નવસારીમાં પોલીસકર્મીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરતા ચકચાર, આ કારણે ભર્યું અંતિમ પગલું


  • Published By :
  • Published Date : 2023-05-10 21:42:18

નવસારીમાં પોલીસકર્મીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે પોલીસ ક્વાટર્સમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવતા સમગ્ર જિલ્લા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ચીખલી પોલીસની ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. 


શા માટે કરી આત્મહત્યા?


હેડ કોન્સ્ટેબલ સંજય પટેલની આત્મહત્યા અંગે પોલીસે પ્રાથમિક તપાસના ભાગરૂપે  હાલ પરિવારજનોની પૂછપરછ કરી હતી. તપાસ અંતે જાણવા મળ્યું કે તે સ્થાનિક સ્તરે  લોકોમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. જો કે તે પોતાની બિમારીના કારણે ખુબ જ પરેશાન રહેતા હતા. આ અંગે તેઓ પરિવાર અને સાથી કર્મચારીઓ સાથે પણ અનેક વખત વાતચીત કરતા રહેતા હતા. અંતે કંટાળીને તેમણે આ અંતિમ પગલું ઉઠાવ્યું હોવાનું પોલીસ માની રહી છે.



ગુજરાતના અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાઈ ચૂક્યું છે. હવામાન વિભાગે અનેક શહેરો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. એએમસી દ્વારા અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ઉના તાલુકાના સિમર ગામે શિવ પુરાણ કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ ઠાકોર-કોળી સમાજને લઈ વિવાદીત નિવેદન આપ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ રાજુગીરી બાપુએ માફી પણ માગી. અલ્પેશ ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. 94 બેઠકોના મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાન થઈ રહ્યું છે. પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન થયું છે.

એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે