Corona Update : છેલ્લા 24 કલાકમાં આટલા લોકો થયા સંક્રમિત! Gujaratમાં નોંધાયા આટલા કેસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 14:01:00

કોરોના આમ તો સામાન્ય બની ગયેલો શબ્દ છે. છેલ્લા અનેક વર્ષોથી કોરોના અંગેના સમાચાર સાંભળીએ છીએ. વિશ્વમાં તેમજ દેશમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો નોંધાયો છે. સોમવારે જાહેર કરવામાંઆવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના કેસની સંખ્યા 4300ને પાર પહોંચી ગઈ છે. કોરોનાની સાથે સાથે નવા વેરિયન્ટને કારણે પણ ચિંતા વધી છે. નવા વેરિયન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે.      

શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે? - BBC News ગુજરાતી


દેશમાં કોરોનાના નોંધાયા 600થી ઉપર નવા કેસ 

એક સમય હતો જ્યારે કોરોના અંગેના સમાચારો પ્રતિદિન આવતા હતા પરંતુ થોડા મહિનાઓ બાદ એવો સમય પણ આવ્યો જ્યારે કોરોના કેસના સમાચાર ન આવતા હતા. કોરોના જાણે જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રતિદિન ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. 

30 more positive in Corona, the highest number of cases in 29 days |  કોરોનામાં વધુ 30 પોઝિટિવ 29 દિવસમાં સૌથી વધુ કેસ - Divya Bhaskar


અમદાવાદમાં વધતો કોરોના સંક્રમણનો ખતરો 

ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ કોરોનાના અનેક કેસ સામે આવ્ચા છે. પ્રતિદિન ગુજરાતમાંથી કોરોના સંક્રમિતો મળી રહ્યા છે. નવા વેરિયન્ટે પણ ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 24 જેટલા કેસ સામે આવ્યા છે. જે કેસ સામે આવ્યા છે તેમાંથી સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. મહત્વનું છે કે કોરોનાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.