કોંગ્રેસના નેતા ઉદિત રાજનું રામ મંદિર અંગે વિવાદાસ્પદ નિવેદન '500 વર્ષ બાદ ફરી મનુવાદની વાપસી...'


  • Published By :
  • Published Date : 2024-01-01 15:22:24

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. આ પહેલા અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી નિવેદન સામે આવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળતા બિજેપી પર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા ઉદિત રાજનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 500 વર્ષ પછી મનુવાદ પરત ફરી રહ્યો છે.  


ઉદિત રાજે શું કહ્યું?


ઉદિત રાજે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું  કે ‘मतलब पाँच सौ वर्ष बाद मनुवाद की वापसी हो रही है।’તેમણે વધુમાં લખ્યું કે 'બિજેપી માત્ર દેખાડો કરી રહી છે, PM મોદી કોઈ રાજા છે શું, બિજેપી બંધારણને પણ નથી માનતી' અયોધ્યામાં મીરાના ઘરે જવા અંગે ઉદિત રાજે કહ્યું કે તે લાભાર્થી  નહીં પણ નિષાદના ઘરે ગયા હતા.


કોણ છે ઉદિત રાજ?


ઉલ્લેખનિય છે કે વર્ષ 2014માં ઉદિત રાજ બિજેપીના સાંસદ તરીકે ચુંટાયા હતા. તેમણે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી હતી. જો કે તે બિજેપીથી અલગ થઈ ગયા હતા. બાદમાં  તેમણે ઈન્ડિયન જસ્ટીસ પાર્ટી બનાવી હતી. ઉદિત રાજનું નિવેદન તેવા સમયે આવ્યું છે  જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવું કે નહીં તેને લઈ કોંગ્રેસ પાર્ટી અવઢવની સ્થિતીમાં છે, કારણ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતું પાર્ટીમાં જ એક જુથ એવું છે જે તેમને ઉદઘાટન સમારોહમાં નહીં જવા માટે સલાહ આપી રહ્યું છે. જો કે હવે ઉદિત રાજના રામ મંદિર અંગેના  નિવેદન બાદ બિજેપીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.