Coronaના કેસમાં આવ્યો ઉછાળો , Kerelaમાં કોરાના કેસની સંખ્યા પહોંચી 2000ને પાર, Mansukh Mandviyaએ બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-12-20 14:54:48

દેશમાં તેમજ વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસો નહીંવત છે તેવું લાગતું, કોરોના ગાયબ થઈ ગયો હોય તેવું લોકોને લાગવા લાગ્યું હતું. પરંતુ ફરી એક વખત કોરોના વાયરસ માથું ઉચકી રહ્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. માત્ર કેરળથી ગઈકાલે કોરોનાના 292 કેસ સામે આવ્યા હતા જ્યારે ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા 2000ને પાર પહોંચી છે. ગઈકાલે દેશમાં કોરોનાના 614 કેસ નોંધાયા હતા. 

યાદ કરો કોરોનાનો એ સમય જ્યારે....

કોરોના... આ શબ્દ સાંભળતા જ આપણી સામે હોસ્પિટલમાં મરતા લોકો, ઓક્સિજન માટે તડપતા લોકો, હોસ્પિટલ બહાર લાગેલી લાંબી લાઈનો યાદ આવી જાય છે. કોરોનાનો સમય જેમતેમ કરી લોકોએ સહન કર્યો ત્યારે હવે ફરીથી એક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે મોત થતા હોય તેવા સમાચાર ન આવતા હતા. મોતના શું પરંતુ કોરોનાના કેસ કેટલા નોંધાયા તે સમાચાર આવતા ન હતા. પરંતુ શિયાળાની શરૂઆત થતાં જાણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 



કોરોના કેસની સંખ્યા 2000ને પાર પહોંચી  

કેરળમાં છેલ્લા 24 કલાકમાં નવા 292 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 3 જેટલા લોકોના મોત કેરળમાં કોરોનાને કારણે થયા છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. 11 ડિસેમ્બર સુધી કોરોના કેસની સંખ્યા હજારની નીચે હતી પરંતુ 20 ડિસેમ્બર સુધી તો આ કેસની સંખ્યા 2000ના આંકડાને વટાવી ચૂકી છે. વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મનસુખ માંડવીયાએ બેઠક બોલાવી છે. જો પહેલા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કેવી રીતે પહોંચી વળાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી. ઉપરાંત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. 



ગુજરાતમાં પણ થઈ કોરોનાની રિ-એન્ટ્રી  

મહત્વનું છે કે કોરોનાના સમાચાર વાંચી અનેક લોકો કહેશે કે કોરોનાને લઈ મીડિયાવાળા ડરાવે છે, ડરાવતા નથી પરંતુ સતર્ક રહેવા જણાવતા હોઈએ છીએ. હમણાં એમ પણ શિયાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે શરદી ઉધરસ થવું સામાન્ય છે. અનેક લોકોને કફ પણ થઈ જતો હોય છે. હમણાં ભલે એવું લાગે છે કે કોરોનાના તો માત્ર આટલા જ કેસ છેને ડરવાની જરૂર નથી પરંતુ આ કેસ ક્યારે વધી જશે તેની ખબર પણ નહીં રહે!  કોરોનાના પણ આવા જ લક્ષણો છે ત્યારે જો વધારે આવા લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે જેને કારણે સતર્કતા રાખવી જરૂરી છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે