ભારતમાં વધતા કોરોનાના કેસ પાછળ નવું સબ વેરિઅન્ટ XBB 1.16 જવાબદાર? જાણો કેટલું છે ખતરનાક?


  • Published By :
  • Published Date : 2023-03-18 18:24:57

ભારતમાં શનિવારે 126 દિવસ બાદ એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 800થી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 843 કેસ નોંધાયા છે. દેશમાં કોવિડના કેસ પણ ત્યારે જ વધી રહ્યા જ્યારે ઈન્ફ્લુએન્ઝા H3N2 વાયરસ એક્ટિવ છે. વધતા કોરોનાના કેસ પાછળ કોરોના સબ વેરિયન્ટ XBB 1.16 અને XBB 1.15ને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોએ પણ દેશમાં કોરાનાના નવા વેરિયેન્ટના પગલે નવી લહેરની આશંકા વ્યક્ત કરી છે.


ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ વધ્યા


કોરોના વેરિયેન્ટ પર નજર રાખતા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મએ કોરોનાના સબ વેરિયેન્ટ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં જે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં કોરોનાના સબ વેરિયેન્ટ  XBB 1.16થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ નવો વેરિયેન્ટ ચિંતાનજક એટલા માટે છે કેમ કે તે લોકોને ઝડપથી સંક્રમિત કરવા સક્ષમ છે.


XBB1.16ના લક્ષણો શું છે?


આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓને માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, ગળામાં દુખાવો, વહેતું નાક અને ઉધરસ આવે છે. તેના લક્ષણો કોરોનાના જૂના લક્ષણો જેવા જ છે. આ સિવાય લોકો પેટમાં દુખાવો અને અસ્વસ્થતા, ઝાડા જેવી ફરિયાદ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને પણ નબળી કરી શકે છે. આ વાયરસ ફેલાવવાની સંભાવના ઘણી વધારે છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.