દેશમાં કોરોનાએ ચિંતા વધારી, એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર, JN.1ના 5 નવા કેસ


  • Published By :
  • Published Date : 2023-12-25 15:23:15

કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત દર્દીઓ દેશભરમાં વધી રહ્યા છે, ગત 24 કલાકમાં દેશભરમાં એક્ટિવ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 4054 સુધી પહોંચી ગયો છે. એક દિવસ પહેલા 3742 કેસ આવ્યા હતા, સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું મોત થયું છે. મહારાષ્ટ્રના થાણેના નવા સબ વેરિયેન્ટ  JN.1 –ના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ સૌથી એક્ટિવ કેસ કેરળમાં આવ્યા છે. દેશભરમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 5,33,334 પર પહોંચી છે. 


 24 કલાકમાં 315 દર્દીઓ સાજા થયા


આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ નવો વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ગત 24 કલાકમાં 315 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થઈ ચુક્યા છે. આ સાથે જ દેશભરમાં અત્યાર સુધી 4.44 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે. ઉલ્લેખનિય છે કે કોરોનાના નવા સબ વેરિયેન્ટ JN.1નો પહેલો કેસ કેરળમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.  ગત 24 કલાકમાં કોરોનાના નવા વેરિયેન્ટના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 


JN.1 વેરિયન્ટથી સંક્રમિત રોગીઓમાં એક મહિલા


મહારાષ્ટ્રના થાણેમાં 30 નવેમ્બર બાદ 20 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી પાંચ સેમ્પલ JN.1 વેરિયેન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે JN.1 વેરિયેન્ટથી સંક્રમિત રોગીઓમાં એક મહિલાનો સમાવેશ થાય છે. કોઈને પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા નથી. થાણેમાં એક્ટિવ કોવિડ-19 કેસની સંખ્યા 28 છે, તેમાંથી બેની સારવાર હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. અન્ય સંક્રમિત દર્દીઓ તેમના ઘરે જ સાજા થઈ રહ્યા છે. 


7 મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ


દેશભરમાં રવિવારે એક જ દિવસમાં 656 નવા કોવિડ કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે, રવિવારે પણ એક દર્દીનું મોત નિપજ્યું છે, એક્ટિવ કેસ 3,420 વધીને 3,742 થઈ ગઈ છે. આ પહેલા શનિવારે 752 કોવિડ-19 સંક્રમણ નોંધવામાં આવ્યા છે, જે ગત 7 મહિનામાં સૌથી વધુ કેસ છે. 21 મે બાદ આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દી એક દિવસમાં સામે આવ્યા હતા.   


કોરોના પ્રોટોકોલના પાલનની અપીલ 


કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોવિડ -19 કેસોમાં વર્તમાન વધારો ચિંતાજનક નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી. જો કે, સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે, અન્ય રોગોથી પીડાતા હોય તો ફેસ માસ્ક પહેરે અને ભીડમાં જવાનું ટાળે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં JN.1 વેરિઅન્ટનું કોઈ ક્લસ્ટર જોવા મળ્યું નથી. તમામ કેસોમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. દર્દીઓ પણ કોઈપણ પ્રકારની તકલીફ વિના સાજા થઈ રહ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.