સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી કોંગ્રેસ, ટ્વિટર પર લખ્યું કે ભાજપને મત આપો તો.... અને કોંગ્રેસને મત આપો તો......


  • Published By :
  • Published Date : 2022-11-10 15:59:01

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. તબક્કવાર આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ પોતાના ટ્વિટર પર મૂકી રહી છે જેમાં ભાજપ અને કોંગ્રેસ સરકાર વચ્ચે તુલના કરવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે અને બાજુમાં લખ્યું કોંગ્રેસને મત એટલે....   

Image

Image

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર વોર

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રચાર દરમિયાન પાર્ટી બીજી પાર્ટી પર આરોપ-પ્રતિઆરોપ લગાવતી રહે છે. મંચ પરતો પોતાની પાર્ટીના વખાણ કરવામાં આવે છે ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે મોંઘા ગેસના બાટલાને તક કોંગ્રેસને મત એટલે માત્ર 500 રૂ.માં ગેસ.

Image

Image

Image

શિક્ષણ મુદ્દે પણ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપને મત એટલે દીકરીઓને મોંઘી શિક્ષણ વ્યવસ્થાને તક, કોંગ્રેસને મત એટલે દીકરીઓને કેજીથી લઈને માસ્ટર ડીગ્રી સુધી મફત શિક્ષણને તક. ખાનગી હોસ્પિટલોના મોંઘા બિલને તક, અને કોંગ્રેસને મત એટલે 10 લાખ સુધી મફત સારવારને તક.        



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.