રાજ્યમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી, આજે નવા 324 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 2220એ પહોંચ્યો, અમદાવાદમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-04-04 22:02:44

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે રાજ્યમાં લોકો અને સરકાર તકેદારી નહીં રાખે તો સ્થિતી વિસ્ફોટક બની શકે છે. રાજ્યમાંછેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો વધીને 2220 પર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ પણ 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે કોરોનાના કારણે અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. આ વૃદ્ધને હાઇપર ટેન્શનની બીમારી હતી.


કોરોનાના કુલ 2220 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2220 દર્દીઓ છે, રાજ્યમાં  317 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 12,70,154  દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11056 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હાલ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.96 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે. 112 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 38 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 48 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં નવા 21 કેસ નોંધાયા છે. મોરબીમાં 15 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 25 કેસ નોંધાયા છે. અમરેલીમાં 11 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 8 કેસ સામે આવ્યા છે. જામનગરમાં 9 કેસ સામે આવ્યા છે. જ્યારે વલસાડમાં પણ 7 કેસ નોંધાયા છે. ભાવનગરમાં નવા 6 કેસ નોંધાયા છે. પાટણમાં નવા 5 કેસ સામે આવ્યા છે. ખેડામાં 4 કેસ, કચ્છમાં 4 કેસ, પંચમહાલમાં પણ 4 કેસ સામે આવ્યા છે. જ્યારે આણંદમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ અને પોરબંદરમાં પણ 3 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને તાપી જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.