અદાણી ગ્રુપને લઈ કોંંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, જીજ્ઞેશ મેવાણીએ કહ્યું આ સ્કેમ દુનિયાના ઈતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ છે


  • Published By :
  • Published Date : 2023-02-04 18:39:53

અદાણી ગ્રુપને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપમાં સરકારની અનેક સંસ્થાઓએ રોકાણ કર્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કરી જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઊંઘાડું કર્યું કે કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે.

  

કોંગ્રેસે અદાણી મુદ્દે કરી પ્રેસ કોન્ફરન્સ 

થોડા સમય પહેલા અમેરિકન કંપની હિંડનબર્ગનો અદાણી ગ્રુપને લઈ રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને લાખો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેરોની કિંમતમાં પણ એકાએક ઘટાડો થયો હતો. આ મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં જીજ્ઞેશ મેવાણીએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. 


સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ - મેવાણી 

અદાણી મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઉઘાડું કર્યું છે એ કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે. હજુ સુધી ઈકોનોમીને સમજનારા લોકો હજૂ અવઢવમાં છે કે આ પાંચ લાખ કરોડનું કૌભાંડ છે કે 10 લાખ કરોડનું કૌભાંડ છે કે 20 લાખ કરોડનું કૌભાંડ છે. રિપોર્ટના કારણે દેશના અર્થતંત્ર પર મોટું સંકટ આવી પડ્યું છે. 


33 જિલ્લાઓમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન

તે સિવાય જીજ્ઞેશ મેવાણીએ આગળ કહ્યું કે આ મામલે SEBI બે વર્ષથી તપાસ કરે છે, તેનો રિપોર્ટ જાહેર કરાયો નથી. આ મામલે ઈડી પણ નથી બોલતી. સીબીઆઈ પણ આ મામલે ચૂપ છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષની માગ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખમાં સંપૂર્ણ તપાસ થાય. ગુજરાત તેમજ ભારત સરકાર લોકોને આશ્વસ્ત કરે કે એલઆઈસી કે બેંકોમાંથી કોઈનો પણ એક રુપિયો ડૂબશે નહી. સમગ્ર કૌભાંડની વિરૂદ્ધમાં કોંગ્રેસ 6 ફેબ્રુઆરીએ તમામ 33 જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે.       




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.