Coronaના કેસમાં આવ્યો ઉછાળો , Kerelaમાં કોરાના કેસની સંખ્યા પહોંચી 2000ને પાર, Mansukh Mandviyaએ બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-12-20 14:54:48

દેશમાં તેમજ વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસો નહીંવત છે તેવું લાગતું, કોરોના ગાયબ થઈ ગયો હોય તેવું લોકોને લાગવા લાગ્યું હતું. પરંતુ ફરી એક વખત કોરોના વાયરસ માથું ઉચકી રહ્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. માત્ર કેરળથી ગઈકાલે કોરોનાના 292 કેસ સામે આવ્યા હતા જ્યારે ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા 2000ને પાર પહોંચી છે. ગઈકાલે દેશમાં કોરોનાના 614 કેસ નોંધાયા હતા. 

યાદ કરો કોરોનાનો એ સમય જ્યારે....

કોરોના... આ શબ્દ સાંભળતા જ આપણી સામે હોસ્પિટલમાં મરતા લોકો, ઓક્સિજન માટે તડપતા લોકો, હોસ્પિટલ બહાર લાગેલી લાંબી લાઈનો યાદ આવી જાય છે. કોરોનાનો સમય જેમતેમ કરી લોકોએ સહન કર્યો ત્યારે હવે ફરીથી એક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે મોત થતા હોય તેવા સમાચાર ન આવતા હતા. મોતના શું પરંતુ કોરોનાના કેસ કેટલા નોંધાયા તે સમાચાર આવતા ન હતા. પરંતુ શિયાળાની શરૂઆત થતાં જાણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 



કોરોના કેસની સંખ્યા 2000ને પાર પહોંચી  

કેરળમાં છેલ્લા 24 કલાકમાં નવા 292 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 3 જેટલા લોકોના મોત કેરળમાં કોરોનાને કારણે થયા છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. 11 ડિસેમ્બર સુધી કોરોના કેસની સંખ્યા હજારની નીચે હતી પરંતુ 20 ડિસેમ્બર સુધી તો આ કેસની સંખ્યા 2000ના આંકડાને વટાવી ચૂકી છે. વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મનસુખ માંડવીયાએ બેઠક બોલાવી છે. જો પહેલા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કેવી રીતે પહોંચી વળાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી. ઉપરાંત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. 



ગુજરાતમાં પણ થઈ કોરોનાની રિ-એન્ટ્રી  

મહત્વનું છે કે કોરોનાના સમાચાર વાંચી અનેક લોકો કહેશે કે કોરોનાને લઈ મીડિયાવાળા ડરાવે છે, ડરાવતા નથી પરંતુ સતર્ક રહેવા જણાવતા હોઈએ છીએ. હમણાં એમ પણ શિયાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે શરદી ઉધરસ થવું સામાન્ય છે. અનેક લોકોને કફ પણ થઈ જતો હોય છે. હમણાં ભલે એવું લાગે છે કે કોરોનાના તો માત્ર આટલા જ કેસ છેને ડરવાની જરૂર નથી પરંતુ આ કેસ ક્યારે વધી જશે તેની ખબર પણ નહીં રહે!  કોરોનાના પણ આવા જ લક્ષણો છે ત્યારે જો વધારે આવા લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે જેને કારણે સતર્કતા રાખવી જરૂરી છે.         



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.