ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સબ વેરિઅન્ટ JN.1થી સંક્રમણ વધ્યું, નવા 21 કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-12-20 19:12:20

દેશભરમાં ફરી એકવાર કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં, કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN.1 ના 21 કેસ નોંધાયા છે. ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં નવા કોરોના વાયરસના કેસો નોંધાયા છે. જ્યારે એકલા ગોવામાં અત્યાર સુધીમાં આ સબ-વેરિયન્ટના 19 કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ મળી આવ્યો છે.


તકેદારી રાખવાની તૈયારી વધારવા સૂચના


કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ  છે આ JN.1. છેલ્લા કેટલાક અઠવાડિયામાં સૌથી ઝડપથી ફેલાતા વાયરસમાંનું એક બની ગયું છે. દેશભરમાં વધતા કોવિડ કેસ વચ્ચે, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વીકે પૉલે બુધવારે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. પોલે કહ્યું કે ભારતના વૈજ્ઞાનિકો નવા વેરિઅન્ટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જો કે, વીકે પોલે રાજ્યોને કોવિડ સજ્જતા વધારવા, ટેસ્ટિંગ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ દરમિયાન, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સચેત રહેવા એડવાઈઝરીમાં જણાવ્યું છે કારણ કે સમગ્ર દેશમાં કોવિડના કેસ વધી રહ્યા છે.  રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસના રોગના કેસો, જિલ્લા પ્રમાણે, તમામ આરોગ્ય સુવિધાઓમાં નિયમિત ધોરણે દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.


કેરળમાં 614 નવા કેસ, 3ના મોત


ગઈકાલે ભારતમાં કોરોના સંક્રમણના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી સૌથી વધુ છે. બુધવારે અપડેટ કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય કેસ વધીને 2,311 થઈ ગયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે, ત્યારબાદ દેશમાં કોવિડના કારણે મૃત્યુઆંક 5 લાખ 33 હજાર 321 પર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4.50 કરોડ કેસ નોંધાયા છે.


કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ JN.1 સ્ટ્રેન વિશે કહ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે અન્ય પ્રકારો કરતાં વધુ સરળતાથી ફેલાય છે. જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ એન્ડ્રુ પેકોસે કહ્યું છે કે JN.1 એ વધારે જોખમી નથી. JN.1 ને અગાઉ તેના મૂળ વંશ BA.2.86 ના ભાગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો, પરંતુ WHO એ હવે તેને એક અલગ પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યો છે. WHOએ જણાવ્યું કે હાલની રસીઓ JN.1 અને COVID-19 વાયરસના અન્ય પ્રકારોથી થતા ગંભીર રોગ અને મૃત્યુને અટકાવવાનું ચાલુ રાખશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે