ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ, સૌથી વધુ 120 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે, વલસાડમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-26 20:51:29

ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ચિંતા ફરી વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જેની સામે 134 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 5 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વલસાડમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે. આમ, છેલ્લા 5 દિવસમાં કોરોનાને કારણે 5 દર્દીના મોત નીપજ્યા છે. 


કોરોનાના 1697  એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસએ ચિંતા વધારી છે, રાજ્યમાં કુલ 1697 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1692 દર્દીની તબિયત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,419 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


કયા શહેરમાં કેટલા કેસ?


રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 120 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન - 30, સુરત કોર્પોરેશન - 25, મોરબી - 17, વડોદરા - 16, રાજકોટ - 14, વડોદરા કોર્પોરેશન - 14, સુરત - 8, અમરેલી - 6, જામનગર કોર્પોરેશન - 6, મહેસાણા - 6,  સાબરકાંઠા - 6, ભાવનગર કોર્પોરેશન - 5, કચ્છ - 5, બનાસકાંઠા-4, પાટણ - 4, વલસાડ - 4, ગાંધીનગર કોર્પોરેશન - 3, પોરબંદર - 3અમદાવાદ-2 આણંદ - 2,નવસારી - 2, ભરૂચ - 1, ભાવનગર - 1 અને ખેડામાં - 1 નોંધાયા છે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.