અદાણી ગ્રુપને લઈ કોંંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, જીજ્ઞેશ મેવાણીએ કહ્યું આ સ્કેમ દુનિયાના ઈતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ છે


  • Published By :
  • Published Date : 2023-02-04 18:39:53

અદાણી ગ્રુપને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપમાં સરકારની અનેક સંસ્થાઓએ રોકાણ કર્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કરી જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઊંઘાડું કર્યું કે કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે.

  

કોંગ્રેસે અદાણી મુદ્દે કરી પ્રેસ કોન્ફરન્સ 

થોડા સમય પહેલા અમેરિકન કંપની હિંડનબર્ગનો અદાણી ગ્રુપને લઈ રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને લાખો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેરોની કિંમતમાં પણ એકાએક ઘટાડો થયો હતો. આ મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં જીજ્ઞેશ મેવાણીએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. 


સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ - મેવાણી 

અદાણી મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઉઘાડું કર્યું છે એ કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે. હજુ સુધી ઈકોનોમીને સમજનારા લોકો હજૂ અવઢવમાં છે કે આ પાંચ લાખ કરોડનું કૌભાંડ છે કે 10 લાખ કરોડનું કૌભાંડ છે કે 20 લાખ કરોડનું કૌભાંડ છે. રિપોર્ટના કારણે દેશના અર્થતંત્ર પર મોટું સંકટ આવી પડ્યું છે. 


33 જિલ્લાઓમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન

તે સિવાય જીજ્ઞેશ મેવાણીએ આગળ કહ્યું કે આ મામલે SEBI બે વર્ષથી તપાસ કરે છે, તેનો રિપોર્ટ જાહેર કરાયો નથી. આ મામલે ઈડી પણ નથી બોલતી. સીબીઆઈ પણ આ મામલે ચૂપ છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષની માગ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખમાં સંપૂર્ણ તપાસ થાય. ગુજરાત તેમજ ભારત સરકાર લોકોને આશ્વસ્ત કરે કે એલઆઈસી કે બેંકોમાંથી કોઈનો પણ એક રુપિયો ડૂબશે નહી. સમગ્ર કૌભાંડની વિરૂદ્ધમાં કોંગ્રેસ 6 ફેબ્રુઆરીએ તમામ 33 જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.