UPની આ 17 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે, સપા સહિત INDIA ગઠબંધનના અન્ય પક્ષોને મળી 63 સીટ


  • Published By :
  • Published Date : 2024-02-21 19:01:27

ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં વિપક્ષનું ચિત્ર હવે અમુક અંશે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. વિપક્ષી ગઠબંધન તૂટવાના મીડિયા રિપોર્ટ વચ્ચે હવે બંને પક્ષો એકસાથે આવતા જણાય છે. હવે અખિલેશની સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ગર્જના કરતા જોવા મળશે. હાલમાં, અખિલેશ યાદવ યુપીના રાજકીય મેદાન પર ભાજપની સામે એકલા હાથે લડતા જોવા મળ્યા હતા. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બુધવારે સાંજે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય અને સપાના રાજેન્દ્ર ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે સંયુક્ત પત્રકાર પરિષદમાં ગઠબંધનની જાહેરાત કરી હતી.




કોંગ્રેસ UPમાં આ 17 સીટો પર ચૂંટણી લડશે


ઉત્તર પ્રદેશની 17 બેઠકો જેના પર કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી, દેવરિયાનો સમાવેશ થાય છે.


ચંદ્રશેખર આઝાદ પણ ઝંપલાવશે


સપા અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે લોકસભાની 80 સીટોમાંથી કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે અને બાકીની 63 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ 62 સીટો પર અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ એક સીટ પર ચૂંટણી લડશે. ચંદ્રશેખર આઝાદ  મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ખજુરાહો પર સપા એક સીટ પર ચૂંટણી લડશે. MPમાં બાકીની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપશે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .