UPની આ 17 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે, સપા સહિત INDIA ગઠબંધનના અન્ય પક્ષોને મળી 63 સીટ


  • Published By :
  • Published Date : 2024-02-21 19:01:27

ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં વિપક્ષનું ચિત્ર હવે અમુક અંશે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. વિપક્ષી ગઠબંધન તૂટવાના મીડિયા રિપોર્ટ વચ્ચે હવે બંને પક્ષો એકસાથે આવતા જણાય છે. હવે અખિલેશની સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ગર્જના કરતા જોવા મળશે. હાલમાં, અખિલેશ યાદવ યુપીના રાજકીય મેદાન પર ભાજપની સામે એકલા હાથે લડતા જોવા મળ્યા હતા. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બુધવારે સાંજે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય અને સપાના રાજેન્દ્ર ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે સંયુક્ત પત્રકાર પરિષદમાં ગઠબંધનની જાહેરાત કરી હતી.




કોંગ્રેસ UPમાં આ 17 સીટો પર ચૂંટણી લડશે


ઉત્તર પ્રદેશની 17 બેઠકો જેના પર કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી, દેવરિયાનો સમાવેશ થાય છે.


ચંદ્રશેખર આઝાદ પણ ઝંપલાવશે


સપા અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે લોકસભાની 80 સીટોમાંથી કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે અને બાકીની 63 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ 62 સીટો પર અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ એક સીટ પર ચૂંટણી લડશે. ચંદ્રશેખર આઝાદ  મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ખજુરાહો પર સપા એક સીટ પર ચૂંટણી લડશે. MPમાં બાકીની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપશે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.