Corona મહામારી હજી ભૂલાઈ નથી અને WHOએ વધુ એક બિમારીને લઈ આપી ચેતવણી! ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઈ...


  • Published By :
  • Published Date : 2024-08-15 13:18:58

કોરોનાએ મચાવેલા હાહાકારથી હજી બહાર નથી આવ્યા ત્યાં તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ નવી મહામારીને લઈ ચેતવણી જાહેર કરી છે. વિશ્વમાં વધુ એક નવી મહામારીનો ખતરો દસ્તક દઈ રહ્યો છે તેની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે. અને એ ખતરો છે એમપોક્સ જેને આપણે મનકી પોક્સ પણ કહીએ છીએ... એમપોક્સને લઈ WHOએ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે..

બે વર્ષમાં બીજી વખત કરાઈ આવી જાહેરાત!

કોરોના મહામારીને આપણે નહીં ભૂલી શકીએ.. કોરોના વાયરસે ના માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોએ પોતાના પરિવારજનોને કોરોનાને કારણે ગુમાવ્યા છે. ત્યારે લોકોની ચિંતામાં વધારો થાય તેવી જાહેરાત વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ચેપના ફાટી નીકળ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે બે વર્ષમાં બીજી વખત એમપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી જે પડોશી દેશોમાં ફેલાઈ છે. આ રોગ 2022માં જીવલેણ સાબિત થયો હતો.

આ બિમારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરાઈ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકી પોક્સના સંકટને ધ્યાનમાં રાખી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી છે. આ ઘોષણા સંગઠનના મહાનિર્દેશક દ્વારા કરવામાં આવી છે. આફ્રિકાના અનેક દેશોમાં આ બિમારી ઝડપથી વધી રહી છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીના દેશોને ચેતવણી પણ આપવામાં આવી છે.. અનેક લોકો માટે આ રોગ જીવલેણ સાબિત થયો છે. ક્લેડ Iના નામથી ઓળખાતો રોગ કોંગોમાં ફાટી નીકળ્યો હતો. પરંતુ એક નવો સ્ટ્રેન ક્લેડ-Ib સામે આવ્યો છે, જે સામાન્ય સંપર્ક દ્વારા ઝડપી ફેલાય છે.



કેસોમાં થયો છે આટલા ઘણો વધારો!

WHOના રિપોર્ટ અનુસાર આફ્રિકન મહાદ્વીપમાં આ રોગના 15,600 થી વધુ કેસ નોંધાયા છે આ વર્ષે અત્યાર સુધીમાં. જ્યારે અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 537 લોકોના મોત થઈ ગયા છે. જો ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન કેસોમાં 160%નો વધારો થયો છે.  




શું છે મંકીપોક્સના લક્ષણો? 

જો મંકીપોક્સના લક્ષણોની વાત કરીએ તો માથાનો દુખાવો, તાવ, થાક, લસિકા ગાંઠોમાં સોજો, સ્નાયુઓમાં દુખાવો, ફોલ્લીઓ થવી, શરીરમાં ધ્રુજારી અને  કમરમાં દુખાવાનો સમાવેશ થાય છે. વર્ષ 2022 માં, ભારતમાં પણ આ રોગના કેટલાક કેસ નોંધાયા હતા. મંકી પોક્સના 2-4 અઠવાડિયા સુધી રહે છે.. 



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .