કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો


  • Published By :
  • Published Date : 2022-11-12 11:04:32

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તે પહેલા  ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે જેમાં કોંગ્રેસે લખ્યું છે કે જન-જનની સમસ્યાનું નિવારણ અને સૌની ખુશહાલી એટલે કોંગ્રેસનું ઘોષણા પત્ર.

  

મતદારોને રિઝવવાનો કોંગ્રેસ કરશે પ્રયાસ

વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. કોંગ્રેસ ત્રણ વખત લિસ્ટ બહાર પાડી ઉમેદવારોના નામની ઘોષણા કરી છે જ્યારે ભાજપે પણ 166 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. જેમાં ખેડૂતોની દેવા માફી, 500 રૂપિયામાં ગેસનો બાટલો, તેમજ 300 યુનિટ વીજળી ફ્રીના વાયદાઓ આપવામાં આવ્યા છે. 

Image  

"કોંગ્રેસ જનઘોષણા પત્ર 2022 જનતાની સરકાર'થી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. ચૂંટણી માટે રાહુલ ગાંધી દ્વારા અપાયેલા વચનો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પોતાના આ વચનો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવસે તે અંગે સૌ કોઈને આતુરતા રહે છે. ત્યારે  કોંગ્રેસ બાકી રહેલા ઉમેદવારોના નામની ક્યારે જાહેરાત કરશે તેની પર સૌની નજર રહેશે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.