PM Modiને Congressએ ઘેરી, Mallikarjun Khargeએ કહ્યું પીએમ મોદી લક્ષદીપ જાય છે. પરંતુ Manipur કેમ નથી જતા?


  • Published By :
  • Published Date : 2024-01-06 14:17:10

લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ રહી છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. અયોધ્યા મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ મણિપુરને લઈ ચર્ચા થઈ રહી છે. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી ગયા તેવી ચર્ચાઓ અનેક વખત થતી હતી કોંગ્રેસે અનેક વખત આવા સવાલો પૂછ્યા છે. ત્યારે ફરી એક વખત મણિપુર મુદ્દે પીએમ મોદી પર નિશાન મલ્લિકાર્જુન ખડગેએ સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં દુર્ભાગ્ય ઘટના થઈ, પરંતુ પીએમ મોદી ત્યાં નથી ગયા. તે રામ મંદિરની સાઈટ અથવા તો બીચ પર જઈ રહ્યા છે અને ફોટા પડાવી રહ્યા છે. 

મણિપુર મુદ્દે પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ 

મણિપુરમાં હિંસા પ્રતિદિન વધી રહી છે. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. માહોલ શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહ્યું છે. અનેક વખત મણિપુર મુદ્દાને લઈ રાજકારણ ગરમાયું છે. પીએમ મોદીને મણિપુર મુદ્દે અનેક વખત કોંગ્રેસે ઘેરી છે. સંસદમાં જ્યારે વિશેષ સત્ર હતું ત્યારે ભડકેલી હિંસાને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ એક મોકો નથી છોડતી મણિપુરને લઈ પીએમ મોદીને પ્રશ્ન પૂછવાનો. એક તરફ અયોધ્યાની ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ પર નિશાન સાધ્યું છે.

'આ મહાપુરૂષ મણિપુર કેમ નથી જતા' - મલ્લિકાર્જુન ખડગે 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, પરંતુ વડાપ્રધાન મોદી ત્યાં ગયા નહીં. તેઓ રામ મંદિર સાઇટ અથવા બીચ પર જાય છે અને ફોટો સેશન કરાવે છે. તે મુંબઈ કે કેરળ જાય, દરેક જગ્યાએ જાય, તમે તેના ફોટા બધે જ જોઈ શકો છો...તેના ફોટા એવા પડે છે જાણે ભગવાન તેમને દર્શન આપી રહ્યા હોય. પણ આ મહાપુરુષ મણિપુર કેમ નથી જતા? મલ્લિકાર્જુન ખડગેએ આ નિવેદન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું. 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થવાની છે જે અંગેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ પીએમ મોદી લક્ષદ્વીપ ગયા હતા. બીચ પરના અનેક ફોટો વાયરલ થયા હતા.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.