ગુજરાતમાં કોરોનાના આજે નવા 58 કેસ, અમદાવાદમાં સૌથી વધુ અમદાવાદમાં 30 દર્દી નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-03-14 20:48:57

ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે મંગળવાર 14 માર્ચના રોજ કોવિડ 19ના નવા 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ 268 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટીલેટર પર 05 અને 263 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે આ કોરોના વાયરસ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 11,047 લોકોને ભરખી ચૂક્યો છે.


વિવિધ જિલ્લામાં કેટલા કેસ?


રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 30 કેસ નોંધાયા છે. જે પૈકી 18 કેસ શહેરી વિસ્તાર, તો એક પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. તે ઉપરાંત ભાવનગર કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 1, રાજકોટ 4, અમરેલી 3, મહેસાણા 2, સુરત 3, અમદાવાદ 1, રાજકોટ શહેરમાં 2 તેમજ ગાંધીનગર જિલ્લામાં 2 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 3, પોરબંદરમાં 2 તેમજ બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,66,759 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.