TET-TAT ઉમેદવારોના વિરોધ વચ્ચે માધ્યમિક શાળાઓ માટે બહાર પડી કરાર આધારિત ભરતીની જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-24 10:53:37

એક તરફ TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેમજ જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગે માધ્યમિક શાળાઓ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની પ્રક્રિયા 26 ઓગસ્ટથી ઓનલાઈન શરૂ થશે અને 4 સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 24 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. આ ભરતી અંગેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. 


જ્ઞાન સહાયક યોજના નાબુદ કરાવવા ઉમેદવારોનો વિરોધ

છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત આંદોલનો કરવા ગાંધીનગર જવાનો પ્રયત્ન કર્યો, પીએમને પત્ર લખી પોતાની વેદના સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો પરંતુ દરેક વખતે તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. એક તરફ શાળામાં શિક્ષકોની ઘટ છે, શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મૂશ્કેલી પડે છે, તો બીજી તરફ ભાવિ શિક્ષકો પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખી વિરોધ કરી રહ્યા છે. 


કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત

કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય નક્કી નથી તે વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે. કરાર પૂર્ણ થયા બાદ તેમની પાસે નોકરી હશે કે નહીં તેની તેમને ખબર નથી તો તે કેવી રીતે બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે. આ બધા વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકમાં ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. માધ્યમિક શાળાઓ માટે કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતીની જાહેરાત કરી છે.         

       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.