રાજ્યમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી, આજે નવા 324 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 2220એ પહોંચ્યો, અમદાવાદમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-04-04 22:02:44

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે રાજ્યમાં લોકો અને સરકાર તકેદારી નહીં રાખે તો સ્થિતી વિસ્ફોટક બની શકે છે. રાજ્યમાંછેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો વધીને 2220 પર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ પણ 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે કોરોનાના કારણે અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. આ વૃદ્ધને હાઇપર ટેન્શનની બીમારી હતી.


કોરોનાના કુલ 2220 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2220 દર્દીઓ છે, રાજ્યમાં  317 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 12,70,154  દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11056 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હાલ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.96 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે. 112 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 38 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 48 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં નવા 21 કેસ નોંધાયા છે. મોરબીમાં 15 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 25 કેસ નોંધાયા છે. અમરેલીમાં 11 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 8 કેસ સામે આવ્યા છે. જામનગરમાં 9 કેસ સામે આવ્યા છે. જ્યારે વલસાડમાં પણ 7 કેસ નોંધાયા છે. ભાવનગરમાં નવા 6 કેસ નોંધાયા છે. પાટણમાં નવા 5 કેસ સામે આવ્યા છે. ખેડામાં 4 કેસ, કચ્છમાં 4 કેસ, પંચમહાલમાં પણ 4 કેસ સામે આવ્યા છે. જ્યારે આણંદમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ અને પોરબંદરમાં પણ 3 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને તાપી જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે