જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધશે, દેશ માટે આગામી 40 દિવસ ખુબ જ મહત્વના


  • Published By :
  • Published Date : 2022-12-28 19:44:34

ચીનમાં વધેલા કોરોના સંક્રમણે દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. ભારત પર પણ કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોવિડના કેસ જાન્યુઆરી મહિનામાં વધશે. આ સ્થિતીમાં આગામી 40 દિવસ દેશ માટે ખુબ જ મહત્વના મનાઈ રહ્યા છે. સત્તાવાર સુત્રોએ રોગચાળો ફેલાવાની ઝડપ અંગેના ભૂતકાળના અનુભવથી આ અનુમાન લગાવવામાં આવ્યું છે.


જાન્યુઆરી મહિનામાં કેસ વધશે


આરોગ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા પણ આવું થયું હતું  કે પૂર્વ એશિયાના દેશો કોરોનાની ઝપેટમાં આવ્યા પછી ભારતમાં 30-35 દિવસમાં જ કોરોનાની પહેલી લહેર આવી હતી. જો કે એવું પણ કહેવાય છે કે સંક્રમણની ગંભીરતા ઓછી થઈ છે. જો  દેશમાં કોરોનાની લહેર આવે છે તો તેનાથી થનારાના મોત અને સંક્રમિતોની સંખ્યા ખુબ જ ઓછી રહેશે.  


બીએફ.7થી સંક્રમણમાં વૃધ્ધી


ચીન ઉપરાંત જાપાન, થાઈલેન્ડ, અમેરિકા સહિતના દેશમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ બીએફ. 7 થી સંક્રમણ વધ્યું છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે બીએફ.7 ના ફેલાવાનો દર ખુબ જ વધુ હોય છે અને એક સંક્રમિત વ્યક્તિ 16 જણાને સંક્રમિત કરી શકે છે. ભારતમાં ધીરે-ધીરે સંક્રમણ વધી રહ્યું છે.


સીરમ ઇન્સ્ટિટ્યૂટની વિના મૂલ્યે ડોઝ આપવાની ઓફર


કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવનાર દેશની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે આરોગ્ય મંત્રાલયને પત્ર લખીને 410 કરોડ રૂપિયાના ડોઝ વિના મૂલ્યે આપવાની ઓફર કરી છે. જાણવા મળ્યું છે કે કંપનીએ મંત્રાલય પાસેથી એ જાણવાની માંગ કરી છે કે અમારે 2 કરોડ ડોઝની ડિલિવરી કેવી રીતે આપવી. સિરમે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સરકારને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 170 કરોડથી વધુ ડોઝ પૂરા પાડ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.