વિધાનસભા સત્રમાં કોંગ્રેસનો હોબાળો, કોંગ્રેસના 15 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 14:14:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિધાનસભાનું બે દિવસીય સત્ર ચાલી રહ્યું છે. ચૂંટણી પહેલા વિધાનસભાનું આ અંતિમ સત્ર છે. પરંતુ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામા સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો. વિધાનસભામાં કોંગ્રેસનો વિરોધ વધતા વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 15 ધારાસભ્ચોને સસ્પેન્ડ કર્યા હતા.

બીજા દિવસે પણ કોંગ્રેસનો વિરોધ યથાવત

અનેક મુદ્દાઓને લઈ ગૃહમાં કોંગ્રેસ સતત વિરોધ કરી રહી છે. બે દિવસ મળનારા આ સત્રના અંતિમ દિવસે પણ કોંગ્રસે ભારે હોબાળો કર્યો છે. લમ્પી વાયરસ અંગેની ચર્ચા કરવા કોંગ્રેસે માગ કરી હતી પરંતુ તેનો અસ્વીકાર થતા હોબાળો થયો હતો. જેને લઈ કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા.

This will never happen in the history of Gujarat Legislative Assembly,  students will take the reins of Gujarat

પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસના ધારાસભ્યોએ દર્શાવ્યો વિરોધ 

તે ઉપરાંત અનામતના મુદ્દાને લઈ તેમજ વધતી મોંઘવારીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ચર્ચા કરવાની માગણી કરી હતી, પરંતુ આ મુદ્દા પર અધ્યક્ષે ચર્ચા કરવાની ના પાડી હતી. જેને કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે-કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત અનેક દિવસોથી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે તેનો મુદ્દો લઈ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

લમ્પી વાયરસને રોકવામાં સરકાર નિષ્ફળ 

કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર લમ્પી વાચરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં કચ્છ અને જામનગરથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. જો પૂરતી રસી મળી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થયો હોત.

Jharkhand News : Know what is lumpi virus, any effect of lumpy virus in  cows milk - Lumpy Virus : जानिए क्या है लंपी वायरस, जिसे लेकर झारखंड में भी  मचा है हड़कंप


3 વિધેયકો પ્રથમ દિવસે કરાયા પાસ 

ગૃહના પ્રથમ દિવસે ત્રણ વિધેયક પાસ કરવામાં આવ્યા હતા જેમાં જીએસટી સુધારા વિધેયક, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ અને ગુજસીટોક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા હતા. પસાર થયેલા વિધેયક પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે જીએસટીમાં ટેક્સમાં વધારો તેમજ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને સરકારની ટીકા કરી હતી.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.