Sabarkantha Loksabha સીટ પર વિવાદ યથાવત। ભાજપના કાર્યકરોની WhatsApp Chat Viral, જુઓ...


  • Published By :
  • Published Date : 2024-03-25 13:09:57

શનિવારે ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. એક બેઠક હતી સાબરકાંઠાની અને એક બેઠક હતી વડોદરાની. ગઈકાલે ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે જેમાં સાબરકાંઠા અને વડોદરાના ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે. સાબરકાંઠામાં ભીખાજીના બદલે શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. પણ જ્યારે ભીખજીએ ચૂંટણી લડવાની ના પાડી ત્યારથી જ વિરોધની આગ ફાટી નીકળી હતી. 

ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની દર્શાવી ઈચ્છા

ભાજપ દ્વારા 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવી ગયા છે. અનેક નામો એવા છે જે એકદમ નવા છે અને અનેક સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. શનિવારે બે ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની ઈચ્છા દર્શાવી.જેને કારણે ભાજપે બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવી પડી. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાબરકાંઠા લોકસભા ચૂંટણી માટે પહેલા બીજેપીએ ભીખાજી ઠાકોરેને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે બાદ શનિવારે એકદમ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી. તેમની જગ્યાએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી. આને કારણે કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. 


ઉમેદવાર તરીકે નામ જાહેર થતા શરૂ કરી દીધો હતો પ્રચાર!

અનેક મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં લખવામાં આવ્યું છે - તેમના માત્ર અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં માત્ર 240 મત બારૈયા સમાજના છે. આ કયા ક્ષત્રિય ઠાકોર થયા? આ પ્રકારના સ્ટેટ્સ અત્યારે વોટ્સઅપ પર ફરતા થયા છે કારણ શું તો સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી.  પછી તો ત્યાં પ્રચાર પણ શરૂ થઈ ગયો હતો અને અચાનકથી જ્યારે ભીખજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કે અંગત કારણો સર માંરે ચુંટણી નથી લડવી.


કાર્યકર્તાઓમાં જોવા મળી નારાજગી, મૂક્યું સ્ટેટ્સ કે.....  

ભીખાજી ઠાકોર દ્વારા જાહેરાત કરાયા બાદ એમના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. મેઘરજ નગરના તમામ સમર્થકોએ 'ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં'ના બેનરો સાથે રેલી યોજી કાઢી. સૂત્રોચ્ચાર કર્યો હતા  સમર્થકોએ ભીખાજી ઠાકોરને ફરી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવા માગ કરી છે. અરવલ્લી ભાજપના આંતરિક વિખવાદની વચ્ચે અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતે પણ ભીખાજીના સમર્થનમાં એકાએક રાજીનામું આપી દીધું હતું. 

 

ભીખાજી ઠાકોરે વ્યક્ત કર્યું હતું દર્દ 

આ પરિસ્થિતિ માત્ર સાબરકાંઠામાં નથી વડોદરામાં આવું જ જોવા મળી રહ્યું છે. રંજન બેનના સમર્થકો પણ નારાજ છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા બાદ જ્ઞાતિને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે આ વિવાદને કારણે ભીખાજીએ ઉમેદવારી પાછી ખેંચી હોય તેવું માનવમાં પણ આવી રહ્યું છે ભીખાજીએ જ્યારે લડવાની ના પાડી ત્યારે તેમણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.  

 

શા માટે ઉમેદવાર તરીકે કરવામાં આવી ભીખાજીની પસંદગી? 

ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાનું કારણ તો ભીખાજી ઠાકોર ભાજપમાં સક્રિય છે. અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ દરમિયાન તે એકવાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પદ પર રહ્યા હતા. સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ પદ પર છે. એટલે સહકારી ક્ષેત્રમાં ભીખાજીની નામના ખરી.આમ સમીકરણો સેટ કરી ને ટિકિટ આપી હતી પણ રાતોરાત સમીકરણો બદલાઈ ગયા તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો...  



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?