Corona પાછો આવ્યો! આ જિલ્લામાં Corona કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-02 13:34:28

કોરોનાએ હાહાકાર કેટલો મચાવ્યો છે તે આપણે જાણીએ છીએ. અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયાને કોરોનાને કારણે ગુમાવ્યા છે. એક સમય હતો જ્યારે હજારો લોકોના મોત કોરોનાને કારણે થયા હતા. એ વખતે કોરોનાનું સંકટ લોકોના જીવ પર તોળાઈ રહ્યું હતું. પરંતુ ધીરે ધીરે સમય બદલાયો. કેસ નોંધાવાના ઓછા થયા.. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતીઓની ચિંતા વધે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

કોરોનાની સારવાર અર્થે દર્દીને હોસ્પિટલ ખસેડાયો  

હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે લોકોને. રોગચાળો પણ વધ્યો છે. જે સિઝન ચાલી રહી છે તેમાં લોકોને શરદી ઉધરસ તેમજ તાવ આવવાનું સામાન્ય છે. અનેક લોકોને આ તકલીફ હશે. પરંતુ જો આ તકલીફ લાંબા સમય સુધી રહે તો કોરોનાનો ટેસ્ટ કરાવી લેજો કારણ કે કોરોના પાછો આવી શકે છે! ગુજરાતના વલસાડ જિલ્લામાંથી કોરોનાનો કેસ નોંધાયો હોય તેવી માહિતી સામે આવી છે. એક વ્યક્તિ કોરોનાની સારવાર કરાવા માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. કોરોના ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

અનેક મહિનાઓ બાદ નોંધાયો કોરોનાનો કેસ 

જે વ્યક્તિ કોરોનાની સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયા છે તે નવસારીનો છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે દાખલ કરાયો. નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ દર્દીને સારવાર મળે તે માટે પહેલા વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયો અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. અનેક મહિનાઓ બાદ કોરોના દર્દી નોંધાતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. 

Two Persons Died In Drainage Line During Search Gol Powder In Surat | Surat  : સોનાનો પાવડર મેળવવાની લાલચમાં ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત, થયો મોટો ધડાકો

કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો નોંધાયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના સમાચાર આપણને મળે છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોરોના બાદ અનેક પરિવારોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા છે હાર્ટ એટેકને કારણે. શળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કસરત કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.