કોંગ્રેસે વાઘોડિયા માટે સત્યજીત ગાયકવાડને ટિકિટ અપાતા કોંગ્રેસના કાર્યકરો નારાજગી દર્શાવી


  • Published By :
  • Published Date : 2022-11-14 17:42:50

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પડઘમ વાગી ગયા છે. ત્યારે દરેક પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જાહેર કરવામાં આવેલા ઉમેદવારને લઈ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઘોડિયાની બેઠક પર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે જેને લઈ કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે. 

The Congress faces 11 elections — and a moment of reckoning | Latest News  India - Hindustan Times

સામુહિક રાજીનામાની ઉચ્ચારી ચીમકી 

કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાઘોડિયામાં કોંગ્રેસ દ્વારા સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. કાર્યકરોની માગ છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવાર કે પછી તત્કાલીન ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહના પુત્રને ટિકિટ આપવાની માગ કરવામાં આવી રહી છે. જો પાર્ટી દ્વારા તેમની માગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


ટિકિટને લઈ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે આંતરિક વિખવાદ    

ચૂંટણી નજીક આવતા અને ખાસ કરી ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક વિવાદ સામે આવી રહ્યા છે. અનેક કાર્યકરો નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. અનેક બેઠકો પર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ન અપાતા ભારે વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિ દરેક પાર્ટીમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી જતા હોય છે. જેને કારણે પાર્ટીને નુકસાન વેઠવું પડે છે.         




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.