Sabarkantha Loksabha સીટ પર વિવાદ યથાવત। ભાજપના કાર્યકરોની WhatsApp Chat Viral, જુઓ...


  • Published By :
  • Published Date : 2024-03-25 13:09:57

શનિવારે ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. એક બેઠક હતી સાબરકાંઠાની અને એક બેઠક હતી વડોદરાની. ગઈકાલે ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે જેમાં સાબરકાંઠા અને વડોદરાના ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે. સાબરકાંઠામાં ભીખાજીના બદલે શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. પણ જ્યારે ભીખજીએ ચૂંટણી લડવાની ના પાડી ત્યારથી જ વિરોધની આગ ફાટી નીકળી હતી. 

ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની દર્શાવી ઈચ્છા

ભાજપ દ્વારા 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવી ગયા છે. અનેક નામો એવા છે જે એકદમ નવા છે અને અનેક સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. શનિવારે બે ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની ઈચ્છા દર્શાવી.જેને કારણે ભાજપે બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવી પડી. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાબરકાંઠા લોકસભા ચૂંટણી માટે પહેલા બીજેપીએ ભીખાજી ઠાકોરેને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે બાદ શનિવારે એકદમ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી. તેમની જગ્યાએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી. આને કારણે કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. 


ઉમેદવાર તરીકે નામ જાહેર થતા શરૂ કરી દીધો હતો પ્રચાર!

અનેક મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં લખવામાં આવ્યું છે - તેમના માત્ર અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં માત્ર 240 મત બારૈયા સમાજના છે. આ કયા ક્ષત્રિય ઠાકોર થયા? આ પ્રકારના સ્ટેટ્સ અત્યારે વોટ્સઅપ પર ફરતા થયા છે કારણ શું તો સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી.  પછી તો ત્યાં પ્રચાર પણ શરૂ થઈ ગયો હતો અને અચાનકથી જ્યારે ભીખજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કે અંગત કારણો સર માંરે ચુંટણી નથી લડવી.


કાર્યકર્તાઓમાં જોવા મળી નારાજગી, મૂક્યું સ્ટેટ્સ કે.....  

ભીખાજી ઠાકોર દ્વારા જાહેરાત કરાયા બાદ એમના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. મેઘરજ નગરના તમામ સમર્થકોએ 'ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં'ના બેનરો સાથે રેલી યોજી કાઢી. સૂત્રોચ્ચાર કર્યો હતા  સમર્થકોએ ભીખાજી ઠાકોરને ફરી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવા માગ કરી છે. અરવલ્લી ભાજપના આંતરિક વિખવાદની વચ્ચે અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતે પણ ભીખાજીના સમર્થનમાં એકાએક રાજીનામું આપી દીધું હતું. 

 

ભીખાજી ઠાકોરે વ્યક્ત કર્યું હતું દર્દ 

આ પરિસ્થિતિ માત્ર સાબરકાંઠામાં નથી વડોદરામાં આવું જ જોવા મળી રહ્યું છે. રંજન બેનના સમર્થકો પણ નારાજ છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા બાદ જ્ઞાતિને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે આ વિવાદને કારણે ભીખાજીએ ઉમેદવારી પાછી ખેંચી હોય તેવું માનવમાં પણ આવી રહ્યું છે ભીખાજીએ જ્યારે લડવાની ના પાડી ત્યારે તેમણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.  

 

શા માટે ઉમેદવાર તરીકે કરવામાં આવી ભીખાજીની પસંદગી? 

ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાનું કારણ તો ભીખાજી ઠાકોર ભાજપમાં સક્રિય છે. અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ દરમિયાન તે એકવાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પદ પર રહ્યા હતા. સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ પદ પર છે. એટલે સહકારી ક્ષેત્રમાં ભીખાજીની નામના ખરી.આમ સમીકરણો સેટ કરી ને ટિકિટ આપી હતી પણ રાતોરાત સમીકરણો બદલાઈ ગયા તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો...  



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.