બ્રેકિંગ: કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1એ ચિંતા વધારી, કેન્દ્ર સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-12-18 19:23:00

કોરોનાના નવા  JN.1 વેરિયેન્ટને લઈને દેશમાં વધી રહેલા ખતરાની વચ્ચે મોદી સરકારે રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્ર સરકારે કોવિડ-19 કેસોમાં વૃધ્ધી અને ભારતમાં JN.1 પ્રકારનો પહેલો કેસ નોંધાતા રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત નજર રાખવા સુચના આપવામાં આવી છે. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોનો રિપોર્ટ આપવો પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને વધુ સંખ્યામાં RT-PCR ટેસ્ટ સહિત પર્યાપ્ત ટેસ્ટની ખાતરી કરવા સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત જિનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિલ કેસના સેમ્પલો પણ INSACOG પ્રયોગશાળાઓમાં મોકલવાનું કહ્યું છે.

કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક કેસ


ઉલ્લેખનિય છે કે કોવિડ-19ના એક વેરિયેન્ટએ દુનિયાભરની સરકારોની ચિંતા વધારી દીધી છે, કોરોના JN.1 સ્ટ્રેન પહેલાના વેરિયેન્ટથી પણ અનેક ગણો સંક્રામક છે. તાજેતરમાં જ કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક કેસ સામે આવ્યો છે. એક 78 વર્ષની વૃધ્ધાનો RT-PCR પોઝિટિવ સેમ્પલમાં આ વેરિયેન્ટ મળ્યો છે. આ મહિલાને ઈન્ફ્લ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા, જો  કે હવે તે સ્વસ્થ થઈ ગઈ છે. JN.1 વેરિયેન્ટ દુનિયાભરમાં કોવિડના લક્ષણોને વધારી રહ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે