કોંગ્રેસના નેતા ઉદિત રાજનું રામ મંદિર અંગે વિવાદાસ્પદ નિવેદન '500 વર્ષ બાદ ફરી મનુવાદની વાપસી...'


  • Published By :
  • Published Date : 2024-01-01 15:22:24

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. આ પહેલા અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી નિવેદન સામે આવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળતા બિજેપી પર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા ઉદિત રાજનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 500 વર્ષ પછી મનુવાદ પરત ફરી રહ્યો છે.  


ઉદિત રાજે શું કહ્યું?


ઉદિત રાજે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું  કે ‘मतलब पाँच सौ वर्ष बाद मनुवाद की वापसी हो रही है।’તેમણે વધુમાં લખ્યું કે 'બિજેપી માત્ર દેખાડો કરી રહી છે, PM મોદી કોઈ રાજા છે શું, બિજેપી બંધારણને પણ નથી માનતી' અયોધ્યામાં મીરાના ઘરે જવા અંગે ઉદિત રાજે કહ્યું કે તે લાભાર્થી  નહીં પણ નિષાદના ઘરે ગયા હતા.


કોણ છે ઉદિત રાજ?


ઉલ્લેખનિય છે કે વર્ષ 2014માં ઉદિત રાજ બિજેપીના સાંસદ તરીકે ચુંટાયા હતા. તેમણે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી હતી. જો કે તે બિજેપીથી અલગ થઈ ગયા હતા. બાદમાં  તેમણે ઈન્ડિયન જસ્ટીસ પાર્ટી બનાવી હતી. ઉદિત રાજનું નિવેદન તેવા સમયે આવ્યું છે  જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવું કે નહીં તેને લઈ કોંગ્રેસ પાર્ટી અવઢવની સ્થિતીમાં છે, કારણ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતું પાર્ટીમાં જ એક જુથ એવું છે જે તેમને ઉદઘાટન સમારોહમાં નહીં જવા માટે સલાહ આપી રહ્યું છે. જો કે હવે ઉદિત રાજના રામ મંદિર અંગેના  નિવેદન બાદ બિજેપીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે