Sabarkantha Loksabha સીટ પર વિવાદ યથાવત। ભાજપના કાર્યકરોની WhatsApp Chat Viral, જુઓ...


  • Published By :
  • Published Date : 2024-03-25 13:09:57

શનિવારે ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. એક બેઠક હતી સાબરકાંઠાની અને એક બેઠક હતી વડોદરાની. ગઈકાલે ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે જેમાં સાબરકાંઠા અને વડોદરાના ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે. સાબરકાંઠામાં ભીખાજીના બદલે શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. પણ જ્યારે ભીખજીએ ચૂંટણી લડવાની ના પાડી ત્યારથી જ વિરોધની આગ ફાટી નીકળી હતી. 

ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની દર્શાવી ઈચ્છા

ભાજપ દ્વારા 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવી ગયા છે. અનેક નામો એવા છે જે એકદમ નવા છે અને અનેક સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. શનિવારે બે ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની ઈચ્છા દર્શાવી.જેને કારણે ભાજપે બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવી પડી. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાબરકાંઠા લોકસભા ચૂંટણી માટે પહેલા બીજેપીએ ભીખાજી ઠાકોરેને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે બાદ શનિવારે એકદમ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી. તેમની જગ્યાએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી. આને કારણે કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. 


ઉમેદવાર તરીકે નામ જાહેર થતા શરૂ કરી દીધો હતો પ્રચાર!

અનેક મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં લખવામાં આવ્યું છે - તેમના માત્ર અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં માત્ર 240 મત બારૈયા સમાજના છે. આ કયા ક્ષત્રિય ઠાકોર થયા? આ પ્રકારના સ્ટેટ્સ અત્યારે વોટ્સઅપ પર ફરતા થયા છે કારણ શું તો સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી.  પછી તો ત્યાં પ્રચાર પણ શરૂ થઈ ગયો હતો અને અચાનકથી જ્યારે ભીખજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કે અંગત કારણો સર માંરે ચુંટણી નથી લડવી.


કાર્યકર્તાઓમાં જોવા મળી નારાજગી, મૂક્યું સ્ટેટ્સ કે.....  

ભીખાજી ઠાકોર દ્વારા જાહેરાત કરાયા બાદ એમના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. મેઘરજ નગરના તમામ સમર્થકોએ 'ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં'ના બેનરો સાથે રેલી યોજી કાઢી. સૂત્રોચ્ચાર કર્યો હતા  સમર્થકોએ ભીખાજી ઠાકોરને ફરી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવા માગ કરી છે. અરવલ્લી ભાજપના આંતરિક વિખવાદની વચ્ચે અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતે પણ ભીખાજીના સમર્થનમાં એકાએક રાજીનામું આપી દીધું હતું. 

 

ભીખાજી ઠાકોરે વ્યક્ત કર્યું હતું દર્દ 

આ પરિસ્થિતિ માત્ર સાબરકાંઠામાં નથી વડોદરામાં આવું જ જોવા મળી રહ્યું છે. રંજન બેનના સમર્થકો પણ નારાજ છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા બાદ જ્ઞાતિને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે આ વિવાદને કારણે ભીખાજીએ ઉમેદવારી પાછી ખેંચી હોય તેવું માનવમાં પણ આવી રહ્યું છે ભીખાજીએ જ્યારે લડવાની ના પાડી ત્યારે તેમણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.  

 

શા માટે ઉમેદવાર તરીકે કરવામાં આવી ભીખાજીની પસંદગી? 

ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાનું કારણ તો ભીખાજી ઠાકોર ભાજપમાં સક્રિય છે. અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ દરમિયાન તે એકવાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પદ પર રહ્યા હતા. સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ પદ પર છે. એટલે સહકારી ક્ષેત્રમાં ભીખાજીની નામના ખરી.આમ સમીકરણો સેટ કરી ને ટિકિટ આપી હતી પણ રાતોરાત સમીકરણો બદલાઈ ગયા તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો...  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.