રાજ્યમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી, આજે નવા કેસ 338 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 2310એ પહોંચ્યો, સુરતમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-31 21:25:33

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે રાજ્યમાં લોકો અને સરકાર તકેદારી નહીં રાખે તો સ્થિતી વિસ્ફોટક બની શકે છે. છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 338 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો વધીને 2310 પર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ પણ 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે સુરતમાં કોરોનાના કારણે 1 દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 92 કેસ અમદાવાદમાં નોંધાયા છે.



કોરોનાના કુલ 2310 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2310 દર્દીઓ છે, રાજ્યમાં 274 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 12,68,737 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે, હાલ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.96 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ નોંધાયા છે. ત્યારબાદ અમરેલીમાં 07, આણંદમાં 05, બનાસકાંઠામાં 12, ભરૂચમાં 08, ભાવનગર જિલ્લામાં 01, ભાવનગરમાં 04, દાહોદમાં 01, ગાંધીનગર જિલ્લામાં 01, ગાંધીનગરમાં 09 , ગીર સોમ નાથમાં 03, જામનગર જિલ્લામાં 02, જામનગરમાં 02, ખેડામાં 01 , કચ્છમાં 05 ,મહેસાણામાં 12, મોરબીમાં 34, પાટણમાં 01,પોરબંદરમાં 03, રાજકોટમાં જિલ્લામાં 22 , રાજકોટમાં 22 , સાબરકાંઠામાં 14, સુરતમાં જિલ્લામાં 06, સુરતમાં 31, સુરેન્દ્રનગરમાં 01, વડોદરામાં 25 ,વડોદરા જિલ્લામાં 03 અને  વલસાડમાં 06 કેસ નોંધાયો છે.



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.