કોંગ્રેસના નેતા ઉદિત રાજનું રામ મંદિર અંગે વિવાદાસ્પદ નિવેદન '500 વર્ષ બાદ ફરી મનુવાદની વાપસી...'


  • Published By :
  • Published Date : 2024-01-01 15:22:24

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. આ પહેલા અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી નિવેદન સામે આવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળતા બિજેપી પર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા ઉદિત રાજનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 500 વર્ષ પછી મનુવાદ પરત ફરી રહ્યો છે.  


ઉદિત રાજે શું કહ્યું?


ઉદિત રાજે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું  કે ‘मतलब पाँच सौ वर्ष बाद मनुवाद की वापसी हो रही है।’તેમણે વધુમાં લખ્યું કે 'બિજેપી માત્ર દેખાડો કરી રહી છે, PM મોદી કોઈ રાજા છે શું, બિજેપી બંધારણને પણ નથી માનતી' અયોધ્યામાં મીરાના ઘરે જવા અંગે ઉદિત રાજે કહ્યું કે તે લાભાર્થી  નહીં પણ નિષાદના ઘરે ગયા હતા.


કોણ છે ઉદિત રાજ?


ઉલ્લેખનિય છે કે વર્ષ 2014માં ઉદિત રાજ બિજેપીના સાંસદ તરીકે ચુંટાયા હતા. તેમણે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી હતી. જો કે તે બિજેપીથી અલગ થઈ ગયા હતા. બાદમાં  તેમણે ઈન્ડિયન જસ્ટીસ પાર્ટી બનાવી હતી. ઉદિત રાજનું નિવેદન તેવા સમયે આવ્યું છે  જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવું કે નહીં તેને લઈ કોંગ્રેસ પાર્ટી અવઢવની સ્થિતીમાં છે, કારણ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતું પાર્ટીમાં જ એક જુથ એવું છે જે તેમને ઉદઘાટન સમારોહમાં નહીં જવા માટે સલાહ આપી રહ્યું છે. જો કે હવે ઉદિત રાજના રામ મંદિર અંગેના  નિવેદન બાદ બિજેપીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.