નવા વર્ષે કોરોનાના સબ વેરિયેન્ટ JN.1એ ચિંતા વધારી, ગત સપ્તાહમાં કેસ 22 ટકા વધ્યા


  • Published By :
  • Published Date : 2024-01-01 14:36:31

દેશમાં કોરોનાના કેસમાં વૃધ્ધી જોવા મળી રહી છે, સ્થિતી એ છે કે છેલ્લા ગત સપ્તાહની તુલનામાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ કેસમાં 22 ટકાની વૃધ્ધી નોંધવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 7 મહિનામાં પહેલી વખત કેસની સંખ્યા 800ને પાર પહોંચી ગઈ છે. આંકડાઓ જોતા જેન.1ના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેન.1 વેરિયેન્ટ સંક્રમણ પહેલાથી તેની ચરમ પર પહોચી ચુક્યું છે. કેરળમાં વર્તમાનમાં સૌથી વધુ સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.


7 મહિના પહેલા સૌથી વધુ કેસ


ભારતમાં શનિવારે 4652 નવા કેસ નોંધાયા છે, છેલ્લા 7 દિવસોમાં 3,818 કેસ હતા. સપ્તાહમાં વાયરસથી 17થી વધીને 29 મોત થયા છે. શનિવારે 3 મોતની સાથે જ કેસની સંખ્યા વધીને 841 થઈ ગઈ છે. જે આ વર્ષે 18 મે બાદ સૌથી વધુ કેસ છે. ઉલ્લેખનિય છે કે કેરળમાં સપ્તાહ દરમિયાન 2,282 નવા કેસ નોંધાયા છે. છેલ્લા સપ્તાહની તુલનામાં 24 કલાક ઓછા છે, છેલ્લા સપ્તાહમાં આ સંખ્યા 3,018  હતી. આ તે બાબત દર્શાવે છે કે રાજ્યમાં કેસ પહેલાથી જ ટોચ પર પહોંચી ચુકી છે. દેશમાં નોંધાયેલા તમામ કેસમાંથી 50 ટકાથી પણ ઓછા કેસ રાજ્યમાં છે.  


ધીરે-ધીરે દેશમાં ફેલાઈ રહ્યો છે JN.1


કેરળમાં કેસ હવે ઘટી રહ્યા છે, પણ અન્ય રાજ્યોમાં ખાસ કરીને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે. કેરળ ઉપરાંત કર્ણાટક એકમાત્ર રાજ્ય થે જ્યાં રોજીંદા કેસની સંખ્યા 100 ઉપર પહોંચી ગઈ છે. કર્ણાટકમાં છેલ્લા સપ્તાહમાં 922 કેસ નોંધાયા હતા. જે ત્રણ ગણા વધુ છે. છેલ્લા 7 દિવસમાં 309 કેસ નોંધાયા હતા, આ જ પ્રકારે મહારાષ્ટ્રમાં ગત સપ્તાહથી 103થી વધીને 620 થઈ ગયા છે. શરૂઆતમાં માત્ર 8-9 રાજ્યોમાં જ કેસ નોંધાતા હતા પણ હવે તો ઓમીક્રોનનો નવો સબ વેરિયેન્ટ, JN.1 સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.