જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધશે, દેશ માટે આગામી 40 દિવસ ખુબ જ મહત્વના


  • Published By :
  • Published Date : 2022-12-28 19:44:34

ચીનમાં વધેલા કોરોના સંક્રમણે દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. ભારત પર પણ કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોવિડના કેસ જાન્યુઆરી મહિનામાં વધશે. આ સ્થિતીમાં આગામી 40 દિવસ દેશ માટે ખુબ જ મહત્વના મનાઈ રહ્યા છે. સત્તાવાર સુત્રોએ રોગચાળો ફેલાવાની ઝડપ અંગેના ભૂતકાળના અનુભવથી આ અનુમાન લગાવવામાં આવ્યું છે.


જાન્યુઆરી મહિનામાં કેસ વધશે


આરોગ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા પણ આવું થયું હતું  કે પૂર્વ એશિયાના દેશો કોરોનાની ઝપેટમાં આવ્યા પછી ભારતમાં 30-35 દિવસમાં જ કોરોનાની પહેલી લહેર આવી હતી. જો કે એવું પણ કહેવાય છે કે સંક્રમણની ગંભીરતા ઓછી થઈ છે. જો  દેશમાં કોરોનાની લહેર આવે છે તો તેનાથી થનારાના મોત અને સંક્રમિતોની સંખ્યા ખુબ જ ઓછી રહેશે.  


બીએફ.7થી સંક્રમણમાં વૃધ્ધી


ચીન ઉપરાંત જાપાન, થાઈલેન્ડ, અમેરિકા સહિતના દેશમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ બીએફ. 7 થી સંક્રમણ વધ્યું છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે બીએફ.7 ના ફેલાવાનો દર ખુબ જ વધુ હોય છે અને એક સંક્રમિત વ્યક્તિ 16 જણાને સંક્રમિત કરી શકે છે. ભારતમાં ધીરે-ધીરે સંક્રમણ વધી રહ્યું છે.


સીરમ ઇન્સ્ટિટ્યૂટની વિના મૂલ્યે ડોઝ આપવાની ઓફર


કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવનાર દેશની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે આરોગ્ય મંત્રાલયને પત્ર લખીને 410 કરોડ રૂપિયાના ડોઝ વિના મૂલ્યે આપવાની ઓફર કરી છે. જાણવા મળ્યું છે કે કંપનીએ મંત્રાલય પાસેથી એ જાણવાની માંગ કરી છે કે અમારે 2 કરોડ ડોઝની ડિલિવરી કેવી રીતે આપવી. સિરમે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સરકારને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 170 કરોડથી વધુ ડોઝ પૂરા પાડ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.