Corona મહામારી હજી ભૂલાઈ નથી અને WHOએ વધુ એક બિમારીને લઈ આપી ચેતવણી! ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઈ...


  • Published By :
  • Published Date : 2024-08-15 13:18:58

કોરોનાએ મચાવેલા હાહાકારથી હજી બહાર નથી આવ્યા ત્યાં તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ નવી મહામારીને લઈ ચેતવણી જાહેર કરી છે. વિશ્વમાં વધુ એક નવી મહામારીનો ખતરો દસ્તક દઈ રહ્યો છે તેની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે. અને એ ખતરો છે એમપોક્સ જેને આપણે મનકી પોક્સ પણ કહીએ છીએ... એમપોક્સને લઈ WHOએ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે..

બે વર્ષમાં બીજી વખત કરાઈ આવી જાહેરાત!

કોરોના મહામારીને આપણે નહીં ભૂલી શકીએ.. કોરોના વાયરસે ના માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોએ પોતાના પરિવારજનોને કોરોનાને કારણે ગુમાવ્યા છે. ત્યારે લોકોની ચિંતામાં વધારો થાય તેવી જાહેરાત વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ચેપના ફાટી નીકળ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે બે વર્ષમાં બીજી વખત એમપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી જે પડોશી દેશોમાં ફેલાઈ છે. આ રોગ 2022માં જીવલેણ સાબિત થયો હતો.

આ બિમારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરાઈ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકી પોક્સના સંકટને ધ્યાનમાં રાખી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી છે. આ ઘોષણા સંગઠનના મહાનિર્દેશક દ્વારા કરવામાં આવી છે. આફ્રિકાના અનેક દેશોમાં આ બિમારી ઝડપથી વધી રહી છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીના દેશોને ચેતવણી પણ આપવામાં આવી છે.. અનેક લોકો માટે આ રોગ જીવલેણ સાબિત થયો છે. ક્લેડ Iના નામથી ઓળખાતો રોગ કોંગોમાં ફાટી નીકળ્યો હતો. પરંતુ એક નવો સ્ટ્રેન ક્લેડ-Ib સામે આવ્યો છે, જે સામાન્ય સંપર્ક દ્વારા ઝડપી ફેલાય છે.



કેસોમાં થયો છે આટલા ઘણો વધારો!

WHOના રિપોર્ટ અનુસાર આફ્રિકન મહાદ્વીપમાં આ રોગના 15,600 થી વધુ કેસ નોંધાયા છે આ વર્ષે અત્યાર સુધીમાં. જ્યારે અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 537 લોકોના મોત થઈ ગયા છે. જો ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન કેસોમાં 160%નો વધારો થયો છે.  




શું છે મંકીપોક્સના લક્ષણો? 

જો મંકીપોક્સના લક્ષણોની વાત કરીએ તો માથાનો દુખાવો, તાવ, થાક, લસિકા ગાંઠોમાં સોજો, સ્નાયુઓમાં દુખાવો, ફોલ્લીઓ થવી, શરીરમાં ધ્રુજારી અને  કમરમાં દુખાવાનો સમાવેશ થાય છે. વર્ષ 2022 માં, ભારતમાં પણ આ રોગના કેટલાક કેસ નોંધાયા હતા. મંકી પોક્સના 2-4 અઠવાડિયા સુધી રહે છે.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.