'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું' ખડગેના નિવેદનથી વિવાદ, ભાજપે મુસ્લિમોનું અપમાન ગણાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 08:42:36

પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે જંગ થવાની છે
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે


કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જંગ થવાની છે. આ ચૂંટણીના પ્રચાર માટે મલ્લિકાર્જુન ખડગે બુધવારે ભોપાલમાં હતા. જ્યાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ આ દરમિયાન તેમણે આપેલા એક નિવેદનના કારણે ભારે વિવાદ ઊભો થયો છે. પત્રકારોએ 2024ની ચૂંટણી અંગે સવાલ પૂછ્યા હતા જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'બકરી ઈદ પર બચીશું, તો મોહર્રમમાં નાચીશું.' તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે અને ભાજપ તેને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું છે.


ભોપાલમાં જ્યારે મલ્લિકાર્જુન ખડગેને પૂછવામાં આવ્યું કે શું આગામી 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ અંગે તેમણે જણાવ્યું હતું કે પહેલા આ આંતરિક ચૂંટણી તો થઈ જાય. બાદમાં તેમણે એક કહેવત કહી હતી કે, 'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું.'


તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે..


કોંગ્રેસના પ્રથમ પરિવાર દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રોક્સી અધ્યક્ષ પદના ઉમેદવારને પૂછવામાં આવ્યું કે 2024માં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે, તેમનો જવાબ હતો કે, બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું. મોહર્રમ કોઈ ઉજવણી નથી પરંતુ માતમ છે! આ મુસ્લિમોનું અપમાન છે.


પૂનાવાલાએ જણાવ્યુ હતું કે, ખડગેનું નિવેદન એક પાર્ટી તરીકે કોંગ્રેસના નબળા વિચારોનું પ્રતિબિંબ છે. આ રાહુલ ગાંધી અને તેમની મહત્વાકાંક્ષાઓ માટે આંખો ઉઘાડનારું હોવું જોઈએ. નોંધનીય છે કે 80 વર્ષીય ખડગે 17 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં શશિ થરૂરનો સામનો કરશે. આ ચૂંટણીના પરિણામો 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .