Corona Update : છેલ્લા 24 કલાકમાં આટલા લોકો થયા સંક્રમિત! Gujaratમાં નોંધાયા આટલા કેસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 14:01:00

કોરોના આમ તો સામાન્ય બની ગયેલો શબ્દ છે. છેલ્લા અનેક વર્ષોથી કોરોના અંગેના સમાચાર સાંભળીએ છીએ. વિશ્વમાં તેમજ દેશમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો નોંધાયો છે. સોમવારે જાહેર કરવામાંઆવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના કેસની સંખ્યા 4300ને પાર પહોંચી ગઈ છે. કોરોનાની સાથે સાથે નવા વેરિયન્ટને કારણે પણ ચિંતા વધી છે. નવા વેરિયન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે.      

શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે? - BBC News ગુજરાતી


દેશમાં કોરોનાના નોંધાયા 600થી ઉપર નવા કેસ 

એક સમય હતો જ્યારે કોરોના અંગેના સમાચારો પ્રતિદિન આવતા હતા પરંતુ થોડા મહિનાઓ બાદ એવો સમય પણ આવ્યો જ્યારે કોરોના કેસના સમાચાર ન આવતા હતા. કોરોના જાણે જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રતિદિન ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. 

30 more positive in Corona, the highest number of cases in 29 days |  કોરોનામાં વધુ 30 પોઝિટિવ 29 દિવસમાં સૌથી વધુ કેસ - Divya Bhaskar


અમદાવાદમાં વધતો કોરોના સંક્રમણનો ખતરો 

ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ કોરોનાના અનેક કેસ સામે આવ્ચા છે. પ્રતિદિન ગુજરાતમાંથી કોરોના સંક્રમિતો મળી રહ્યા છે. નવા વેરિયન્ટે પણ ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 24 જેટલા કેસ સામે આવ્યા છે. જે કેસ સામે આવ્યા છે તેમાંથી સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. મહત્વનું છે કે કોરોનાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું હતું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે