ગુજરાતમાં કોરોનાના આજે નવા 58 કેસ, અમદાવાદમાં સૌથી વધુ અમદાવાદમાં 30 દર્દી નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-03-14 20:48:57

ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે મંગળવાર 14 માર્ચના રોજ કોવિડ 19ના નવા 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ 268 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટીલેટર પર 05 અને 263 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે આ કોરોના વાયરસ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 11,047 લોકોને ભરખી ચૂક્યો છે.


વિવિધ જિલ્લામાં કેટલા કેસ?


રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 30 કેસ નોંધાયા છે. જે પૈકી 18 કેસ શહેરી વિસ્તાર, તો એક પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. તે ઉપરાંત ભાવનગર કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 1, રાજકોટ 4, અમરેલી 3, મહેસાણા 2, સુરત 3, અમદાવાદ 1, રાજકોટ શહેરમાં 2 તેમજ ગાંધીનગર જિલ્લામાં 2 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 3, પોરબંદરમાં 2 તેમજ બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,66,759 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.