રાજ્યમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી, આજે નવા 324 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 2220એ પહોંચ્યો, અમદાવાદમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-04-04 22:02:44

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે રાજ્યમાં લોકો અને સરકાર તકેદારી નહીં રાખે તો સ્થિતી વિસ્ફોટક બની શકે છે. રાજ્યમાંછેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો વધીને 2220 પર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ પણ 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે કોરોનાના કારણે અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. આ વૃદ્ધને હાઇપર ટેન્શનની બીમારી હતી.


કોરોનાના કુલ 2220 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2220 દર્દીઓ છે, રાજ્યમાં  317 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 12,70,154  દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11056 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હાલ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.96 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે. 112 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 38 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 48 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં નવા 21 કેસ નોંધાયા છે. મોરબીમાં 15 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 25 કેસ નોંધાયા છે. અમરેલીમાં 11 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 8 કેસ સામે આવ્યા છે. જામનગરમાં 9 કેસ સામે આવ્યા છે. જ્યારે વલસાડમાં પણ 7 કેસ નોંધાયા છે. ભાવનગરમાં નવા 6 કેસ નોંધાયા છે. પાટણમાં નવા 5 કેસ સામે આવ્યા છે. ખેડામાં 4 કેસ, કચ્છમાં 4 કેસ, પંચમહાલમાં પણ 4 કેસ સામે આવ્યા છે. જ્યારે આણંદમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ અને પોરબંદરમાં પણ 3 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને તાપી જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.