Corona પાછો આવ્યો! આ જિલ્લામાં Corona કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-02 13:34:28

કોરોનાએ હાહાકાર કેટલો મચાવ્યો છે તે આપણે જાણીએ છીએ. અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયાને કોરોનાને કારણે ગુમાવ્યા છે. એક સમય હતો જ્યારે હજારો લોકોના મોત કોરોનાને કારણે થયા હતા. એ વખતે કોરોનાનું સંકટ લોકોના જીવ પર તોળાઈ રહ્યું હતું. પરંતુ ધીરે ધીરે સમય બદલાયો. કેસ નોંધાવાના ઓછા થયા.. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતીઓની ચિંતા વધે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

કોરોનાની સારવાર અર્થે દર્દીને હોસ્પિટલ ખસેડાયો  

હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે લોકોને. રોગચાળો પણ વધ્યો છે. જે સિઝન ચાલી રહી છે તેમાં લોકોને શરદી ઉધરસ તેમજ તાવ આવવાનું સામાન્ય છે. અનેક લોકોને આ તકલીફ હશે. પરંતુ જો આ તકલીફ લાંબા સમય સુધી રહે તો કોરોનાનો ટેસ્ટ કરાવી લેજો કારણ કે કોરોના પાછો આવી શકે છે! ગુજરાતના વલસાડ જિલ્લામાંથી કોરોનાનો કેસ નોંધાયો હોય તેવી માહિતી સામે આવી છે. એક વ્યક્તિ કોરોનાની સારવાર કરાવા માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. કોરોના ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

અનેક મહિનાઓ બાદ નોંધાયો કોરોનાનો કેસ 

જે વ્યક્તિ કોરોનાની સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયા છે તે નવસારીનો છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે દાખલ કરાયો. નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ દર્દીને સારવાર મળે તે માટે પહેલા વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયો અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. અનેક મહિનાઓ બાદ કોરોના દર્દી નોંધાતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. 

Two Persons Died In Drainage Line During Search Gol Powder In Surat | Surat  : સોનાનો પાવડર મેળવવાની લાલચમાં ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત, થયો મોટો ધડાકો

કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો નોંધાયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના સમાચાર આપણને મળે છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોરોના બાદ અનેક પરિવારોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા છે હાર્ટ એટેકને કારણે. શળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કસરત કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.