રાજ્યમાં કન્જકટીવાઈટિસની બિમારીથી હાહાકાર, દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો, અમદાવાદમાં આઈડ્રોપની અછત


  • Published By :
  • Published Date : 2023-07-27 14:47:08

રાજ્યમાં અમદાવાદ સહિત તમામ મોટા શહેર અને જિલ્લાઓમાં હાલમાં છેલ્લા પંદર દિવસથી કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે ઓળખાતી આ બિમારીમાં આંખો લાલ થવા સાથે આંખમાં દુખાવો થાય છે. સમગ્ર રાજ્યમાં કન્જકટીવાઈટિસ (Conjunctivitis)ના દર્દીઓ વધી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજના 150 થી 160 દર્દીઓ આવી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 298 કેસ નોંધાયા હતા. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પર રોજના 20 કેસ આવે છે, એટલે કે શહેરના કુલ 82 અર્બન હેલ્થ સેન્ટર પર રોજના 1600 આંખના દર્દી આવે છે. દર્દીઓમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. 


આઈડ્રોપની અછત સર્જાઈ

 

અમદાવાદમાં કન્જકટીવાઈટિસના દર્દીઓ વધવાના કારણે આઈડ્રોપની જબરદસ્ત અછત સર્જાઈ છે. કોર્પોરેશને સરકાર પાસે વધુ 50 હજાર આઇડ્રોપની માગણી કરી છે. શહેરમાં અત્યાર સુધી 17 હજાર જેટલા આઈડ્રોપ અપાઈ ચૂક્યા છે. અમદાવાદમાં આંખ આવવાના એક સપ્તાહમાં 12000થી વધુ કેસ નોધાયા છે. UHC, CHC તેમજ AMCની હોસ્પિટલના જ કેસ ચોંકાવનારા છે. પ્રાઇવેટ હોસ્પિટલો સહિત આંકડા ઉમેરીએ તો એક મહિનામાં 30,000થી વધુ કેસ નોંધાયા છે.  


આરોગ્ય વિભાગ સતર્ક 


રાજ્યમાં કન્જકટીવાઈટિસના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કન્જકટીવાઈટિસના રોગને લઈ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કન્જકટીવાઈટિસની સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  


રોગના શું છે લક્ષણો, શું સાવધાની રાખવી?


કન્જકટીવાઈટિસના રોગમાં આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે. વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.