Corona મહામારી હજી ભૂલાઈ નથી અને WHOએ વધુ એક બિમારીને લઈ આપી ચેતવણી! ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઈ...


  • Published By :
  • Published Date : 2024-08-15 13:18:58

કોરોનાએ મચાવેલા હાહાકારથી હજી બહાર નથી આવ્યા ત્યાં તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ નવી મહામારીને લઈ ચેતવણી જાહેર કરી છે. વિશ્વમાં વધુ એક નવી મહામારીનો ખતરો દસ્તક દઈ રહ્યો છે તેની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે. અને એ ખતરો છે એમપોક્સ જેને આપણે મનકી પોક્સ પણ કહીએ છીએ... એમપોક્સને લઈ WHOએ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે..

બે વર્ષમાં બીજી વખત કરાઈ આવી જાહેરાત!

કોરોના મહામારીને આપણે નહીં ભૂલી શકીએ.. કોરોના વાયરસે ના માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોએ પોતાના પરિવારજનોને કોરોનાને કારણે ગુમાવ્યા છે. ત્યારે લોકોની ચિંતામાં વધારો થાય તેવી જાહેરાત વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ચેપના ફાટી નીકળ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે બે વર્ષમાં બીજી વખત એમપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી જે પડોશી દેશોમાં ફેલાઈ છે. આ રોગ 2022માં જીવલેણ સાબિત થયો હતો.

આ બિમારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરાઈ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકી પોક્સના સંકટને ધ્યાનમાં રાખી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી છે. આ ઘોષણા સંગઠનના મહાનિર્દેશક દ્વારા કરવામાં આવી છે. આફ્રિકાના અનેક દેશોમાં આ બિમારી ઝડપથી વધી રહી છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીના દેશોને ચેતવણી પણ આપવામાં આવી છે.. અનેક લોકો માટે આ રોગ જીવલેણ સાબિત થયો છે. ક્લેડ Iના નામથી ઓળખાતો રોગ કોંગોમાં ફાટી નીકળ્યો હતો. પરંતુ એક નવો સ્ટ્રેન ક્લેડ-Ib સામે આવ્યો છે, જે સામાન્ય સંપર્ક દ્વારા ઝડપી ફેલાય છે.



કેસોમાં થયો છે આટલા ઘણો વધારો!

WHOના રિપોર્ટ અનુસાર આફ્રિકન મહાદ્વીપમાં આ રોગના 15,600 થી વધુ કેસ નોંધાયા છે આ વર્ષે અત્યાર સુધીમાં. જ્યારે અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 537 લોકોના મોત થઈ ગયા છે. જો ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન કેસોમાં 160%નો વધારો થયો છે.  




શું છે મંકીપોક્સના લક્ષણો? 

જો મંકીપોક્સના લક્ષણોની વાત કરીએ તો માથાનો દુખાવો, તાવ, થાક, લસિકા ગાંઠોમાં સોજો, સ્નાયુઓમાં દુખાવો, ફોલ્લીઓ થવી, શરીરમાં ધ્રુજારી અને  કમરમાં દુખાવાનો સમાવેશ થાય છે. વર્ષ 2022 માં, ભારતમાં પણ આ રોગના કેટલાક કેસ નોંધાયા હતા. મંકી પોક્સના 2-4 અઠવાડિયા સુધી રહે છે.. 



અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.