મણિપુર હિંસા મુદ્દે કોંગ્રેસે પીએમ મોદીને યાદ કરાવ્યું અટલ બિહારી વાજપેયીનું કથન, સાંભળો વાજપેયીજીની ક્લીપ


  • Published By :
  • Published Date : 2023-07-22 11:50:52

મણિપુરમાં હિંસા અનેક મહિનાઓથી ચાલી રહી છે. અનેક લોકોના મોત થઈ ગયા છે, અનેક લોકોના ઘર બળીને ખાખ થઈ ગયા છે. મણિપુરમાં હિંસા પહેલેથી જ ભડકેલી હતી અને આ સમય દરમિયાન એક વીડિયો સામે આવ્યો જેણે માનવતાને શર્મસાર કરી નાખી. એ વીડિયો ઘણા સમય પહેલાનો હતો પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે તે જાહેર જનતા સુધી પહોંચ્યો ન હતો. પરંતુ જ્યારે લોકો સુધી એ વીડિયો પહોંચ્યો ત્યારે લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. લોકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો હતો.

મણિપુર મામલે પીએમ મોદીએ આપી હતી પ્રતિક્રિયા 

કેન્દ્ર સરકાર અને તેમાં પણ પીએમ મોદી આ મામલે પોતાનું મૌન તોડે, કોઈ પ્રતિક્રિયા આપે ઉપરાંત પરિસ્થિતિને શાંત કરવા કોઈ પગલાં તે માટે અનેક વખત અવાજ ઉઠતા રહ્યા છે. કેન્દ્ર સરકાર સુધી આ વાત પહોંચે તે માટે દિલ્હીમાં મહિલાઓ ધરણા કરી રહી હતી, લોકો તો બુમો પાડી જ રહ્યા હતા, અનેક વખત મણિપુરમાં ભડકેલી હિંસાને શાંત કરવા ખેલાડીઓએ પીએમ મોદીને અપીલ કરી હતી. પરંતુ પીએમ મોદી દ્વારા મણિપુર મામલે કોઈ રિએક્શન અથવા સ્ટેટમેન્ટ આપવામાં ન આવ્યું હતું. પરંતુ મહિલાનો વીડિયો સામે આવ્યા બાદ ચોમાસા સત્ર પહેલા લોકશાહીના મંદિરની બહાર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી હતી. ભલે મણિપુર વિશે ઓછું બોલ્યા હતા પરંતુ બોલ્યા તેનો લોકોને આનંદ હતો. લોકો કહી રહ્યા હતા કે આ મામલે પહેલા બોલવાની જરૂર હતી. 

શક્તિસિંહ ગોહિલે અટલ બિહારીના વીડિયોને કર્યો ટ્વિટ

મણિપુરની ઘટનાને અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં એક ઘટના બની હતી ત્યારે પણ સીએમ નરેન્દ્ર મોદીએ કોઈ એક્શન લીધા ન હતા. અટલ બિહારી વાજપેયીએ મુખ્યમંત્રીને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી. રાજધર્મનું પાલન કરવા માટે તેમણે મુખ્યમંત્રીને સલાહ આપી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મણિપુર હિંસાને લઈ ટ્વિટ કરી હતી. તે ટ્વિટમાં અટલ બિહારી વાજપૈયીની એક વીડિયો ક્લીપ મૂકવામાં આવી છે જેમાં તે મુખ્યમંત્રીને રાજધર્મનું પાલન કરવાનું કહી રહ્યા છે. 

ચૈતર વસાવાએ બંધ પાળવાનું કર્યું એલાન 

મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ ન માત્ર કોંગ્રેસ પરંતુ અનેક રાજકીય પાર્ટીઓએ મણિપુરની ઘટનાનો રોષ પ્રગટ કર્યો છે. મણિપુરમાં ભડકેલી આગ આખા દેશમાં ફેલાઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આદિવાસી વિસ્તારોમાં બંધ પાળવાનું એલાન કર્યું છે. રવિવારના દિવસે બંધ પાળવામાં આવશે તેવી જાહેરાત ચૈતર વસાવાએ કરી છે.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .