અદાણી ગ્રુપને લઈ કોંંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, જીજ્ઞેશ મેવાણીએ કહ્યું આ સ્કેમ દુનિયાના ઈતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ છે


  • Published By :
  • Published Date : 2023-02-04 18:39:53

અદાણી ગ્રુપને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપમાં સરકારની અનેક સંસ્થાઓએ રોકાણ કર્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કરી જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઊંઘાડું કર્યું કે કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે.

  

કોંગ્રેસે અદાણી મુદ્દે કરી પ્રેસ કોન્ફરન્સ 

થોડા સમય પહેલા અમેરિકન કંપની હિંડનબર્ગનો અદાણી ગ્રુપને લઈ રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને લાખો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેરોની કિંમતમાં પણ એકાએક ઘટાડો થયો હતો. આ મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં જીજ્ઞેશ મેવાણીએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. 


સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ - મેવાણી 

અદાણી મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઉઘાડું કર્યું છે એ કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે. હજુ સુધી ઈકોનોમીને સમજનારા લોકો હજૂ અવઢવમાં છે કે આ પાંચ લાખ કરોડનું કૌભાંડ છે કે 10 લાખ કરોડનું કૌભાંડ છે કે 20 લાખ કરોડનું કૌભાંડ છે. રિપોર્ટના કારણે દેશના અર્થતંત્ર પર મોટું સંકટ આવી પડ્યું છે. 


33 જિલ્લાઓમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન

તે સિવાય જીજ્ઞેશ મેવાણીએ આગળ કહ્યું કે આ મામલે SEBI બે વર્ષથી તપાસ કરે છે, તેનો રિપોર્ટ જાહેર કરાયો નથી. આ મામલે ઈડી પણ નથી બોલતી. સીબીઆઈ પણ આ મામલે ચૂપ છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષની માગ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખમાં સંપૂર્ણ તપાસ થાય. ગુજરાત તેમજ ભારત સરકાર લોકોને આશ્વસ્ત કરે કે એલઆઈસી કે બેંકોમાંથી કોઈનો પણ એક રુપિયો ડૂબશે નહી. સમગ્ર કૌભાંડની વિરૂદ્ધમાં કોંગ્રેસ 6 ફેબ્રુઆરીએ તમામ 33 જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.