નવા વર્ષે કોરોનાના સબ વેરિયેન્ટ JN.1એ ચિંતા વધારી, ગત સપ્તાહમાં કેસ 22 ટકા વધ્યા


  • Published By :
  • Published Date : 2024-01-01 14:36:31

દેશમાં કોરોનાના કેસમાં વૃધ્ધી જોવા મળી રહી છે, સ્થિતી એ છે કે છેલ્લા ગત સપ્તાહની તુલનામાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ કેસમાં 22 ટકાની વૃધ્ધી નોંધવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 7 મહિનામાં પહેલી વખત કેસની સંખ્યા 800ને પાર પહોંચી ગઈ છે. આંકડાઓ જોતા જેન.1ના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેન.1 વેરિયેન્ટ સંક્રમણ પહેલાથી તેની ચરમ પર પહોચી ચુક્યું છે. કેરળમાં વર્તમાનમાં સૌથી વધુ સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.


7 મહિના પહેલા સૌથી વધુ કેસ


ભારતમાં શનિવારે 4652 નવા કેસ નોંધાયા છે, છેલ્લા 7 દિવસોમાં 3,818 કેસ હતા. સપ્તાહમાં વાયરસથી 17થી વધીને 29 મોત થયા છે. શનિવારે 3 મોતની સાથે જ કેસની સંખ્યા વધીને 841 થઈ ગઈ છે. જે આ વર્ષે 18 મે બાદ સૌથી વધુ કેસ છે. ઉલ્લેખનિય છે કે કેરળમાં સપ્તાહ દરમિયાન 2,282 નવા કેસ નોંધાયા છે. છેલ્લા સપ્તાહની તુલનામાં 24 કલાક ઓછા છે, છેલ્લા સપ્તાહમાં આ સંખ્યા 3,018  હતી. આ તે બાબત દર્શાવે છે કે રાજ્યમાં કેસ પહેલાથી જ ટોચ પર પહોંચી ચુકી છે. દેશમાં નોંધાયેલા તમામ કેસમાંથી 50 ટકાથી પણ ઓછા કેસ રાજ્યમાં છે.  


ધીરે-ધીરે દેશમાં ફેલાઈ રહ્યો છે JN.1


કેરળમાં કેસ હવે ઘટી રહ્યા છે, પણ અન્ય રાજ્યોમાં ખાસ કરીને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે. કેરળ ઉપરાંત કર્ણાટક એકમાત્ર રાજ્ય થે જ્યાં રોજીંદા કેસની સંખ્યા 100 ઉપર પહોંચી ગઈ છે. કર્ણાટકમાં છેલ્લા સપ્તાહમાં 922 કેસ નોંધાયા હતા. જે ત્રણ ગણા વધુ છે. છેલ્લા 7 દિવસમાં 309 કેસ નોંધાયા હતા, આ જ પ્રકારે મહારાષ્ટ્રમાં ગત સપ્તાહથી 103થી વધીને 620 થઈ ગયા છે. શરૂઆતમાં માત્ર 8-9 રાજ્યોમાં જ કેસ નોંધાતા હતા પણ હવે તો ઓમીક્રોનનો નવો સબ વેરિયેન્ટ, JN.1 સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.