Coronaનો નવો વેરિયેન્ટ BA.2.86 મચાવશે હાહાકાર! જાણો શું છે તેના લક્ષણો અને ક્યાંથી નોંધાયા આના કેસ?


  • Published By :
  • Published Date : 2023-09-02 16:48:43

2019માં આવેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો હતો. કરોડોની સંખ્યામાં લોકો મૃત્યુને પામ્યા હતા. ભારતમાં પણ કોરોનાનું વિકરાળરૂપ જોવા મળ્યું છે. અનેક લોકોને કોરોના ભરખી ગયો હતો. ત્યારે હવે વધુ એક વેરિયન્ટ હાહાકાર મચાવી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે. માત્ર થોડા દિવસોની અંદર જ વિશ્વભરમાં આ કેસની સંખ્યા વધી ગઈ છે તેવું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે. ઓમિક્રોનના નવા પ્રકારો જેમ કે એરિસ અને પિરોલા (BA.2.86)માં વધુ પરિવર્તન જોવા મળ્યું છે. ખૂબ જ ટૂંકા સમયની અંદર પિરોલા યુકે, યુએસ, ડેનમાર્ક, દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયેલ જેવા ઘણા દેશોમાં પહોંચી ગયો છે.


શિયાળામાં વેરિયન્ટ ઘાતક બને તેવી સંભાવના!

શું કોરોના વાયરસ પુનરાગમન કરવા જઈ રહ્યો છે? યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા કોવિડ-19નું નવું વેરિયેન્ટ BA.2.86ને શોધી કઢાયું છે. આ નવો વેરિયેન્ટ અમેરિકા, ડેનમાર્ક અને ઇઝરાયેલમાં જોવા મળ્યો છે. નિષ્ણાતોએ આ શિયાળામાં નવો વેરિયેન્ટ ઘાતક બને તેવી આશંકા વ્યક્ત કરી છે. CDCએ એક ટ્વીટમાં કહ્યું, 'અમે BA.2.86 વિશે વધુ માહિતી મેળવી રહ્યા છીએ. કોવિડ-19 ની જેમ તમારી જાતને કોવિડ-19ની જેમ જ બચાવો. રોઇટર્સના રિપોર્ટ મુજબ, WHOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેણે મોટી સંખ્યામાં મ્યૂટેશનને ધ્યાનમાં રાખીને BA.2.86 ને મોનિટરિંગ હેઠળ રાખ્યું છે.



WHOએ શું કહ્યું?


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને અમેરિકા (America)ના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવારે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે કોવિડ-19ના એક નવા વેરિએન્ટ (New Variant) પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નવા વેરિએન્ટનું નામ BA.2.86 છે. તેની સંભવિત અસર અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.WHOએ મહામારી અંગે એક બુલેટિન જારી કરી કહ્યું છે કે મોટી સંખ્યામાં કોરોનાના સ્પાઈક જીન મ્યુટેશનને લીધે નવા વેરિએન્ટનો જન્મ થયો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટ ફક્ત ઈઝરાયલ, ડેનમાર્ક અને અમેરિકામાં જ જોવા મળ્યા છે. જો કે કોરોનાના આ નવા વેરિએન્ટ અંગે WHOએ કહ્યું છે કે BA.2.86 મ્યુટેશનના સંભવિત જોખમની માહિતી મળી નથી અને તેને લગતુ સાવધાનીપૂર્વક મૂલ્યાંકન (carefully Evaluate) કરવામાં આવી રહ્યું છે. 


  

શું છે સંક્રમિત થયા હોવાના લક્ષણો 

એવું પણ સામે આવ્યું છે કે કોરોનાથી પણ વધારે ચેપી અને ખતરનાક આ વેરિયન્ટ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવા વેરિયન્ટને લઈ હજી સુધી કોઈ નક્કર દાવો કરવામાં આવ્યો નથી. સંશોધનમાં નવા નવા તારણો સામે આવી રહ્યા છે. લક્ષણોની વાત કરીએ તો આ વાયરસથી સંક્રમિત લોકોને સામાન્ય શરદી-ફ્લૂ, ઉઘરસ આવવી, માથાનો દુખાવો થવો, ભૂખ ન લાગવી , શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે છે. જો કે આને લઈને પણ સ્પષ્ટતા નથી થઈ.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .