Himachal Pradeshમાં પણ વધ્યું Congressનું ટેન્શન!Vikramaditya Singhએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-02-28 14:37:16

ગુજરાતની રાજનીતિ તો ગરમાઈ રહી છે પરંતુ હિમાચલ પ્રદેશની રાજનીતિ પણ ગરમાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીની ખુરથી ખતરામાં છે તેવું લાગી રહ્યું છે. સીએમની ખુરશી પર સંકટ તોળાઈ રહ્યું છે તે બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્યસિંહે મંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિક્રમાદિત્ય સિંહે જાણકારી આપી છે કે રાજીનામા અંગેની માહિતી તેમણે પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેને આપી દીધી છે. તેમણે કહ્યું કે કોઈ વખત કઠોર નિર્ણય લેવા પડે છે. 

રાજીનામા અંગે મુખ્યમંત્રીએ કહી આ વાત!

સુખુ સરકાર પર ખતરો મંડળાઈ રહ્યો હતો. એક તરફ સુખવિંદર સુખુના રાજીનામા અંગે વાત ચાલી રહી છે, અટકળો ચાલી રહ્યા છે તો બીજી તરફ રાજીનામે લઈ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું, "ન તો કોઈએ મારું રાજીનામું માંગ્યું છે અને ન તો મેં કોઈને રાજીનામું આપ્યું છે. અમે બહુમત સાબિત કરીશું. અમે જીતીશું, હિમાચલના લોકો જીતશે..."

 

રાજીનામું આપતી વખતે કહ્યું કે... 

હિમાચલ પ્રદેશની રાજનીતિમાં મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે. ગઈકાલે રાજ્યસભામાં ભાજપને જીત હાંસલ થઈ છે અને બીજી તરફ સુખુ સરકાર પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. કોંગ્રેસની ચિંતા પણ વધી જ્યારે કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે સુખુ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. વિક્રમાદિત્યસિહે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાજીનામું આપતી વખતે તેમણે નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રીના કામકાજથી નારાજ હતા અને હવે સ્થિતિ યોગ્ય નથી. હાલની સ્થિતિમાં આ સરકારમાં ચાલુ રહેવું મારા માટે યોગ્ય નથી, તેથી હું મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું આવનારા સમયમાં વધુ પગલાઓ પર વિચાર કરીશ. મહત્વનું છે કે ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.