મહીસાગરના લુણાવાડામાં સ્વામીનારાયણ મંદિરની બહાર ગણપતિજીના વિવાદિત પોસ્ટરથી લોકોમાં રોષ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-09-24 15:16:59

સાળંગપુર હનુમાનના મંદિરમાં ભીંતચિત્રો બાદથી સનાતન ધર્મના સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે શરૂ થયેલું ઘમાસાણ હજુ ચાલી જ રહ્યું છે. ત્યારે ત્યારે મહીસાગર (Mahisagar) જીલ્લાના લુણાવાડામાં (Lunawada) એક નવો વિવાદ શરૂ થયો છે. લુણાવાડા ખાતે આવેલા છપૈયા ધામ સોસાયટીમાં સ્વામીનારાયણ મંદિરની  બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે વિવાદનું કારણ બન્યું છે. આ પોસ્ટરમાં ભગવાન ગણેશને સહજાનંદ સ્વામીના ખોળામાં બેઠેલા જોવા મળે છે. મંદિરની બહાર લગાવવામાં આવેલું આ પોસ્ટર આ પોસ્ટર  સોશિયલ મીડિયામાં વાયરલ થયાબાદ લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.


પોસ્ટરના કારણે વિવાદ વકર્યો


મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલા છપૈયા ધામ સોસાયટીમાં સ્વામીનારાયણ મંદિરની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે વિવાદનું કારણ બની ગયું છે. મંદિરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરમાં સહજાનંદ સ્વામીને કદની દૃષ્ટિએ મોટા બતાવવામાં આવ્યા છે, જ્યારે ગણપતિને સહજાનંદ સ્વામી કરતાં નાના બતાવવામાં આવી રહ્યા છે. વધુમાં ગણપતિ સહજાનંદ સ્વામીના ખોળામાં બેઠેલા નજરે પડે છે. પોસ્ટરમાં જે પ્રકારે ગણપતિને નાના દર્શાવવામાં આવ્યા છે તેને લઈને ભક્તજનોમાં ભારે રોષ છે. આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે અને ગણપતિ ભક્તો પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિવાદિત પોસ્ટરમાં ભાજપના નેતા જે. પી. પટેલ ભક્તજનોનું સ્વાગત કરવાની મુદ્રામાં દેખાઈ રહ્યા છે.


મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી


ભગવાન ગણપતિના પોસ્ટરના વિવાદને લઈ જ્યારે મીડિયાકર્મીઓ લુણાવાડાના સ્વામી નારાયણ મંદિરે પહોંચ્યા તો મંદિરમાં રહેલા સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મીડિયા કર્મીઓને ઘેરી લઈ બંધક બનાવી લીધા હતા. સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મંદિરમાં મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. મીડિયાકર્મીઓએ કરેલું રેકોર્ડિગ પણ ડિલીટ કરી નાખ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મીડિયાકર્મીઓને મુક્ત કરાવ્યા હતા. જો કે પોલીસ પહોંચતા જ વિવાદ વધુ ઉગ્ર ન બને તે માટે મીડિયા કર્મીઓની માફી માગી હતી. બાદમાં વિવાદ આગળ વધે તે પહેલા જ તેમણે પોસ્ટરને હટાવી દેધું હતું. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.