મોરબીમાં થયેલી દુર્ઘટનાને પગલે કોંગ્રેસે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-31 11:39:18

ગુજરાતના મોરબી ખાતે એક દિલ દુભાવી દે એવી દુ:ખદ ઘટના બની છે. ઝૂલતા પુલ તૂટી પડતા હોનારક સર્જાઈ છે. આ ઘટનામાં 130થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. ગુજરાતમાં સવાર તો પડી છે પરંતુ મોરબીનો સૂરજ આક્રંદ લઈને આવ્યો છે. આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીએ પોતાનો પ્રચાર કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબરના રોજ નીકળનારી આ યાત્રા હવે 1લી નવેમ્બરના રોજ નીકળવાની છે.


વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ કરાયો ફેરફાર

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના સમયે પાર્ટી પ્રચારમાં વ્યસ્ત બનતી હોય છે. પરંતુ મોરબીની આ ઘટનાને કારણે કોંગ્રેસે પોતાના પ્રચાર કાર્યક્રમનો મોકૂફ રાખી છે. કોંગ્રેસ દ્વારા આયોજીત આ પરિવર્તન સંકલ્પ યાત્રાને નહીં કરવાનો નિર્ણય પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપે પણ પોતાના કાર્યક્રમને રદ્દ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ભાજપનો પ્રચાર કરવા તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પરંતુ આ ઘટનાને કારણે તેમના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.