જમવાની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત! Ahmedabadની ફેમસ ITC Narmada Hotelના સંભાર માંથી પણ જીવડું નીકળ્યું!


  • Published By :
  • Published Date : 2024-09-12 16:28:51

ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવી જાણે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે.. અનેક વખત આપણી સામે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં ખાવાની વસ્તુમાંથી કાં તો ગરોડી નીકળે છે કાં તો દેડકો નીકળે છે. ત્યારે ફરી એક વખત ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળી છે.. તમે જો બહાર મોટી મોટી હોટલનું ખાવાનું ખાવાના શોખીન છો તો તમને આ સમાચાર સાંભળીને ધ્રાસકો પડી જશે કારણ કે મોટી ફાઇવ સ્ટાર હોટલોના ખાવાનામાંથી પણ હવે જીવાત નીકળી છે હોટલનું નામ છે આઈટીસી નર્મદા.. 

ITC નર્મદા હોટલના જમવામાંથી નીકળી જીવાત

આ વાંચીને તમને આઘાત લાગ્યોને... પરંતુ આ વાત સાચી છે.. આવું સાચે થયું છે.. સેટેલાઈટ વિસ્તારમાં કેશવબાગ પાસે આવેલી ITC નર્મદા હોટલમાં ગ્રાહકને ભોજનમાં સાંભારમાંથી જીવડું નીકળ્યું છે. ગ્રાહક દ્વારા આ મામલે મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી એટલે ટીમ તાત્કાલિક હોટલે પહોંચી હતી. કિચનમાં તપાસ કરી હતી. હોટલને માત્ર રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકે એ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેના કારણે બધાને જાણ થઈ.. 



શું હતી આખી ઘટના?

મૂળ વાત એવી હતી કે  ITC નર્મદા હોટલમાં એક વ્યક્તિ રોકાયો હતો. તેણે ભોજન મંગાવ્યું. સાંભાર ખાવા માટે અંદર જોયું તો જીવડાં જેવું કંઈક દેખાયું. તેમણે હોટલના મેનેજરને બોલાવી ફરિયાદ કરી અને બાદમાં તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ જાણ કરી હતી. જેથી કુડ વિભાગની ટીમ ત્યાં પહોંચીને ચેકિંગ કર્યું 



શું કહ્યું ફૂડ વિભાગના અધિકારીએ?

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, હોટલ ITC નર્મદામાં ગ્રાહકને રૂમમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાંથી જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ મળતા ટીમ દ્વારા ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. હોટલના કિચનમાં ક્યાંય પણ જીવાત કે અન્ય કોઈ ચીજવસ્તુઓ એવી મળી આવી નથી. જેથી જીવડું નીકળવાની ઘટનાને પગલે રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે