શિક્ષણ મુદ્દે કોંગ્રેસ કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ, Gyan sahayakનો Congress કરશે વિરોધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-05 16:58:45

ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં  આવે તે માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. વિવિધ પ્રકારે ઉમેદવારોએ પોતાનો વિરોધ નોંધાવ્યો. પરંતુ સરકાર પોતાના નિર્ણય ઉપર અટલ છે. સરકાર ટસની મસ નથી થઈ. ઉમેદવારોના સમર્થનમાં ભાજપના અનેક ધારાસભ્યોએ પત્રો લખ્યા હતા. ભાજપ સિવાય કોંગ્રેસના ધારાસભ્યો પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે ત્યારે આવતી કાલે જ્ઞાન સહાયકોના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ ધરણા કરશે તેવી માહિતી સામે આવી છે. શિક્ષણ બચાવો ધરણા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.

શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન કથળતી જઈ રહી છે 

શિક્ષણની પરિસ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. શિક્ષણની પરિસ્થિતિ કયા હદ સુધી લથતી ગઈ છે તે આપણે સૌ જાણીએ છીએ. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. બાળકોને ભણાવવા મોંધું થઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં શાળાની હાલત એકદમ જર્જરિત હોય, શાળામાં શિક્ષકો ન હોય વગેરે વગેરે... શિક્ષણ મેળવવો દરેક બાળકોનો અધિકાર છે. જો બાળકને શિક્ષણ સારૂ મળ્યું હશે તો તે પોતાના જીવનમાં પ્રગતિ કરી શકશે. પોતાના પગ પર ઉપર ઉભો રહી શકે છે. પરંતુ જે હાલત હમણાં શિક્ષણની થઈ ગઈ છે તે દયનીય છે.

  

અલગ અલગ રીતે સરકારને કરી છે રજૂઆત 

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચાલી નિકળ્યા છે. અલગ અલગ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. જ્ઞાન સહાયકને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત અનેક અધિકારીઓને પત્ર લખી તેમને પોતાની વાત રજૂ કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. ત્યારે ભગવાનના શરણે પણ ઉમેદવારો પોતાની માગ સાથે ગયા હતા. હનુમાનજીને, શિવજીને, ગણપતિજીને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી. તે ઉપરાંત ગાંધી જયંતિના ગાંધીને પત્ર ઉમેદવારોએ લખ્યો હતો. યુવરાજસિંહ પણ તેમની સાથે આવ્યા હતા. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રેલી કરી હતી. ત્યારે આવતી કાલે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ ધરણા કરવાના છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.