જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધશે, દેશ માટે આગામી 40 દિવસ ખુબ જ મહત્વના


  • Published By :
  • Published Date : 2022-12-28 19:44:34

ચીનમાં વધેલા કોરોના સંક્રમણે દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. ભારત પર પણ કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોવિડના કેસ જાન્યુઆરી મહિનામાં વધશે. આ સ્થિતીમાં આગામી 40 દિવસ દેશ માટે ખુબ જ મહત્વના મનાઈ રહ્યા છે. સત્તાવાર સુત્રોએ રોગચાળો ફેલાવાની ઝડપ અંગેના ભૂતકાળના અનુભવથી આ અનુમાન લગાવવામાં આવ્યું છે.


જાન્યુઆરી મહિનામાં કેસ વધશે


આરોગ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા પણ આવું થયું હતું  કે પૂર્વ એશિયાના દેશો કોરોનાની ઝપેટમાં આવ્યા પછી ભારતમાં 30-35 દિવસમાં જ કોરોનાની પહેલી લહેર આવી હતી. જો કે એવું પણ કહેવાય છે કે સંક્રમણની ગંભીરતા ઓછી થઈ છે. જો  દેશમાં કોરોનાની લહેર આવે છે તો તેનાથી થનારાના મોત અને સંક્રમિતોની સંખ્યા ખુબ જ ઓછી રહેશે.  


બીએફ.7થી સંક્રમણમાં વૃધ્ધી


ચીન ઉપરાંત જાપાન, થાઈલેન્ડ, અમેરિકા સહિતના દેશમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ બીએફ. 7 થી સંક્રમણ વધ્યું છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે બીએફ.7 ના ફેલાવાનો દર ખુબ જ વધુ હોય છે અને એક સંક્રમિત વ્યક્તિ 16 જણાને સંક્રમિત કરી શકે છે. ભારતમાં ધીરે-ધીરે સંક્રમણ વધી રહ્યું છે.


સીરમ ઇન્સ્ટિટ્યૂટની વિના મૂલ્યે ડોઝ આપવાની ઓફર


કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવનાર દેશની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે આરોગ્ય મંત્રાલયને પત્ર લખીને 410 કરોડ રૂપિયાના ડોઝ વિના મૂલ્યે આપવાની ઓફર કરી છે. જાણવા મળ્યું છે કે કંપનીએ મંત્રાલય પાસેથી એ જાણવાની માંગ કરી છે કે અમારે 2 કરોડ ડોઝની ડિલિવરી કેવી રીતે આપવી. સિરમે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સરકારને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 170 કરોડથી વધુ ડોઝ પૂરા પાડ્યા છે.



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.