અદાણી ગ્રુપને લઈ કોંંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, જીજ્ઞેશ મેવાણીએ કહ્યું આ સ્કેમ દુનિયાના ઈતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ છે


  • Published By :
  • Published Date : 2023-02-04 18:39:53

અદાણી ગ્રુપને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપમાં સરકારની અનેક સંસ્થાઓએ રોકાણ કર્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કરી જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઊંઘાડું કર્યું કે કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે.

  

કોંગ્રેસે અદાણી મુદ્દે કરી પ્રેસ કોન્ફરન્સ 

થોડા સમય પહેલા અમેરિકન કંપની હિંડનબર્ગનો અદાણી ગ્રુપને લઈ રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને લાખો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેરોની કિંમતમાં પણ એકાએક ઘટાડો થયો હતો. આ મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં જીજ્ઞેશ મેવાણીએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. 


સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ - મેવાણી 

અદાણી મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઉઘાડું કર્યું છે એ કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે. હજુ સુધી ઈકોનોમીને સમજનારા લોકો હજૂ અવઢવમાં છે કે આ પાંચ લાખ કરોડનું કૌભાંડ છે કે 10 લાખ કરોડનું કૌભાંડ છે કે 20 લાખ કરોડનું કૌભાંડ છે. રિપોર્ટના કારણે દેશના અર્થતંત્ર પર મોટું સંકટ આવી પડ્યું છે. 


33 જિલ્લાઓમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન

તે સિવાય જીજ્ઞેશ મેવાણીએ આગળ કહ્યું કે આ મામલે SEBI બે વર્ષથી તપાસ કરે છે, તેનો રિપોર્ટ જાહેર કરાયો નથી. આ મામલે ઈડી પણ નથી બોલતી. સીબીઆઈ પણ આ મામલે ચૂપ છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષની માગ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખમાં સંપૂર્ણ તપાસ થાય. ગુજરાત તેમજ ભારત સરકાર લોકોને આશ્વસ્ત કરે કે એલઆઈસી કે બેંકોમાંથી કોઈનો પણ એક રુપિયો ડૂબશે નહી. સમગ્ર કૌભાંડની વિરૂદ્ધમાં કોંગ્રેસ 6 ફેબ્રુઆરીએ તમામ 33 જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.