Congress : Gujaratમાં બાકી રહેલી Loksabha Seat અંગે આવ્યા અપડેટ! જાણો ઉમેદવારોની રેસમાં કોણ ક્યાંથી ચાલી રહ્યું છે આગળ?


  • Published By :
  • Published Date : 2024-03-26 10:16:13

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પુરી થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી ફુલ ઇલેકશન મોડમાં આવી ગઈ છે . દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયે  સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠકનો ધમધમાટ ચાલુ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ અનેક બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. ગુજરાતમાં બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે જાણીએ ગુજરાતની બાકી રહેલી બેઠકોના સંભવિત ઉમેદવારો વિશે.. 



અનેક સમીકરણોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ આપી રહી છે ટિકીટ! 

વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો તેને ગુજરાત માટે બધા જ નામો જાહેર કરી દીધા છે . તો આ તરફ કોંગ્રેસ પાર્ટીની સેન્ટ્રલ ઇલેકશન કમિટીમાં ગુજરાતની બાકી રહેલી સીટો પર ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અનેક ધારાસભ્યોને ટિકીટ આપી છે, ધારાસભ્યો હવે લોકસભા ચૂંટણી લડશે. કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારો પાછળ મનોમંથન કરવામાં આવી રહ્યું છે. જાતિગત સમીકરણો સહિતના અનેક પરિબળોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. 

  

સી.આર.પાટીલ સમક્ષ કોંગ્રેસ આમને આપી શકે છે લોકસભા ટિકીટ 

નવસારી લોકસભા પરથી ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ચૂંટણી લડવા માટે મેદાનમાં છે તો કોંગ્રેસ કોળી સમાજના શૈલેષ પટેલને ઉતારી શકે છે. તેઓ ડેપ્યુટી સરપંચ પણ રહી ચુક્યા છે અને ચીખલી તાલુકાના કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે. આ શૈલેષ પટેલની કોળી સમાજમાં તો પકડ છે જ પણ આદિવાસી સમાજમાં પણ સારી એવી પકડ ધરાવે છે. 


આ ઉમેદવારો હોઈ શકે છે જૂનાગઢ લોકસભા બેઠક માટે!

જૂનાગઢમાં BJPના રાજેશ ચુડાસમા કે જે કોળી સમાજના છે તેમની સામે આહીર સમાજના  હીરાભાઈ જોટવાને ટિકીટ આપવામાં આવી શકે છે તેવી સંભાવનાઓ છે. તેઓ કેશોદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા છે પણ હારી ગયા હતા આ ઉપરાંત જૂનાગઢ પરથી બીજા એક સંભવિત ઉમેદવાર તરીકે જલ્પા ચુડાસમા કે જેઓ કોળી સમાજના છે તેમનું નામ પણ ચાલી રહ્યું છે તેઓ હાલના સોમનાથના વર્તમાન MLA વિમલ ચુડાસમાના ધર્મપત્ની છે.


રોહન ગુપ્તાની બદલીમાં કોંગ્રેસ આપી શકે છે આમને ટિકીટ   

આ તરફ અમદાવાદ પૂર્વ માટે પહેલા કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી પરંતુ તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને રાજીનામું આપી દીધું છે બેઠક પરથી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મત સિંહ પટેલને કોંગ્રેસ પાર્ટી ટિકીટ આપી શકે છે. તેઓ બાપુનગરના MLA રહી ચુક્યા છે અને અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે. વાત કરીએ મહેસાણા લોકસભા પરથી BJPના હરિભાઈ પટેલની સામે બળદેવજી ઠાકોરને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. તેઓ કલોલ વિધાનસભા બેઠકના MLA પણ રહી ચુક્યા છે.


ઋત્તવિક મકવાણા હોઈ શકે છે સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર  

વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની તો કોંગ્રેસ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપી શકે છે. તેઓ તળપદા કોળી સમાજના છે, BJPએ ચંદુભાઈ શિહોરા કે જે ચુવાળિયા કોળી સમાજના આગેવાન છે તેમને ટિકિટ આપી છે. ઉપરાંત વાત કરીએ રાજકોટ બેઠકની તો ત્યાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું હતું , તેઓ ચૂંટણી લડવા પાછીપાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ પરથી BJP ના પુરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને ટિકીટ આપે છે... 



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.