સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી કોંગ્રેસ, ટ્વિટર પર લખ્યું કે ભાજપને મત આપો તો.... અને કોંગ્રેસને મત આપો તો......


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-10 15:59:01

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. તબક્કવાર આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ પોતાના ટ્વિટર પર મૂકી રહી છે જેમાં ભાજપ અને કોંગ્રેસ સરકાર વચ્ચે તુલના કરવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે અને બાજુમાં લખ્યું કોંગ્રેસને મત એટલે....   

Image

Image

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર વોર

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રચાર દરમિયાન પાર્ટી બીજી પાર્ટી પર આરોપ-પ્રતિઆરોપ લગાવતી રહે છે. મંચ પરતો પોતાની પાર્ટીના વખાણ કરવામાં આવે છે ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે મોંઘા ગેસના બાટલાને તક કોંગ્રેસને મત એટલે માત્ર 500 રૂ.માં ગેસ.

Image

Image

Image

શિક્ષણ મુદ્દે પણ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપને મત એટલે દીકરીઓને મોંઘી શિક્ષણ વ્યવસ્થાને તક, કોંગ્રેસને મત એટલે દીકરીઓને કેજીથી લઈને માસ્ટર ડીગ્રી સુધી મફત શિક્ષણને તક. ખાનગી હોસ્પિટલોના મોંઘા બિલને તક, અને કોંગ્રેસને મત એટલે 10 લાખ સુધી મફત સારવારને તક.        



વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..

સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...