કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો


  • Published By :
  • Published Date : 2022-11-12 11:04:32

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તે પહેલા  ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે જેમાં કોંગ્રેસે લખ્યું છે કે જન-જનની સમસ્યાનું નિવારણ અને સૌની ખુશહાલી એટલે કોંગ્રેસનું ઘોષણા પત્ર.

  

મતદારોને રિઝવવાનો કોંગ્રેસ કરશે પ્રયાસ

વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. કોંગ્રેસ ત્રણ વખત લિસ્ટ બહાર પાડી ઉમેદવારોના નામની ઘોષણા કરી છે જ્યારે ભાજપે પણ 166 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. જેમાં ખેડૂતોની દેવા માફી, 500 રૂપિયામાં ગેસનો બાટલો, તેમજ 300 યુનિટ વીજળી ફ્રીના વાયદાઓ આપવામાં આવ્યા છે. 

Image  

"કોંગ્રેસ જનઘોષણા પત્ર 2022 જનતાની સરકાર'થી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. ચૂંટણી માટે રાહુલ ગાંધી દ્વારા અપાયેલા વચનો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પોતાના આ વચનો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવસે તે અંગે સૌ કોઈને આતુરતા રહે છે. ત્યારે  કોંગ્રેસ બાકી રહેલા ઉમેદવારોના નામની ક્યારે જાહેરાત કરશે તેની પર સૌની નજર રહેશે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.