Gujaratમાં એક વિવાદ હજી શાંત નથી થયો ત્યાં BJPના વધુ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન! રાજા અને રાણી માટે કિરીટ પટેલે આપ્યું નિવેદન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-23 12:36:21

એક તરફ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને લઈ વિવાદ શાંત નથી થયો ત્યારે તો વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે... ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આંદોલનનો પાર્ટ 2 કરવાની ચિમકી પણ ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી.. આ બધા વચ્ચે ભાજપના વધુ એક નેતાએ રાજા અને રાણી માટે નિવેદન આપ્યું છે...

કિરીટ પટેલે કરી વિવાદાસ્પદ ટિપ્પણી!

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, અલગ અલગ નેતાઓ જનસભાઓ સંબોધી રહ્યા છે.. ઉમેદવાર તેમજ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા પરંતુ આ બધા વચ્ચે નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ શરૂ થયેલો વિરોધ શાંત નથી થયો ત્યારે તો ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.. જે નેતાની વાત અહીં કરવામાં આવી રહી છે તે નેતા છે કિરીટ પટેલ.. કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લાના બીજેપી પ્રમુખ છે... વિસાવદર ખાતે મધ્યસ્થી કાર્યાલયનું ઉદ્ધાટન હતું તે વખતે તેમણે નિવેદન આપ્યું છે જેને કારણે તે ચર્ચામાં આવ્યા છે.


શું કહ્યું કિરીટ પટેલે? 

કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગમાં કિટીટ પટેલે નિવેદન આપ્યું કે રાજાની પટરાણી ભલે વિકલાંગ હોઈ પણ તેના કૂખેથી જે દીકરો પેદા થતો હતો તેજ રાજા બનતો હતો . અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. એક તરફ પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ શરૂ થયેલા વિરોધને શાંત પાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વધુ એક નેતા દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે... નિવેદન આપ્યા બાદ તેમણે પોતાના નિવેદનને લઈ માફી પણ માગી. માફી માગતો એક વીડિયો સામે આવ્યો જેમાં તેમણે કહ્યું કે વિસાવદર ખાતેના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું....



પરષોત્તમ રૂપાલાએ પણ ક્ષત્રિય સમાજના લોકોને અપીલ કરી  

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ બની રહ્યો છે તેવું લાગી ગયું છે.. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા દ્વારા ફરી એક વખત ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે.  મોરબી ખાતે ઉપસ્થિત પરષોત્તમ રૂપાલાએ નાની મોટી વાતને દરગુજર કરવા અપીલ કરી ઉપરાંત સમર્થ ભારત બનાવવા માટે જોડાવા અપીલ કરી હતી.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.