વિધાનસભા સત્રમાં કોંગ્રેસનો હોબાળો, કોંગ્રેસના 15 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 14:14:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિધાનસભાનું બે દિવસીય સત્ર ચાલી રહ્યું છે. ચૂંટણી પહેલા વિધાનસભાનું આ અંતિમ સત્ર છે. પરંતુ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામા સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો. વિધાનસભામાં કોંગ્રેસનો વિરોધ વધતા વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 15 ધારાસભ્ચોને સસ્પેન્ડ કર્યા હતા.

બીજા દિવસે પણ કોંગ્રેસનો વિરોધ યથાવત

અનેક મુદ્દાઓને લઈ ગૃહમાં કોંગ્રેસ સતત વિરોધ કરી રહી છે. બે દિવસ મળનારા આ સત્રના અંતિમ દિવસે પણ કોંગ્રસે ભારે હોબાળો કર્યો છે. લમ્પી વાયરસ અંગેની ચર્ચા કરવા કોંગ્રેસે માગ કરી હતી પરંતુ તેનો અસ્વીકાર થતા હોબાળો થયો હતો. જેને લઈ કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા.

This will never happen in the history of Gujarat Legislative Assembly,  students will take the reins of Gujarat

પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસના ધારાસભ્યોએ દર્શાવ્યો વિરોધ 

તે ઉપરાંત અનામતના મુદ્દાને લઈ તેમજ વધતી મોંઘવારીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ચર્ચા કરવાની માગણી કરી હતી, પરંતુ આ મુદ્દા પર અધ્યક્ષે ચર્ચા કરવાની ના પાડી હતી. જેને કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે-કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત અનેક દિવસોથી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે તેનો મુદ્દો લઈ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

લમ્પી વાયરસને રોકવામાં સરકાર નિષ્ફળ 

કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર લમ્પી વાચરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં કચ્છ અને જામનગરથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. જો પૂરતી રસી મળી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થયો હોત.

Jharkhand News : Know what is lumpi virus, any effect of lumpy virus in  cows milk - Lumpy Virus : जानिए क्या है लंपी वायरस, जिसे लेकर झारखंड में भी  मचा है हड़कंप


3 વિધેયકો પ્રથમ દિવસે કરાયા પાસ 

ગૃહના પ્રથમ દિવસે ત્રણ વિધેયક પાસ કરવામાં આવ્યા હતા જેમાં જીએસટી સુધારા વિધેયક, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ અને ગુજસીટોક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા હતા. પસાર થયેલા વિધેયક પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે જીએસટીમાં ટેક્સમાં વધારો તેમજ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને સરકારની ટીકા કરી હતી.





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.