Coronaનો નવો વેરિયેન્ટ BA.2.86 મચાવશે હાહાકાર! જાણો શું છે તેના લક્ષણો અને ક્યાંથી નોંધાયા આના કેસ?


  • Published By :
  • Published Date : 2023-09-02 16:48:43

2019માં આવેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો હતો. કરોડોની સંખ્યામાં લોકો મૃત્યુને પામ્યા હતા. ભારતમાં પણ કોરોનાનું વિકરાળરૂપ જોવા મળ્યું છે. અનેક લોકોને કોરોના ભરખી ગયો હતો. ત્યારે હવે વધુ એક વેરિયન્ટ હાહાકાર મચાવી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે. માત્ર થોડા દિવસોની અંદર જ વિશ્વભરમાં આ કેસની સંખ્યા વધી ગઈ છે તેવું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે. ઓમિક્રોનના નવા પ્રકારો જેમ કે એરિસ અને પિરોલા (BA.2.86)માં વધુ પરિવર્તન જોવા મળ્યું છે. ખૂબ જ ટૂંકા સમયની અંદર પિરોલા યુકે, યુએસ, ડેનમાર્ક, દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયેલ જેવા ઘણા દેશોમાં પહોંચી ગયો છે.


શિયાળામાં વેરિયન્ટ ઘાતક બને તેવી સંભાવના!

શું કોરોના વાયરસ પુનરાગમન કરવા જઈ રહ્યો છે? યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા કોવિડ-19નું નવું વેરિયેન્ટ BA.2.86ને શોધી કઢાયું છે. આ નવો વેરિયેન્ટ અમેરિકા, ડેનમાર્ક અને ઇઝરાયેલમાં જોવા મળ્યો છે. નિષ્ણાતોએ આ શિયાળામાં નવો વેરિયેન્ટ ઘાતક બને તેવી આશંકા વ્યક્ત કરી છે. CDCએ એક ટ્વીટમાં કહ્યું, 'અમે BA.2.86 વિશે વધુ માહિતી મેળવી રહ્યા છીએ. કોવિડ-19 ની જેમ તમારી જાતને કોવિડ-19ની જેમ જ બચાવો. રોઇટર્સના રિપોર્ટ મુજબ, WHOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેણે મોટી સંખ્યામાં મ્યૂટેશનને ધ્યાનમાં રાખીને BA.2.86 ને મોનિટરિંગ હેઠળ રાખ્યું છે.



WHOએ શું કહ્યું?


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને અમેરિકા (America)ના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવારે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે કોવિડ-19ના એક નવા વેરિએન્ટ (New Variant) પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નવા વેરિએન્ટનું નામ BA.2.86 છે. તેની સંભવિત અસર અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.WHOએ મહામારી અંગે એક બુલેટિન જારી કરી કહ્યું છે કે મોટી સંખ્યામાં કોરોનાના સ્પાઈક જીન મ્યુટેશનને લીધે નવા વેરિએન્ટનો જન્મ થયો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટ ફક્ત ઈઝરાયલ, ડેનમાર્ક અને અમેરિકામાં જ જોવા મળ્યા છે. જો કે કોરોનાના આ નવા વેરિએન્ટ અંગે WHOએ કહ્યું છે કે BA.2.86 મ્યુટેશનના સંભવિત જોખમની માહિતી મળી નથી અને તેને લગતુ સાવધાનીપૂર્વક મૂલ્યાંકન (carefully Evaluate) કરવામાં આવી રહ્યું છે. 


  

શું છે સંક્રમિત થયા હોવાના લક્ષણો 

એવું પણ સામે આવ્યું છે કે કોરોનાથી પણ વધારે ચેપી અને ખતરનાક આ વેરિયન્ટ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવા વેરિયન્ટને લઈ હજી સુધી કોઈ નક્કર દાવો કરવામાં આવ્યો નથી. સંશોધનમાં નવા નવા તારણો સામે આવી રહ્યા છે. લક્ષણોની વાત કરીએ તો આ વાયરસથી સંક્રમિત લોકોને સામાન્ય શરદી-ફ્લૂ, ઉઘરસ આવવી, માથાનો દુખાવો થવો, ભૂખ ન લાગવી , શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે છે. જો કે આને લઈને પણ સ્પષ્ટતા નથી થઈ.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.