Congress : Gujaratમાં બાકી રહેલી Loksabha Seat અંગે આવ્યા અપડેટ! જાણો ઉમેદવારોની રેસમાં કોણ ક્યાંથી ચાલી રહ્યું છે આગળ?


  • Published By :
  • Published Date : 2024-03-26 10:16:13

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પુરી થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી ફુલ ઇલેકશન મોડમાં આવી ગઈ છે . દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયે  સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠકનો ધમધમાટ ચાલુ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ અનેક બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. ગુજરાતમાં બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે જાણીએ ગુજરાતની બાકી રહેલી બેઠકોના સંભવિત ઉમેદવારો વિશે.. 



અનેક સમીકરણોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ આપી રહી છે ટિકીટ! 

વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો તેને ગુજરાત માટે બધા જ નામો જાહેર કરી દીધા છે . તો આ તરફ કોંગ્રેસ પાર્ટીની સેન્ટ્રલ ઇલેકશન કમિટીમાં ગુજરાતની બાકી રહેલી સીટો પર ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અનેક ધારાસભ્યોને ટિકીટ આપી છે, ધારાસભ્યો હવે લોકસભા ચૂંટણી લડશે. કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારો પાછળ મનોમંથન કરવામાં આવી રહ્યું છે. જાતિગત સમીકરણો સહિતના અનેક પરિબળોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. 

  

સી.આર.પાટીલ સમક્ષ કોંગ્રેસ આમને આપી શકે છે લોકસભા ટિકીટ 

નવસારી લોકસભા પરથી ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ચૂંટણી લડવા માટે મેદાનમાં છે તો કોંગ્રેસ કોળી સમાજના શૈલેષ પટેલને ઉતારી શકે છે. તેઓ ડેપ્યુટી સરપંચ પણ રહી ચુક્યા છે અને ચીખલી તાલુકાના કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે. આ શૈલેષ પટેલની કોળી સમાજમાં તો પકડ છે જ પણ આદિવાસી સમાજમાં પણ સારી એવી પકડ ધરાવે છે. 


આ ઉમેદવારો હોઈ શકે છે જૂનાગઢ લોકસભા બેઠક માટે!

જૂનાગઢમાં BJPના રાજેશ ચુડાસમા કે જે કોળી સમાજના છે તેમની સામે આહીર સમાજના  હીરાભાઈ જોટવાને ટિકીટ આપવામાં આવી શકે છે તેવી સંભાવનાઓ છે. તેઓ કેશોદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા છે પણ હારી ગયા હતા આ ઉપરાંત જૂનાગઢ પરથી બીજા એક સંભવિત ઉમેદવાર તરીકે જલ્પા ચુડાસમા કે જેઓ કોળી સમાજના છે તેમનું નામ પણ ચાલી રહ્યું છે તેઓ હાલના સોમનાથના વર્તમાન MLA વિમલ ચુડાસમાના ધર્મપત્ની છે.


રોહન ગુપ્તાની બદલીમાં કોંગ્રેસ આપી શકે છે આમને ટિકીટ   

આ તરફ અમદાવાદ પૂર્વ માટે પહેલા કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી પરંતુ તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને રાજીનામું આપી દીધું છે બેઠક પરથી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મત સિંહ પટેલને કોંગ્રેસ પાર્ટી ટિકીટ આપી શકે છે. તેઓ બાપુનગરના MLA રહી ચુક્યા છે અને અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે. વાત કરીએ મહેસાણા લોકસભા પરથી BJPના હરિભાઈ પટેલની સામે બળદેવજી ઠાકોરને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. તેઓ કલોલ વિધાનસભા બેઠકના MLA પણ રહી ચુક્યા છે.


ઋત્તવિક મકવાણા હોઈ શકે છે સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર  

વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની તો કોંગ્રેસ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપી શકે છે. તેઓ તળપદા કોળી સમાજના છે, BJPએ ચંદુભાઈ શિહોરા કે જે ચુવાળિયા કોળી સમાજના આગેવાન છે તેમને ટિકિટ આપી છે. ઉપરાંત વાત કરીએ રાજકોટ બેઠકની તો ત્યાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું હતું , તેઓ ચૂંટણી લડવા પાછીપાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ પરથી BJP ના પુરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને ટિકીટ આપે છે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.