કોંગ્રેસે વાઘોડિયા માટે સત્યજીત ગાયકવાડને ટિકિટ અપાતા કોંગ્રેસના કાર્યકરો નારાજગી દર્શાવી


  • Published By :
  • Published Date : 2022-11-14 17:42:50

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પડઘમ વાગી ગયા છે. ત્યારે દરેક પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જાહેર કરવામાં આવેલા ઉમેદવારને લઈ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઘોડિયાની બેઠક પર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે જેને લઈ કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે. 

The Congress faces 11 elections — and a moment of reckoning | Latest News  India - Hindustan Times

સામુહિક રાજીનામાની ઉચ્ચારી ચીમકી 

કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાઘોડિયામાં કોંગ્રેસ દ્વારા સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. કાર્યકરોની માગ છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવાર કે પછી તત્કાલીન ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહના પુત્રને ટિકિટ આપવાની માગ કરવામાં આવી રહી છે. જો પાર્ટી દ્વારા તેમની માગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


ટિકિટને લઈ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે આંતરિક વિખવાદ    

ચૂંટણી નજીક આવતા અને ખાસ કરી ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક વિવાદ સામે આવી રહ્યા છે. અનેક કાર્યકરો નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. અનેક બેઠકો પર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ન અપાતા ભારે વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિ દરેક પાર્ટીમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી જતા હોય છે. જેને કારણે પાર્ટીને નુકસાન વેઠવું પડે છે.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.