Himachal Pradeshમાં પણ વધ્યું Congressનું ટેન્શન!Vikramaditya Singhએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-02-28 14:37:16

ગુજરાતની રાજનીતિ તો ગરમાઈ રહી છે પરંતુ હિમાચલ પ્રદેશની રાજનીતિ પણ ગરમાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીની ખુરથી ખતરામાં છે તેવું લાગી રહ્યું છે. સીએમની ખુરશી પર સંકટ તોળાઈ રહ્યું છે તે બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્યસિંહે મંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિક્રમાદિત્ય સિંહે જાણકારી આપી છે કે રાજીનામા અંગેની માહિતી તેમણે પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેને આપી દીધી છે. તેમણે કહ્યું કે કોઈ વખત કઠોર નિર્ણય લેવા પડે છે. 

રાજીનામા અંગે મુખ્યમંત્રીએ કહી આ વાત!

સુખુ સરકાર પર ખતરો મંડળાઈ રહ્યો હતો. એક તરફ સુખવિંદર સુખુના રાજીનામા અંગે વાત ચાલી રહી છે, અટકળો ચાલી રહ્યા છે તો બીજી તરફ રાજીનામે લઈ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું, "ન તો કોઈએ મારું રાજીનામું માંગ્યું છે અને ન તો મેં કોઈને રાજીનામું આપ્યું છે. અમે બહુમત સાબિત કરીશું. અમે જીતીશું, હિમાચલના લોકો જીતશે..."

 

રાજીનામું આપતી વખતે કહ્યું કે... 

હિમાચલ પ્રદેશની રાજનીતિમાં મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે. ગઈકાલે રાજ્યસભામાં ભાજપને જીત હાંસલ થઈ છે અને બીજી તરફ સુખુ સરકાર પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. કોંગ્રેસની ચિંતા પણ વધી જ્યારે કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે સુખુ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. વિક્રમાદિત્યસિહે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાજીનામું આપતી વખતે તેમણે નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રીના કામકાજથી નારાજ હતા અને હવે સ્થિતિ યોગ્ય નથી. હાલની સ્થિતિમાં આ સરકારમાં ચાલુ રહેવું મારા માટે યોગ્ય નથી, તેથી હું મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું આવનારા સમયમાં વધુ પગલાઓ પર વિચાર કરીશ. મહત્વનું છે કે ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .