મણિપુર હિંસા મુદ્દે કોંગ્રેસે પીએમ મોદીને યાદ કરાવ્યું અટલ બિહારી વાજપેયીનું કથન, સાંભળો વાજપેયીજીની ક્લીપ


  • Published By :
  • Published Date : 2023-07-22 11:50:52

મણિપુરમાં હિંસા અનેક મહિનાઓથી ચાલી રહી છે. અનેક લોકોના મોત થઈ ગયા છે, અનેક લોકોના ઘર બળીને ખાખ થઈ ગયા છે. મણિપુરમાં હિંસા પહેલેથી જ ભડકેલી હતી અને આ સમય દરમિયાન એક વીડિયો સામે આવ્યો જેણે માનવતાને શર્મસાર કરી નાખી. એ વીડિયો ઘણા સમય પહેલાનો હતો પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે તે જાહેર જનતા સુધી પહોંચ્યો ન હતો. પરંતુ જ્યારે લોકો સુધી એ વીડિયો પહોંચ્યો ત્યારે લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. લોકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો હતો.

મણિપુર મામલે પીએમ મોદીએ આપી હતી પ્રતિક્રિયા 

કેન્દ્ર સરકાર અને તેમાં પણ પીએમ મોદી આ મામલે પોતાનું મૌન તોડે, કોઈ પ્રતિક્રિયા આપે ઉપરાંત પરિસ્થિતિને શાંત કરવા કોઈ પગલાં તે માટે અનેક વખત અવાજ ઉઠતા રહ્યા છે. કેન્દ્ર સરકાર સુધી આ વાત પહોંચે તે માટે દિલ્હીમાં મહિલાઓ ધરણા કરી રહી હતી, લોકો તો બુમો પાડી જ રહ્યા હતા, અનેક વખત મણિપુરમાં ભડકેલી હિંસાને શાંત કરવા ખેલાડીઓએ પીએમ મોદીને અપીલ કરી હતી. પરંતુ પીએમ મોદી દ્વારા મણિપુર મામલે કોઈ રિએક્શન અથવા સ્ટેટમેન્ટ આપવામાં ન આવ્યું હતું. પરંતુ મહિલાનો વીડિયો સામે આવ્યા બાદ ચોમાસા સત્ર પહેલા લોકશાહીના મંદિરની બહાર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી હતી. ભલે મણિપુર વિશે ઓછું બોલ્યા હતા પરંતુ બોલ્યા તેનો લોકોને આનંદ હતો. લોકો કહી રહ્યા હતા કે આ મામલે પહેલા બોલવાની જરૂર હતી. 

શક્તિસિંહ ગોહિલે અટલ બિહારીના વીડિયોને કર્યો ટ્વિટ

મણિપુરની ઘટનાને અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં એક ઘટના બની હતી ત્યારે પણ સીએમ નરેન્દ્ર મોદીએ કોઈ એક્શન લીધા ન હતા. અટલ બિહારી વાજપેયીએ મુખ્યમંત્રીને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી. રાજધર્મનું પાલન કરવા માટે તેમણે મુખ્યમંત્રીને સલાહ આપી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મણિપુર હિંસાને લઈ ટ્વિટ કરી હતી. તે ટ્વિટમાં અટલ બિહારી વાજપૈયીની એક વીડિયો ક્લીપ મૂકવામાં આવી છે જેમાં તે મુખ્યમંત્રીને રાજધર્મનું પાલન કરવાનું કહી રહ્યા છે. 

ચૈતર વસાવાએ બંધ પાળવાનું કર્યું એલાન 

મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ ન માત્ર કોંગ્રેસ પરંતુ અનેક રાજકીય પાર્ટીઓએ મણિપુરની ઘટનાનો રોષ પ્રગટ કર્યો છે. મણિપુરમાં ભડકેલી આગ આખા દેશમાં ફેલાઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આદિવાસી વિસ્તારોમાં બંધ પાળવાનું એલાન કર્યું છે. રવિવારના દિવસે બંધ પાળવામાં આવશે તેવી જાહેરાત ચૈતર વસાવાએ કરી છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.