ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ, સૌથી વધુ 120 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે, વલસાડમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-26 20:51:29

ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ચિંતા ફરી વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જેની સામે 134 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 5 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વલસાડમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે. આમ, છેલ્લા 5 દિવસમાં કોરોનાને કારણે 5 દર્દીના મોત નીપજ્યા છે. 


કોરોનાના 1697  એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસએ ચિંતા વધારી છે, રાજ્યમાં કુલ 1697 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1692 દર્દીની તબિયત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,419 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


કયા શહેરમાં કેટલા કેસ?


રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 120 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન - 30, સુરત કોર્પોરેશન - 25, મોરબી - 17, વડોદરા - 16, રાજકોટ - 14, વડોદરા કોર્પોરેશન - 14, સુરત - 8, અમરેલી - 6, જામનગર કોર્પોરેશન - 6, મહેસાણા - 6,  સાબરકાંઠા - 6, ભાવનગર કોર્પોરેશન - 5, કચ્છ - 5, બનાસકાંઠા-4, પાટણ - 4, વલસાડ - 4, ગાંધીનગર કોર્પોરેશન - 3, પોરબંદર - 3અમદાવાદ-2 આણંદ - 2,નવસારી - 2, ભરૂચ - 1, ભાવનગર - 1 અને ખેડામાં - 1 નોંધાયા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.