કોરોના સંક્રમણ વધ્યું, રાજ્યમાં નવા 9 કેસ નોંધાયા, દેશમાં એક જ દિવસમાં કેસ 800ને પાર


  • Published By :
  • Published Date : 2023-12-31 11:22:47

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીરે-ધીરે ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં  એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 66 પર પહોંચી. જો કે 13 દર્દીઓ એવા છે જેમણે કોરોનાને હરાવ્યો છે. તેઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે કોરોનાના ન્યૂ વેરિયન્ટ JN.1એ પણ રાજ્ય અને દેશમાં ચિંતા વધારી છે. 


દેશમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800 થઈ


કોરોના સંક્રમણ દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, દેશમાં છેલ્લા 7 મહિના પછી, ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800ની નજીક પહોંચી ગઈ છે. કોરોનાના ન્યૂ વેરિયન્ટ JN.1ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 5 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જો કે હવે દિલ્હીમાં પણ નવા વેરિઅન્ટ JN.1 નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિષ્ણાતો લોકોને  સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ ખૂબ જ હળવું છે. મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.  


દેશમાં પાંચ દર્દીઓના મોત


દેશમાં કોરોનાના વધતા કેસ અંગે આરોગ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 797 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન પાંચ દર્દીઓના મોત થયા હતા, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેરળમાં બે અને મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. નોંધનિય છે કે, વી દઈએ કે 18 મેના રોજ દેશમાં કોવિડના સૌથી વધુ કેસ નોંધાયા હતા, જે 865 હતા.          



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.