'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું' ખડગેના નિવેદનથી વિવાદ, ભાજપે મુસ્લિમોનું અપમાન ગણાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 08:42:36

પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે જંગ થવાની છે
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે


કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જંગ થવાની છે. આ ચૂંટણીના પ્રચાર માટે મલ્લિકાર્જુન ખડગે બુધવારે ભોપાલમાં હતા. જ્યાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ આ દરમિયાન તેમણે આપેલા એક નિવેદનના કારણે ભારે વિવાદ ઊભો થયો છે. પત્રકારોએ 2024ની ચૂંટણી અંગે સવાલ પૂછ્યા હતા જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'બકરી ઈદ પર બચીશું, તો મોહર્રમમાં નાચીશું.' તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે અને ભાજપ તેને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું છે.


ભોપાલમાં જ્યારે મલ્લિકાર્જુન ખડગેને પૂછવામાં આવ્યું કે શું આગામી 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ અંગે તેમણે જણાવ્યું હતું કે પહેલા આ આંતરિક ચૂંટણી તો થઈ જાય. બાદમાં તેમણે એક કહેવત કહી હતી કે, 'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું.'


તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે..


કોંગ્રેસના પ્રથમ પરિવાર દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રોક્સી અધ્યક્ષ પદના ઉમેદવારને પૂછવામાં આવ્યું કે 2024માં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે, તેમનો જવાબ હતો કે, બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું. મોહર્રમ કોઈ ઉજવણી નથી પરંતુ માતમ છે! આ મુસ્લિમોનું અપમાન છે.


પૂનાવાલાએ જણાવ્યુ હતું કે, ખડગેનું નિવેદન એક પાર્ટી તરીકે કોંગ્રેસના નબળા વિચારોનું પ્રતિબિંબ છે. આ રાહુલ ગાંધી અને તેમની મહત્વાકાંક્ષાઓ માટે આંખો ઉઘાડનારું હોવું જોઈએ. નોંધનીય છે કે 80 વર્ષીય ખડગે 17 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં શશિ થરૂરનો સામનો કરશે. આ ચૂંટણીના પરિણામો 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે