પરાઠા પર જીએસટીના નિર્ણયને કોંગ્રેસે જન વિરોધી ગણાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:36:49

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે પરોઠા પર GST લગાવી દેવામાં આવ્યો છે. રોટલી અને પરોઠામાં ભેદ છે એમ કહીં તેના પર 18 ટકા ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ વાતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ આ નિર્ણયને જન વિરોધી નિર્ણય ગણાવ્યો હતો.   

કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય - કોંગ્રેસ 

વધતી મોંઘવારી પર ટિપ્પણી આપતા તેમણે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય છે. જે રીતે પહેલા દૂધ, છાસ અને જીવન જરૂરિયાત વસ્તુ પર જીએસટી લગાવી દેવામાં આવ્યું છે. જીવન જરૂરી વસ્તુ પર 5 ટકા જીએસટી લગાવવાને બદલે 12થી 15 ટકા કરી  મોંઘવારીનો વધારો કર્યો છે.  


સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું: મનીષ દોશી

વધુમાં તેમણે કહ્યું કે ટેક્સના નામે લુંટ, જીએસટીના નામે લૂંટ થઈ રહી છે. સામાન્ય માણસને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. મોંઘવારી અને બેરોજગારી આસમાને છે. આ સંજગોની અંદર સરકારે જનતાને વધુ એક માર આપ્યો છે. તે છે પરોઠા પર 18 ટકા જીએસટી. મને લાગે છે કે સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.