OBC મતદારોને રિઝવવા કોંગ્રેસે મારી સોગઠી, 'આગામી CM ઠાકોર હશે'


  • Published By :
  • Published Date : 2022-12-02 19:01:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે ત્યારે બીજા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસે નવો દાવ ખેલ્યો છે. મળતી માહિતી અનુસાર જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજ માંથી મુખ્યમંત્રી બનશે. ઉપરાંત ગુજરાતમાં ત્રણ ઉપ-મુખ્યમંત્રી હશે તેવું સૂત્રોનું માનવું છે.

Congress President Mallikarjun Kharge praised the vision of CM Ashok Gehlot  - मल्लिकार्जुन खड़गे ने की 'राजस्थान माॅडल' की तारीफ, अशोक गहलोत को मिली  संजीवनी

ઠાકોર સમાજમાંથી હશે મુખ્યમંત્રી

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ચૂંટણી પહેલા ભાજપે અને આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસે આ અંગે કોઈ જાહેરાત નથી કરી. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી બનશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્રણ ઉપમુખ્યમંત્રી હશે જે SC,ST અને અલ્પસંખ્યક માંથી હશે. આ નિર્ણય અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ લેવાયો છે. 

ઘરડા ઘરભંગાવે! છાપેલા કાટલાઓથી કંટાળેલી કોંગ્રેસ હવે યુવા-મહિલાઓને  પ્રાધાન્ય આપશે

ગુજરાતમાં હશે ત્રણ ઉપમુખ્યમંત્રી!!!

બીજા તબક્કા માટેની ચૂંટણી પહેલા દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપનો પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જુન ખડગે તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની રાજનીતિને લઈ કોંગ્રેસે એક નિર્ણય કર્યો છે. જો 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવામાં આવશે તેવી વિચારણા કરવામાં આવી રહી છે એવું સૂત્રોનું કહેવું છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.