વિધાનસભા સત્રમાં કોંગ્રેસનો હોબાળો, કોંગ્રેસના 15 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 14:14:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિધાનસભાનું બે દિવસીય સત્ર ચાલી રહ્યું છે. ચૂંટણી પહેલા વિધાનસભાનું આ અંતિમ સત્ર છે. પરંતુ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામા સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો. વિધાનસભામાં કોંગ્રેસનો વિરોધ વધતા વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 15 ધારાસભ્ચોને સસ્પેન્ડ કર્યા હતા.

બીજા દિવસે પણ કોંગ્રેસનો વિરોધ યથાવત

અનેક મુદ્દાઓને લઈ ગૃહમાં કોંગ્રેસ સતત વિરોધ કરી રહી છે. બે દિવસ મળનારા આ સત્રના અંતિમ દિવસે પણ કોંગ્રસે ભારે હોબાળો કર્યો છે. લમ્પી વાયરસ અંગેની ચર્ચા કરવા કોંગ્રેસે માગ કરી હતી પરંતુ તેનો અસ્વીકાર થતા હોબાળો થયો હતો. જેને લઈ કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા.

This will never happen in the history of Gujarat Legislative Assembly,  students will take the reins of Gujarat

પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસના ધારાસભ્યોએ દર્શાવ્યો વિરોધ 

તે ઉપરાંત અનામતના મુદ્દાને લઈ તેમજ વધતી મોંઘવારીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ચર્ચા કરવાની માગણી કરી હતી, પરંતુ આ મુદ્દા પર અધ્યક્ષે ચર્ચા કરવાની ના પાડી હતી. જેને કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે-કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત અનેક દિવસોથી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે તેનો મુદ્દો લઈ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

લમ્પી વાયરસને રોકવામાં સરકાર નિષ્ફળ 

કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર લમ્પી વાચરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં કચ્છ અને જામનગરથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. જો પૂરતી રસી મળી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થયો હોત.

Jharkhand News : Know what is lumpi virus, any effect of lumpy virus in  cows milk - Lumpy Virus : जानिए क्या है लंपी वायरस, जिसे लेकर झारखंड में भी  मचा है हड़कंप


3 વિધેયકો પ્રથમ દિવસે કરાયા પાસ 

ગૃહના પ્રથમ દિવસે ત્રણ વિધેયક પાસ કરવામાં આવ્યા હતા જેમાં જીએસટી સુધારા વિધેયક, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ અને ગુજસીટોક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા હતા. પસાર થયેલા વિધેયક પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે જીએસટીમાં ટેક્સમાં વધારો તેમજ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને સરકારની ટીકા કરી હતી.





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.