મોરબીમાં થયેલી દુર્ઘટનાને પગલે કોંગ્રેસે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-31 11:39:18

ગુજરાતના મોરબી ખાતે એક દિલ દુભાવી દે એવી દુ:ખદ ઘટના બની છે. ઝૂલતા પુલ તૂટી પડતા હોનારક સર્જાઈ છે. આ ઘટનામાં 130થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. ગુજરાતમાં સવાર તો પડી છે પરંતુ મોરબીનો સૂરજ આક્રંદ લઈને આવ્યો છે. આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીએ પોતાનો પ્રચાર કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબરના રોજ નીકળનારી આ યાત્રા હવે 1લી નવેમ્બરના રોજ નીકળવાની છે.


વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ કરાયો ફેરફાર

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના સમયે પાર્ટી પ્રચારમાં વ્યસ્ત બનતી હોય છે. પરંતુ મોરબીની આ ઘટનાને કારણે કોંગ્રેસે પોતાના પ્રચાર કાર્યક્રમનો મોકૂફ રાખી છે. કોંગ્રેસ દ્વારા આયોજીત આ પરિવર્તન સંકલ્પ યાત્રાને નહીં કરવાનો નિર્ણય પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપે પણ પોતાના કાર્યક્રમને રદ્દ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ભાજપનો પ્રચાર કરવા તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પરંતુ આ ઘટનાને કારણે તેમના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.