Coronaનો નવો વેરિયેન્ટ BA.2.86 મચાવશે હાહાકાર! જાણો શું છે તેના લક્ષણો અને ક્યાંથી નોંધાયા આના કેસ?


  • Published By :
  • Published Date : 2023-09-02 16:48:43

2019માં આવેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો હતો. કરોડોની સંખ્યામાં લોકો મૃત્યુને પામ્યા હતા. ભારતમાં પણ કોરોનાનું વિકરાળરૂપ જોવા મળ્યું છે. અનેક લોકોને કોરોના ભરખી ગયો હતો. ત્યારે હવે વધુ એક વેરિયન્ટ હાહાકાર મચાવી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે. માત્ર થોડા દિવસોની અંદર જ વિશ્વભરમાં આ કેસની સંખ્યા વધી ગઈ છે તેવું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે. ઓમિક્રોનના નવા પ્રકારો જેમ કે એરિસ અને પિરોલા (BA.2.86)માં વધુ પરિવર્તન જોવા મળ્યું છે. ખૂબ જ ટૂંકા સમયની અંદર પિરોલા યુકે, યુએસ, ડેનમાર્ક, દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયેલ જેવા ઘણા દેશોમાં પહોંચી ગયો છે.


શિયાળામાં વેરિયન્ટ ઘાતક બને તેવી સંભાવના!

શું કોરોના વાયરસ પુનરાગમન કરવા જઈ રહ્યો છે? યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા કોવિડ-19નું નવું વેરિયેન્ટ BA.2.86ને શોધી કઢાયું છે. આ નવો વેરિયેન્ટ અમેરિકા, ડેનમાર્ક અને ઇઝરાયેલમાં જોવા મળ્યો છે. નિષ્ણાતોએ આ શિયાળામાં નવો વેરિયેન્ટ ઘાતક બને તેવી આશંકા વ્યક્ત કરી છે. CDCએ એક ટ્વીટમાં કહ્યું, 'અમે BA.2.86 વિશે વધુ માહિતી મેળવી રહ્યા છીએ. કોવિડ-19 ની જેમ તમારી જાતને કોવિડ-19ની જેમ જ બચાવો. રોઇટર્સના રિપોર્ટ મુજબ, WHOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેણે મોટી સંખ્યામાં મ્યૂટેશનને ધ્યાનમાં રાખીને BA.2.86 ને મોનિટરિંગ હેઠળ રાખ્યું છે.



WHOએ શું કહ્યું?


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને અમેરિકા (America)ના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવારે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે કોવિડ-19ના એક નવા વેરિએન્ટ (New Variant) પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નવા વેરિએન્ટનું નામ BA.2.86 છે. તેની સંભવિત અસર અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.WHOએ મહામારી અંગે એક બુલેટિન જારી કરી કહ્યું છે કે મોટી સંખ્યામાં કોરોનાના સ્પાઈક જીન મ્યુટેશનને લીધે નવા વેરિએન્ટનો જન્મ થયો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટ ફક્ત ઈઝરાયલ, ડેનમાર્ક અને અમેરિકામાં જ જોવા મળ્યા છે. જો કે કોરોનાના આ નવા વેરિએન્ટ અંગે WHOએ કહ્યું છે કે BA.2.86 મ્યુટેશનના સંભવિત જોખમની માહિતી મળી નથી અને તેને લગતુ સાવધાનીપૂર્વક મૂલ્યાંકન (carefully Evaluate) કરવામાં આવી રહ્યું છે. 


  

શું છે સંક્રમિત થયા હોવાના લક્ષણો 

એવું પણ સામે આવ્યું છે કે કોરોનાથી પણ વધારે ચેપી અને ખતરનાક આ વેરિયન્ટ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવા વેરિયન્ટને લઈ હજી સુધી કોઈ નક્કર દાવો કરવામાં આવ્યો નથી. સંશોધનમાં નવા નવા તારણો સામે આવી રહ્યા છે. લક્ષણોની વાત કરીએ તો આ વાયરસથી સંક્રમિત લોકોને સામાન્ય શરદી-ફ્લૂ, ઉઘરસ આવવી, માથાનો દુખાવો થવો, ભૂખ ન લાગવી , શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે છે. જો કે આને લઈને પણ સ્પષ્ટતા નથી થઈ.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .