સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી કોંગ્રેસ, ટ્વિટર પર લખ્યું કે ભાજપને મત આપો તો.... અને કોંગ્રેસને મત આપો તો......


  • Published By :
  • Published Date : 2022-11-10 15:59:01

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. તબક્કવાર આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ પોતાના ટ્વિટર પર મૂકી રહી છે જેમાં ભાજપ અને કોંગ્રેસ સરકાર વચ્ચે તુલના કરવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે અને બાજુમાં લખ્યું કોંગ્રેસને મત એટલે....   

Image

Image

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર વોર

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રચાર દરમિયાન પાર્ટી બીજી પાર્ટી પર આરોપ-પ્રતિઆરોપ લગાવતી રહે છે. મંચ પરતો પોતાની પાર્ટીના વખાણ કરવામાં આવે છે ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે મોંઘા ગેસના બાટલાને તક કોંગ્રેસને મત એટલે માત્ર 500 રૂ.માં ગેસ.

Image

Image

Image

શિક્ષણ મુદ્દે પણ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપને મત એટલે દીકરીઓને મોંઘી શિક્ષણ વ્યવસ્થાને તક, કોંગ્રેસને મત એટલે દીકરીઓને કેજીથી લઈને માસ્ટર ડીગ્રી સુધી મફત શિક્ષણને તક. ખાનગી હોસ્પિટલોના મોંઘા બિલને તક, અને કોંગ્રેસને મત એટલે 10 લાખ સુધી મફત સારવારને તક.        



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"