નવા વર્ષે કોરોનાના સબ વેરિયેન્ટ JN.1એ ચિંતા વધારી, ગત સપ્તાહમાં કેસ 22 ટકા વધ્યા


  • Published By :
  • Published Date : 2024-01-01 14:36:31

દેશમાં કોરોનાના કેસમાં વૃધ્ધી જોવા મળી રહી છે, સ્થિતી એ છે કે છેલ્લા ગત સપ્તાહની તુલનામાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ કેસમાં 22 ટકાની વૃધ્ધી નોંધવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 7 મહિનામાં પહેલી વખત કેસની સંખ્યા 800ને પાર પહોંચી ગઈ છે. આંકડાઓ જોતા જેન.1ના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેન.1 વેરિયેન્ટ સંક્રમણ પહેલાથી તેની ચરમ પર પહોચી ચુક્યું છે. કેરળમાં વર્તમાનમાં સૌથી વધુ સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.


7 મહિના પહેલા સૌથી વધુ કેસ


ભારતમાં શનિવારે 4652 નવા કેસ નોંધાયા છે, છેલ્લા 7 દિવસોમાં 3,818 કેસ હતા. સપ્તાહમાં વાયરસથી 17થી વધીને 29 મોત થયા છે. શનિવારે 3 મોતની સાથે જ કેસની સંખ્યા વધીને 841 થઈ ગઈ છે. જે આ વર્ષે 18 મે બાદ સૌથી વધુ કેસ છે. ઉલ્લેખનિય છે કે કેરળમાં સપ્તાહ દરમિયાન 2,282 નવા કેસ નોંધાયા છે. છેલ્લા સપ્તાહની તુલનામાં 24 કલાક ઓછા છે, છેલ્લા સપ્તાહમાં આ સંખ્યા 3,018  હતી. આ તે બાબત દર્શાવે છે કે રાજ્યમાં કેસ પહેલાથી જ ટોચ પર પહોંચી ચુકી છે. દેશમાં નોંધાયેલા તમામ કેસમાંથી 50 ટકાથી પણ ઓછા કેસ રાજ્યમાં છે.  


ધીરે-ધીરે દેશમાં ફેલાઈ રહ્યો છે JN.1


કેરળમાં કેસ હવે ઘટી રહ્યા છે, પણ અન્ય રાજ્યોમાં ખાસ કરીને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે. કેરળ ઉપરાંત કર્ણાટક એકમાત્ર રાજ્ય થે જ્યાં રોજીંદા કેસની સંખ્યા 100 ઉપર પહોંચી ગઈ છે. કર્ણાટકમાં છેલ્લા સપ્તાહમાં 922 કેસ નોંધાયા હતા. જે ત્રણ ગણા વધુ છે. છેલ્લા 7 દિવસમાં 309 કેસ નોંધાયા હતા, આ જ પ્રકારે મહારાષ્ટ્રમાં ગત સપ્તાહથી 103થી વધીને 620 થઈ ગયા છે. શરૂઆતમાં માત્ર 8-9 રાજ્યોમાં જ કેસ નોંધાતા હતા પણ હવે તો ઓમીક્રોનનો નવો સબ વેરિયેન્ટ, JN.1 સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે