અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું, નવા 10 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 46એ પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-12-28 14:21:45

રાજ્યમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, આજે અમદાવાદમાં વધુ 10  કેસ નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે. આ કોરોના સંક્રમિતોમાં પાંચ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. કોરોનાના આ નવા કેસ નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણિનગર, સાબરમતી અને ઈશનપુરનો સમાવેશ થાય છે. આ તમામ સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવતા તે ગોવા, સિંગાપુર, રાજકોટ, અને ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ પરત ફર્યા હતા આથી શક્યતા છે કે તેઓ ત્યાં જ કોરોના સંક્રમિત બન્યા હશે. 


શહેરમાં 46 એક્ટિવ કેસ


અમદાવાદ શહેરમાં હાલ 46 કોરોના સંક્રમિતો છે, આ દર્દીઓમાંથી એક હોસ્પિટલમાં સારવાર હેઠળ જ્યારે અન્ય 45 હોમ આઈસોલેશનમાં છે.  ઋષિકેશ પટેલ પ્રમાણે 27 ડિસેમ્બરે 844 કોવિડ ટેસ્ટ કરાયા જેમાંથી 14 કેસ પૉઝિટિવ આવ્યા છે એટલે કે પૉઝિટિવિટી દર ખૂબ જ નીચો છે. ડિસેમ્બર મહિના દરમિયાન કુલ 8,426 ટેસ્ટમાંથી 99 જેટલા ટેસ્ટ પૉઝિટિવ આવ્યા હતા અને પૉઝિટિવિટી દર માત્ર 0.86 ટકા જેટલો જ છે, એટલે પરિસ્થિતી બહુ ચિંતાજનક નથી.


દેશમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો


દેશમાં શિયાળાની ઠંડી સાથે કોરોના વાયરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 692 નવા કેસ નોંધાયા છે એટલે કે દર કલાકે કોવિડના 28 નવા કેસ મળી રહ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 4097 પર પહોંચી ગઈ છે જ્યારે કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં બે મહારાષ્ટ્રમાં અને કર્ણાટક, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક-એક મૃત્યુ થયા છે.


JN.1 વૅરિયન્ટ બહુ જીવલેણ નથી


JN.1 વૅરિયન્ટ ઝડપથી ફેલાય છે તે અંગે વાત કરતા પ્રખ્યાત વાઇરોલૉજિસ્ટ ડૉ. ટી જેકબ જ્હૉને જણાવ્યું હતું કે, "તે બહુ જીવલેણ નથી પણ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. તે 40થી વધુ દેશોમાં ફેલાયો છે." "અમે ઑમિક્રોન વિશે જાણીએ છીએ અને તેથી તેના વિશે વધુ આશ્ચર્ય નથી. તે છીંકમાંથી નીકળતા કણોથી હવામાં ફેલાય છે. ઑમિક્રૉનના અન્ય સબ-વૅરિયન્ટની સરખામણીમાં આમાં નાક અને ગળામાંથી નીકળતા પ્રવાહીમાં વાઇરલ લોડ વધારે છે."



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.