દેશમાં કોરોનાએ ચિંતા વધારી, એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર, JN.1ના 5 નવા કેસ


  • Published By :
  • Published Date : 2023-12-25 15:23:15

કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત દર્દીઓ દેશભરમાં વધી રહ્યા છે, ગત 24 કલાકમાં દેશભરમાં એક્ટિવ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 4054 સુધી પહોંચી ગયો છે. એક દિવસ પહેલા 3742 કેસ આવ્યા હતા, સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું મોત થયું છે. મહારાષ્ટ્રના થાણેના નવા સબ વેરિયેન્ટ  JN.1 –ના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ સૌથી એક્ટિવ કેસ કેરળમાં આવ્યા છે. દેશભરમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 5,33,334 પર પહોંચી છે. 


 24 કલાકમાં 315 દર્દીઓ સાજા થયા


આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ નવો વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ગત 24 કલાકમાં 315 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થઈ ચુક્યા છે. આ સાથે જ દેશભરમાં અત્યાર સુધી 4.44 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે. ઉલ્લેખનિય છે કે કોરોનાના નવા સબ વેરિયેન્ટ JN.1નો પહેલો કેસ કેરળમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.  ગત 24 કલાકમાં કોરોનાના નવા વેરિયેન્ટના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 


JN.1 વેરિયન્ટથી સંક્રમિત રોગીઓમાં એક મહિલા


મહારાષ્ટ્રના થાણેમાં 30 નવેમ્બર બાદ 20 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી પાંચ સેમ્પલ JN.1 વેરિયેન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે JN.1 વેરિયેન્ટથી સંક્રમિત રોગીઓમાં એક મહિલાનો સમાવેશ થાય છે. કોઈને પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા નથી. થાણેમાં એક્ટિવ કોવિડ-19 કેસની સંખ્યા 28 છે, તેમાંથી બેની સારવાર હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. અન્ય સંક્રમિત દર્દીઓ તેમના ઘરે જ સાજા થઈ રહ્યા છે. 


7 મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ


દેશભરમાં રવિવારે એક જ દિવસમાં 656 નવા કોવિડ કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે, રવિવારે પણ એક દર્દીનું મોત નિપજ્યું છે, એક્ટિવ કેસ 3,420 વધીને 3,742 થઈ ગઈ છે. આ પહેલા શનિવારે 752 કોવિડ-19 સંક્રમણ નોંધવામાં આવ્યા છે, જે ગત 7 મહિનામાં સૌથી વધુ કેસ છે. 21 મે બાદ આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દી એક દિવસમાં સામે આવ્યા હતા.   


કોરોના પ્રોટોકોલના પાલનની અપીલ 


કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોવિડ -19 કેસોમાં વર્તમાન વધારો ચિંતાજનક નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી. જો કે, સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે, અન્ય રોગોથી પીડાતા હોય તો ફેસ માસ્ક પહેરે અને ભીડમાં જવાનું ટાળે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં JN.1 વેરિઅન્ટનું કોઈ ક્લસ્ટર જોવા મળ્યું નથી. તમામ કેસોમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. દર્દીઓ પણ કોઈપણ પ્રકારની તકલીફ વિના સાજા થઈ રહ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે