સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી કોંગ્રેસ, ટ્વિટર પર લખ્યું કે ભાજપને મત આપો તો.... અને કોંગ્રેસને મત આપો તો......


  • Published By :
  • Published Date : 2022-11-10 15:59:01

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. તબક્કવાર આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ પોતાના ટ્વિટર પર મૂકી રહી છે જેમાં ભાજપ અને કોંગ્રેસ સરકાર વચ્ચે તુલના કરવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે અને બાજુમાં લખ્યું કોંગ્રેસને મત એટલે....   

Image

Image

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર વોર

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રચાર દરમિયાન પાર્ટી બીજી પાર્ટી પર આરોપ-પ્રતિઆરોપ લગાવતી રહે છે. મંચ પરતો પોતાની પાર્ટીના વખાણ કરવામાં આવે છે ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે મોંઘા ગેસના બાટલાને તક કોંગ્રેસને મત એટલે માત્ર 500 રૂ.માં ગેસ.

Image

Image

Image

શિક્ષણ મુદ્દે પણ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપને મત એટલે દીકરીઓને મોંઘી શિક્ષણ વ્યવસ્થાને તક, કોંગ્રેસને મત એટલે દીકરીઓને કેજીથી લઈને માસ્ટર ડીગ્રી સુધી મફત શિક્ષણને તક. ખાનગી હોસ્પિટલોના મોંઘા બિલને તક, અને કોંગ્રેસને મત એટલે 10 લાખ સુધી મફત સારવારને તક.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.