Corona પાછો આવ્યો! આ જિલ્લામાં Corona કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-02 13:34:28

કોરોનાએ હાહાકાર કેટલો મચાવ્યો છે તે આપણે જાણીએ છીએ. અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયાને કોરોનાને કારણે ગુમાવ્યા છે. એક સમય હતો જ્યારે હજારો લોકોના મોત કોરોનાને કારણે થયા હતા. એ વખતે કોરોનાનું સંકટ લોકોના જીવ પર તોળાઈ રહ્યું હતું. પરંતુ ધીરે ધીરે સમય બદલાયો. કેસ નોંધાવાના ઓછા થયા.. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતીઓની ચિંતા વધે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

કોરોનાની સારવાર અર્થે દર્દીને હોસ્પિટલ ખસેડાયો  

હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે લોકોને. રોગચાળો પણ વધ્યો છે. જે સિઝન ચાલી રહી છે તેમાં લોકોને શરદી ઉધરસ તેમજ તાવ આવવાનું સામાન્ય છે. અનેક લોકોને આ તકલીફ હશે. પરંતુ જો આ તકલીફ લાંબા સમય સુધી રહે તો કોરોનાનો ટેસ્ટ કરાવી લેજો કારણ કે કોરોના પાછો આવી શકે છે! ગુજરાતના વલસાડ જિલ્લામાંથી કોરોનાનો કેસ નોંધાયો હોય તેવી માહિતી સામે આવી છે. એક વ્યક્તિ કોરોનાની સારવાર કરાવા માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. કોરોના ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

અનેક મહિનાઓ બાદ નોંધાયો કોરોનાનો કેસ 

જે વ્યક્તિ કોરોનાની સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયા છે તે નવસારીનો છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે દાખલ કરાયો. નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ દર્દીને સારવાર મળે તે માટે પહેલા વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયો અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. અનેક મહિનાઓ બાદ કોરોના દર્દી નોંધાતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. 

Two Persons Died In Drainage Line During Search Gol Powder In Surat | Surat  : સોનાનો પાવડર મેળવવાની લાલચમાં ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત, થયો મોટો ધડાકો

કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો નોંધાયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના સમાચાર આપણને મળે છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોરોના બાદ અનેક પરિવારોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા છે હાર્ટ એટેકને કારણે. શળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કસરત કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.