'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું' ખડગેના નિવેદનથી વિવાદ, ભાજપે મુસ્લિમોનું અપમાન ગણાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 08:42:36

પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે જંગ થવાની છે
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે


કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જંગ થવાની છે. આ ચૂંટણીના પ્રચાર માટે મલ્લિકાર્જુન ખડગે બુધવારે ભોપાલમાં હતા. જ્યાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ આ દરમિયાન તેમણે આપેલા એક નિવેદનના કારણે ભારે વિવાદ ઊભો થયો છે. પત્રકારોએ 2024ની ચૂંટણી અંગે સવાલ પૂછ્યા હતા જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'બકરી ઈદ પર બચીશું, તો મોહર્રમમાં નાચીશું.' તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે અને ભાજપ તેને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું છે.


ભોપાલમાં જ્યારે મલ્લિકાર્જુન ખડગેને પૂછવામાં આવ્યું કે શું આગામી 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ અંગે તેમણે જણાવ્યું હતું કે પહેલા આ આંતરિક ચૂંટણી તો થઈ જાય. બાદમાં તેમણે એક કહેવત કહી હતી કે, 'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું.'


તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે..


કોંગ્રેસના પ્રથમ પરિવાર દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રોક્સી અધ્યક્ષ પદના ઉમેદવારને પૂછવામાં આવ્યું કે 2024માં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે, તેમનો જવાબ હતો કે, બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું. મોહર્રમ કોઈ ઉજવણી નથી પરંતુ માતમ છે! આ મુસ્લિમોનું અપમાન છે.


પૂનાવાલાએ જણાવ્યુ હતું કે, ખડગેનું નિવેદન એક પાર્ટી તરીકે કોંગ્રેસના નબળા વિચારોનું પ્રતિબિંબ છે. આ રાહુલ ગાંધી અને તેમની મહત્વાકાંક્ષાઓ માટે આંખો ઉઘાડનારું હોવું જોઈએ. નોંધનીય છે કે 80 વર્ષીય ખડગે 17 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં શશિ થરૂરનો સામનો કરશે. આ ચૂંટણીના પરિણામો 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.