બ્રેકિંગ: કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1એ ચિંતા વધારી, કેન્દ્ર સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-12-18 19:23:00

કોરોનાના નવા  JN.1 વેરિયેન્ટને લઈને દેશમાં વધી રહેલા ખતરાની વચ્ચે મોદી સરકારે રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્ર સરકારે કોવિડ-19 કેસોમાં વૃધ્ધી અને ભારતમાં JN.1 પ્રકારનો પહેલો કેસ નોંધાતા રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત નજર રાખવા સુચના આપવામાં આવી છે. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોનો રિપોર્ટ આપવો પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને વધુ સંખ્યામાં RT-PCR ટેસ્ટ સહિત પર્યાપ્ત ટેસ્ટની ખાતરી કરવા સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત જિનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિલ કેસના સેમ્પલો પણ INSACOG પ્રયોગશાળાઓમાં મોકલવાનું કહ્યું છે.

કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક કેસ


ઉલ્લેખનિય છે કે કોવિડ-19ના એક વેરિયેન્ટએ દુનિયાભરની સરકારોની ચિંતા વધારી દીધી છે, કોરોના JN.1 સ્ટ્રેન પહેલાના વેરિયેન્ટથી પણ અનેક ગણો સંક્રામક છે. તાજેતરમાં જ કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક કેસ સામે આવ્યો છે. એક 78 વર્ષની વૃધ્ધાનો RT-PCR પોઝિટિવ સેમ્પલમાં આ વેરિયેન્ટ મળ્યો છે. આ મહિલાને ઈન્ફ્લ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા, જો  કે હવે તે સ્વસ્થ થઈ ગઈ છે. JN.1 વેરિયેન્ટ દુનિયાભરમાં કોવિડના લક્ષણોને વધારી રહ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.