OBC મતદારોને રિઝવવા કોંગ્રેસે મારી સોગઠી, 'આગામી CM ઠાકોર હશે'


  • Published By :
  • Published Date : 2022-12-02 19:01:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે ત્યારે બીજા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસે નવો દાવ ખેલ્યો છે. મળતી માહિતી અનુસાર જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજ માંથી મુખ્યમંત્રી બનશે. ઉપરાંત ગુજરાતમાં ત્રણ ઉપ-મુખ્યમંત્રી હશે તેવું સૂત્રોનું માનવું છે.

Congress President Mallikarjun Kharge praised the vision of CM Ashok Gehlot  - मल्लिकार्जुन खड़गे ने की 'राजस्थान माॅडल' की तारीफ, अशोक गहलोत को मिली  संजीवनी

ઠાકોર સમાજમાંથી હશે મુખ્યમંત્રી

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ચૂંટણી પહેલા ભાજપે અને આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસે આ અંગે કોઈ જાહેરાત નથી કરી. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી બનશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્રણ ઉપમુખ્યમંત્રી હશે જે SC,ST અને અલ્પસંખ્યક માંથી હશે. આ નિર્ણય અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ લેવાયો છે. 

ઘરડા ઘરભંગાવે! છાપેલા કાટલાઓથી કંટાળેલી કોંગ્રેસ હવે યુવા-મહિલાઓને  પ્રાધાન્ય આપશે

ગુજરાતમાં હશે ત્રણ ઉપમુખ્યમંત્રી!!!

બીજા તબક્કા માટેની ચૂંટણી પહેલા દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપનો પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જુન ખડગે તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની રાજનીતિને લઈ કોંગ્રેસે એક નિર્ણય કર્યો છે. જો 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવામાં આવશે તેવી વિચારણા કરવામાં આવી રહી છે એવું સૂત્રોનું કહેવું છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.