગવાન તેમને દર્શન આપી રહ્યા હોય. પણ આ મહાપુરુષ મણિપુર કેમ નથી જતા? મલ્લિકાર્જુન ખડગેએ આ નિવેદન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું. 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થવાની છે જે અંગેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ પીએમ મોદી લક્ષદ્વીપ ગયા હતા. બીચ પરના અનેક ફોટો વાયરલ થયા હતા.     



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.