UPની આ 17 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે, સપા સહિત INDIA ગઠબંધનના અન્ય પક્ષોને મળી 63 સીટ


  • Published By :
  • Published Date : 2024-02-21 19:01:27

ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં વિપક્ષનું ચિત્ર હવે અમુક અંશે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. વિપક્ષી ગઠબંધન તૂટવાના મીડિયા રિપોર્ટ વચ્ચે હવે બંને પક્ષો એકસાથે આવતા જણાય છે. હવે અખિલેશની સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ગર્જના કરતા જોવા મળશે. હાલમાં, અખિલેશ યાદવ યુપીના રાજકીય મેદાન પર ભાજપની સામે એકલા હાથે લડતા જોવા મળ્યા હતા. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બુધવારે સાંજે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય અને સપાના રાજેન્દ્ર ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે સંયુક્ત પત્રકાર પરિષદમાં ગઠબંધનની જાહેરાત કરી હતી.




કોંગ્રેસ UPમાં આ 17 સીટો પર ચૂંટણી લડશે


ઉત્તર પ્રદેશની 17 બેઠકો જેના પર કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી, દેવરિયાનો સમાવેશ થાય છે.


ચંદ્રશેખર આઝાદ પણ ઝંપલાવશે


સપા અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે લોકસભાની 80 સીટોમાંથી કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે અને બાકીની 63 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ 62 સીટો પર અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ એક સીટ પર ચૂંટણી લડશે. ચંદ્રશેખર આઝાદ  મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ખજુરાહો પર સપા એક સીટ પર ચૂંટણી લડશે. MPમાં બાકીની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપશે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.