ભારતમાં વધતા કોરોનાના કેસ પાછળ નવું સબ વેરિઅન્ટ XBB 1.16 જવાબદાર? જાણો કેટલું છે ખતરનાક?


  • Published By :
  • Published Date : 2023-03-18 18:24:57

ભારતમાં શનિવારે 126 દિવસ બાદ એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 800થી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 843 કેસ નોંધાયા છે. દેશમાં કોવિડના કેસ પણ ત્યારે જ વધી રહ્યા જ્યારે ઈન્ફ્લુએન્ઝા H3N2 વાયરસ એક્ટિવ છે. વધતા કોરોનાના કેસ પાછળ કોરોના સબ વેરિયન્ટ XBB 1.16 અને XBB 1.15ને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોએ પણ દેશમાં કોરાનાના નવા વેરિયેન્ટના પગલે નવી લહેરની આશંકા વ્યક્ત કરી છે.


ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ વધ્યા


કોરોના વેરિયેન્ટ પર નજર રાખતા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મએ કોરોનાના સબ વેરિયેન્ટ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં જે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં કોરોનાના સબ વેરિયેન્ટ  XBB 1.16થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ નવો વેરિયેન્ટ ચિંતાનજક એટલા માટે છે કેમ કે તે લોકોને ઝડપથી સંક્રમિત કરવા સક્ષમ છે.


XBB1.16ના લક્ષણો શું છે?


આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓને માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, ગળામાં દુખાવો, વહેતું નાક અને ઉધરસ આવે છે. તેના લક્ષણો કોરોનાના જૂના લક્ષણો જેવા જ છે. આ સિવાય લોકો પેટમાં દુખાવો અને અસ્વસ્થતા, ઝાડા જેવી ફરિયાદ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને પણ નબળી કરી શકે છે. આ વાયરસ ફેલાવવાની સંભાવના ઘણી વધારે છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."