જમવાની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત! Ahmedabadની ફેમસ ITC Narmada Hotelના સંભાર માંથી પણ જીવડું નીકળ્યું!


  • Published By :
  • Published Date : 2024-09-12 16:28:51

ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવી જાણે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે.. અનેક વખત આપણી સામે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં ખાવાની વસ્તુમાંથી કાં તો ગરોડી નીકળે છે કાં તો દેડકો નીકળે છે. ત્યારે ફરી એક વખત ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળી છે.. તમે જો બહાર મોટી મોટી હોટલનું ખાવાનું ખાવાના શોખીન છો તો તમને આ સમાચાર સાંભળીને ધ્રાસકો પડી જશે કારણ કે મોટી ફાઇવ સ્ટાર હોટલોના ખાવાનામાંથી પણ હવે જીવાત નીકળી છે હોટલનું નામ છે આઈટીસી નર્મદા.. 

ITC નર્મદા હોટલના જમવામાંથી નીકળી જીવાત

આ વાંચીને તમને આઘાત લાગ્યોને... પરંતુ આ વાત સાચી છે.. આવું સાચે થયું છે.. સેટેલાઈટ વિસ્તારમાં કેશવબાગ પાસે આવેલી ITC નર્મદા હોટલમાં ગ્રાહકને ભોજનમાં સાંભારમાંથી જીવડું નીકળ્યું છે. ગ્રાહક દ્વારા આ મામલે મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી એટલે ટીમ તાત્કાલિક હોટલે પહોંચી હતી. કિચનમાં તપાસ કરી હતી. હોટલને માત્ર રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકે એ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેના કારણે બધાને જાણ થઈ.. 



શું હતી આખી ઘટના?

મૂળ વાત એવી હતી કે  ITC નર્મદા હોટલમાં એક વ્યક્તિ રોકાયો હતો. તેણે ભોજન મંગાવ્યું. સાંભાર ખાવા માટે અંદર જોયું તો જીવડાં જેવું કંઈક દેખાયું. તેમણે હોટલના મેનેજરને બોલાવી ફરિયાદ કરી અને બાદમાં તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ જાણ કરી હતી. જેથી કુડ વિભાગની ટીમ ત્યાં પહોંચીને ચેકિંગ કર્યું 



શું કહ્યું ફૂડ વિભાગના અધિકારીએ?

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, હોટલ ITC નર્મદામાં ગ્રાહકને રૂમમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાંથી જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ મળતા ટીમ દ્વારા ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. હોટલના કિચનમાં ક્યાંય પણ જીવાત કે અન્ય કોઈ ચીજવસ્તુઓ એવી મળી આવી નથી. જેથી જીવડું નીકળવાની ઘટનાને પગલે રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.