Corona મહામારી હજી ભૂલાઈ નથી અને WHOએ વધુ એક બિમારીને લઈ આપી ચેતવણી! ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઈ...


  • Published By :
  • Published Date : 2024-08-15 13:18:58

કોરોનાએ મચાવેલા હાહાકારથી હજી બહાર નથી આવ્યા ત્યાં તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ નવી મહામારીને લઈ ચેતવણી જાહેર કરી છે. વિશ્વમાં વધુ એક નવી મહામારીનો ખતરો દસ્તક દઈ રહ્યો છે તેની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે. અને એ ખતરો છે એમપોક્સ જેને આપણે મનકી પોક્સ પણ કહીએ છીએ... એમપોક્સને લઈ WHOએ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે..

બે વર્ષમાં બીજી વખત કરાઈ આવી જાહેરાત!

કોરોના મહામારીને આપણે નહીં ભૂલી શકીએ.. કોરોના વાયરસે ના માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોએ પોતાના પરિવારજનોને કોરોનાને કારણે ગુમાવ્યા છે. ત્યારે લોકોની ચિંતામાં વધારો થાય તેવી જાહેરાત વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ચેપના ફાટી નીકળ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે બે વર્ષમાં બીજી વખત એમપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી જે પડોશી દેશોમાં ફેલાઈ છે. આ રોગ 2022માં જીવલેણ સાબિત થયો હતો.

આ બિમારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરાઈ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકી પોક્સના સંકટને ધ્યાનમાં રાખી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી છે. આ ઘોષણા સંગઠનના મહાનિર્દેશક દ્વારા કરવામાં આવી છે. આફ્રિકાના અનેક દેશોમાં આ બિમારી ઝડપથી વધી રહી છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીના દેશોને ચેતવણી પણ આપવામાં આવી છે.. અનેક લોકો માટે આ રોગ જીવલેણ સાબિત થયો છે. ક્લેડ Iના નામથી ઓળખાતો રોગ કોંગોમાં ફાટી નીકળ્યો હતો. પરંતુ એક નવો સ્ટ્રેન ક્લેડ-Ib સામે આવ્યો છે, જે સામાન્ય સંપર્ક દ્વારા ઝડપી ફેલાય છે.



કેસોમાં થયો છે આટલા ઘણો વધારો!

WHOના રિપોર્ટ અનુસાર આફ્રિકન મહાદ્વીપમાં આ રોગના 15,600 થી વધુ કેસ નોંધાયા છે આ વર્ષે અત્યાર સુધીમાં. જ્યારે અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 537 લોકોના મોત થઈ ગયા છે. જો ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન કેસોમાં 160%નો વધારો થયો છે.  




શું છે મંકીપોક્સના લક્ષણો? 

જો મંકીપોક્સના લક્ષણોની વાત કરીએ તો માથાનો દુખાવો, તાવ, થાક, લસિકા ગાંઠોમાં સોજો, સ્નાયુઓમાં દુખાવો, ફોલ્લીઓ થવી, શરીરમાં ધ્રુજારી અને  કમરમાં દુખાવાનો સમાવેશ થાય છે. વર્ષ 2022 માં, ભારતમાં પણ આ રોગના કેટલાક કેસ નોંધાયા હતા. મંકી પોક્સના 2-4 અઠવાડિયા સુધી રહે છે.. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.