'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું' ખડગેના નિવેદનથી વિવાદ, ભાજપે મુસ્લિમોનું અપમાન ગણાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 08:42:36

પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે જંગ થવાની છે
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે


કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જંગ થવાની છે. આ ચૂંટણીના પ્રચાર માટે મલ્લિકાર્જુન ખડગે બુધવારે ભોપાલમાં હતા. જ્યાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ આ દરમિયાન તેમણે આપેલા એક નિવેદનના કારણે ભારે વિવાદ ઊભો થયો છે. પત્રકારોએ 2024ની ચૂંટણી અંગે સવાલ પૂછ્યા હતા જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'બકરી ઈદ પર બચીશું, તો મોહર્રમમાં નાચીશું.' તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે અને ભાજપ તેને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું છે.


ભોપાલમાં જ્યારે મલ્લિકાર્જુન ખડગેને પૂછવામાં આવ્યું કે શું આગામી 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ અંગે તેમણે જણાવ્યું હતું કે પહેલા આ આંતરિક ચૂંટણી તો થઈ જાય. બાદમાં તેમણે એક કહેવત કહી હતી કે, 'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું.'


તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે..


કોંગ્રેસના પ્રથમ પરિવાર દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રોક્સી અધ્યક્ષ પદના ઉમેદવારને પૂછવામાં આવ્યું કે 2024માં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે, તેમનો જવાબ હતો કે, બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું. મોહર્રમ કોઈ ઉજવણી નથી પરંતુ માતમ છે! આ મુસ્લિમોનું અપમાન છે.


પૂનાવાલાએ જણાવ્યુ હતું કે, ખડગેનું નિવેદન એક પાર્ટી તરીકે કોંગ્રેસના નબળા વિચારોનું પ્રતિબિંબ છે. આ રાહુલ ગાંધી અને તેમની મહત્વાકાંક્ષાઓ માટે આંખો ઉઘાડનારું હોવું જોઈએ. નોંધનીય છે કે 80 વર્ષીય ખડગે 17 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં શશિ થરૂરનો સામનો કરશે. આ ચૂંટણીના પરિણામો 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.