કોંગ્રેસના નેતા ઉદિત રાજનું રામ મંદિર અંગે વિવાદાસ્પદ નિવેદન '500 વર્ષ બાદ ફરી મનુવાદની વાપસી...'


  • Published By :
  • Published Date : 2024-01-01 15:22:24

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. આ પહેલા અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી નિવેદન સામે આવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળતા બિજેપી પર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા ઉદિત રાજનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 500 વર્ષ પછી મનુવાદ પરત ફરી રહ્યો છે.  


ઉદિત રાજે શું કહ્યું?


ઉદિત રાજે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું  કે ‘मतलब पाँच सौ वर्ष बाद मनुवाद की वापसी हो रही है।’તેમણે વધુમાં લખ્યું કે 'બિજેપી માત્ર દેખાડો કરી રહી છે, PM મોદી કોઈ રાજા છે શું, બિજેપી બંધારણને પણ નથી માનતી' અયોધ્યામાં મીરાના ઘરે જવા અંગે ઉદિત રાજે કહ્યું કે તે લાભાર્થી  નહીં પણ નિષાદના ઘરે ગયા હતા.


કોણ છે ઉદિત રાજ?


ઉલ્લેખનિય છે કે વર્ષ 2014માં ઉદિત રાજ બિજેપીના સાંસદ તરીકે ચુંટાયા હતા. તેમણે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી હતી. જો કે તે બિજેપીથી અલગ થઈ ગયા હતા. બાદમાં  તેમણે ઈન્ડિયન જસ્ટીસ પાર્ટી બનાવી હતી. ઉદિત રાજનું નિવેદન તેવા સમયે આવ્યું છે  જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવું કે નહીં તેને લઈ કોંગ્રેસ પાર્ટી અવઢવની સ્થિતીમાં છે, કારણ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતું પાર્ટીમાં જ એક જુથ એવું છે જે તેમને ઉદઘાટન સમારોહમાં નહીં જવા માટે સલાહ આપી રહ્યું છે. જો કે હવે ઉદિત રાજના રામ મંદિર અંગેના  નિવેદન બાદ બિજેપીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.