TET-TAT ઉમેદવારોના વિરોધ વચ્ચે માધ્યમિક શાળાઓ માટે બહાર પડી કરાર આધારિત ભરતીની જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-24 10:53:37

એક તરફ TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેમજ જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગે માધ્યમિક શાળાઓ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની પ્રક્રિયા 26 ઓગસ્ટથી ઓનલાઈન શરૂ થશે અને 4 સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 24 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. આ ભરતી અંગેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. 


જ્ઞાન સહાયક યોજના નાબુદ કરાવવા ઉમેદવારોનો વિરોધ

છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત આંદોલનો કરવા ગાંધીનગર જવાનો પ્રયત્ન કર્યો, પીએમને પત્ર લખી પોતાની વેદના સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો પરંતુ દરેક વખતે તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. એક તરફ શાળામાં શિક્ષકોની ઘટ છે, શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મૂશ્કેલી પડે છે, તો બીજી તરફ ભાવિ શિક્ષકો પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખી વિરોધ કરી રહ્યા છે. 


કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત

કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય નક્કી નથી તે વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે. કરાર પૂર્ણ થયા બાદ તેમની પાસે નોકરી હશે કે નહીં તેની તેમને ખબર નથી તો તે કેવી રીતે બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે. આ બધા વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકમાં ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. માધ્યમિક શાળાઓ માટે કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતીની જાહેરાત કરી છે.         

       



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.