ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સબ વેરિઅન્ટ JN.1થી સંક્રમણ વધ્યું, નવા 21 કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-12-20 19:12:20

દેશભરમાં ફરી એકવાર કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં, કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN.1 ના 21 કેસ નોંધાયા છે. ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં નવા કોરોના વાયરસના કેસો નોંધાયા છે. જ્યારે એકલા ગોવામાં અત્યાર સુધીમાં આ સબ-વેરિયન્ટના 19 કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ મળી આવ્યો છે.


તકેદારી રાખવાની તૈયારી વધારવા સૂચના


કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ  છે આ JN.1. છેલ્લા કેટલાક અઠવાડિયામાં સૌથી ઝડપથી ફેલાતા વાયરસમાંનું એક બની ગયું છે. દેશભરમાં વધતા કોવિડ કેસ વચ્ચે, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વીકે પૉલે બુધવારે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. પોલે કહ્યું કે ભારતના વૈજ્ઞાનિકો નવા વેરિઅન્ટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જો કે, વીકે પોલે રાજ્યોને કોવિડ સજ્જતા વધારવા, ટેસ્ટિંગ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ દરમિયાન, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સચેત રહેવા એડવાઈઝરીમાં જણાવ્યું છે કારણ કે સમગ્ર દેશમાં કોવિડના કેસ વધી રહ્યા છે.  રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસના રોગના કેસો, જિલ્લા પ્રમાણે, તમામ આરોગ્ય સુવિધાઓમાં નિયમિત ધોરણે દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.


કેરળમાં 614 નવા કેસ, 3ના મોત


ગઈકાલે ભારતમાં કોરોના સંક્રમણના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી સૌથી વધુ છે. બુધવારે અપડેટ કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય કેસ વધીને 2,311 થઈ ગયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે, ત્યારબાદ દેશમાં કોવિડના કારણે મૃત્યુઆંક 5 લાખ 33 હજાર 321 પર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4.50 કરોડ કેસ નોંધાયા છે.


કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ JN.1 સ્ટ્રેન વિશે કહ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે અન્ય પ્રકારો કરતાં વધુ સરળતાથી ફેલાય છે. જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ એન્ડ્રુ પેકોસે કહ્યું છે કે JN.1 એ વધારે જોખમી નથી. JN.1 ને અગાઉ તેના મૂળ વંશ BA.2.86 ના ભાગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો, પરંતુ WHO એ હવે તેને એક અલગ પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યો છે. WHOએ જણાવ્યું કે હાલની રસીઓ JN.1 અને COVID-19 વાયરસના અન્ય પ્રકારોથી થતા ગંભીર રોગ અને મૃત્યુને અટકાવવાનું ચાલુ રાખશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.