Coronaના કેસમાં આવ્યો ઉછાળો , Kerelaમાં કોરાના કેસની સંખ્યા પહોંચી 2000ને પાર, Mansukh Mandviyaએ બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-12-20 14:54:48

દેશમાં તેમજ વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસો નહીંવત છે તેવું લાગતું, કોરોના ગાયબ થઈ ગયો હોય તેવું લોકોને લાગવા લાગ્યું હતું. પરંતુ ફરી એક વખત કોરોના વાયરસ માથું ઉચકી રહ્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. માત્ર કેરળથી ગઈકાલે કોરોનાના 292 કેસ સામે આવ્યા હતા જ્યારે ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા 2000ને પાર પહોંચી છે. ગઈકાલે દેશમાં કોરોનાના 614 કેસ નોંધાયા હતા. 

યાદ કરો કોરોનાનો એ સમય જ્યારે....

કોરોના... આ શબ્દ સાંભળતા જ આપણી સામે હોસ્પિટલમાં મરતા લોકો, ઓક્સિજન માટે તડપતા લોકો, હોસ્પિટલ બહાર લાગેલી લાંબી લાઈનો યાદ આવી જાય છે. કોરોનાનો સમય જેમતેમ કરી લોકોએ સહન કર્યો ત્યારે હવે ફરીથી એક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે મોત થતા હોય તેવા સમાચાર ન આવતા હતા. મોતના શું પરંતુ કોરોનાના કેસ કેટલા નોંધાયા તે સમાચાર આવતા ન હતા. પરંતુ શિયાળાની શરૂઆત થતાં જાણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 



કોરોના કેસની સંખ્યા 2000ને પાર પહોંચી  

કેરળમાં છેલ્લા 24 કલાકમાં નવા 292 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 3 જેટલા લોકોના મોત કેરળમાં કોરોનાને કારણે થયા છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. 11 ડિસેમ્બર સુધી કોરોના કેસની સંખ્યા હજારની નીચે હતી પરંતુ 20 ડિસેમ્બર સુધી તો આ કેસની સંખ્યા 2000ના આંકડાને વટાવી ચૂકી છે. વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મનસુખ માંડવીયાએ બેઠક બોલાવી છે. જો પહેલા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કેવી રીતે પહોંચી વળાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી. ઉપરાંત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. 



ગુજરાતમાં પણ થઈ કોરોનાની રિ-એન્ટ્રી  

મહત્વનું છે કે કોરોનાના સમાચાર વાંચી અનેક લોકો કહેશે કે કોરોનાને લઈ મીડિયાવાળા ડરાવે છે, ડરાવતા નથી પરંતુ સતર્ક રહેવા જણાવતા હોઈએ છીએ. હમણાં એમ પણ શિયાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે શરદી ઉધરસ થવું સામાન્ય છે. અનેક લોકોને કફ પણ થઈ જતો હોય છે. હમણાં ભલે એવું લાગે છે કે કોરોનાના તો માત્ર આટલા જ કેસ છેને ડરવાની જરૂર નથી પરંતુ આ કેસ ક્યારે વધી જશે તેની ખબર પણ નહીં રહે!  કોરોનાના પણ આવા જ લક્ષણો છે ત્યારે જો વધારે આવા લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે જેને કારણે સતર્કતા રાખવી જરૂરી છે.         



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.