PM Modiને Congressએ ઘેરી, Mallikarjun Khargeએ કહ્યું પીએમ મોદી લક્ષદીપ જાય છે. પરંતુ Manipur કેમ નથી જતા?


  • Published By :
  • Published Date : 2024-01-06 14:17:10

લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ રહી છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. અયોધ્યા મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ મણિપુરને લઈ ચર્ચા થઈ રહી છે. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી ગયા તેવી ચર્ચાઓ અનેક વખત થતી હતી કોંગ્રેસે અનેક વખત આવા સવાલો પૂછ્યા છે. ત્યારે ફરી એક વખત મણિપુર મુદ્દે પીએમ મોદી પર નિશાન મલ્લિકાર્જુન ખડગેએ સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં દુર્ભાગ્ય ઘટના થઈ, પરંતુ પીએમ મોદી ત્યાં નથી ગયા. તે રામ મંદિરની સાઈટ અથવા તો બીચ પર જઈ રહ્યા છે અને ફોટા પડાવી રહ્યા છે. 

મણિપુર મુદ્દે પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ 

મણિપુરમાં હિંસા પ્રતિદિન વધી રહી છે. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. માહોલ શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહ્યું છે. અનેક વખત મણિપુર મુદ્દાને લઈ રાજકારણ ગરમાયું છે. પીએમ મોદીને મણિપુર મુદ્દે અનેક વખત કોંગ્રેસે ઘેરી છે. સંસદમાં જ્યારે વિશેષ સત્ર હતું ત્યારે ભડકેલી હિંસાને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ એક મોકો નથી છોડતી મણિપુરને લઈ પીએમ મોદીને પ્રશ્ન પૂછવાનો. એક તરફ અયોધ્યાની ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ પર નિશાન સાધ્યું છે.

'આ મહાપુરૂષ મણિપુર કેમ નથી જતા' - મલ્લિકાર્જુન ખડગે 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, પરંતુ વડાપ્રધાન મોદી ત્યાં ગયા નહીં. તેઓ રામ મંદિર સાઇટ અથવા બીચ પર જાય છે અને ફોટો સેશન કરાવે છે. તે મુંબઈ કે કેરળ જાય, દરેક જગ્યાએ જાય, તમે તેના ફોટા બધે જ જોઈ શકો છો...તેના ફોટા એવા પડે છે જાણે ભગવાન તેમને દર્શન આપી રહ્યા હોય. પણ આ મહાપુરુષ મણિપુર કેમ નથી જતા? મલ્લિકાર્જુન ખડગેએ આ નિવેદન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું. 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થવાની છે જે અંગેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ પીએમ મોદી લક્ષદ્વીપ ગયા હતા. બીચ પરના અનેક ફોટો વાયરલ થયા હતા.     



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.