Corona Update : છેલ્લા 24 કલાકમાં આટલા લોકો થયા સંક્રમિત! Gujaratમાં નોંધાયા આટલા કેસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 14:01:00

કોરોના આમ તો સામાન્ય બની ગયેલો શબ્દ છે. છેલ્લા અનેક વર્ષોથી કોરોના અંગેના સમાચાર સાંભળીએ છીએ. વિશ્વમાં તેમજ દેશમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો નોંધાયો છે. સોમવારે જાહેર કરવામાંઆવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના કેસની સંખ્યા 4300ને પાર પહોંચી ગઈ છે. કોરોનાની સાથે સાથે નવા વેરિયન્ટને કારણે પણ ચિંતા વધી છે. નવા વેરિયન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે.      

શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે? - BBC News ગુજરાતી


દેશમાં કોરોનાના નોંધાયા 600થી ઉપર નવા કેસ 

એક સમય હતો જ્યારે કોરોના અંગેના સમાચારો પ્રતિદિન આવતા હતા પરંતુ થોડા મહિનાઓ બાદ એવો સમય પણ આવ્યો જ્યારે કોરોના કેસના સમાચાર ન આવતા હતા. કોરોના જાણે જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રતિદિન ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. 

30 more positive in Corona, the highest number of cases in 29 days |  કોરોનામાં વધુ 30 પોઝિટિવ 29 દિવસમાં સૌથી વધુ કેસ - Divya Bhaskar


અમદાવાદમાં વધતો કોરોના સંક્રમણનો ખતરો 

ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ કોરોનાના અનેક કેસ સામે આવ્ચા છે. પ્રતિદિન ગુજરાતમાંથી કોરોના સંક્રમિતો મળી રહ્યા છે. નવા વેરિયન્ટે પણ ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 24 જેટલા કેસ સામે આવ્યા છે. જે કેસ સામે આવ્યા છે તેમાંથી સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. મહત્વનું છે કે કોરોનાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું હતું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.