દેશમાં વધ્યો કોરોનાનો કહેર, JN.1નું નવું વેરિઅન્ટ 7 રાજ્યોમાં ફેલાયું, આ રાજ્યોમાં સૌથી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-12-27 18:40:18

વિશ્વમાં ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના 412 નવા કેસ નોંધાયા છે, દેશમાં હવે એક્ટિવ કેસની કુલ સંખ્યા 4170 થઈ ગઈ છે. આમાંથી 69 કેસ નવા JN.1 સબ વેરિઅન્ટના છે. કોરોનાવાયરસ JN.1 નું નવું વેરિઅન્ટ ભારતમાં ઝડપથી ફેલાવાનું શરૂ કર્યું છે. દેશમાં અત્યાર સુધીમાં તેનાથી સંક્રમિત 83 દર્દીઓ મળી આવ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો, બે રાજ્યો - કર્ણાટક અને કેરળમાં સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 409 કેસ જોવા મળ્યા છે. દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 4,170 પર પહોંચી ગઈ છે, જેમાંથી 3,096 કેસ એકલા કેરળના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કર્ણાટકમાં કોવિડ-19ના 122 કેસ છે અને 3 લોકોના મોત થયા છે.


આ રાજ્યોમાં સૌથી વધુ કેસ


ગુજરાતમાં JN.1 વેરિઅન્ટના 34 કેસ મળી આવ્યા છે. ગુજરાત ઉપરાંત ગોવામાં 18, કર્ણાટકમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 7, કેરળ અને રાજસ્થાનમાંથી 5-5, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ભારતમાં JN.1 સબ-વેરિઅન્ટ સાથે સંક્રમણનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે કેરળમાં જોવા મળ્યો હતો. JN.1 વેરિઅન્ટ 41 દેશોમાં ફેલાઈ ચુક્યું છે. WHO અનુસાર, JN.1 સબ-વેરિઅન્ટના સૌથી વધુ કેસ ફ્રાન્સ, અમેરિકા, સિંગાપોર, કેનેડા, બ્રિટન અને સ્વીડનમાં નોંધાયા છે.


ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે JN.1 


નવા સબ-વેરિઅન્ટ JN.1 ના સતત કેસોને કારણે, આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો પર વિશેષ તકેદારી રાખવાની સલાહ આપી છે. AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે, “હાલમાં JN.1 સબ-વેરિઅન્ટ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે પરંતુ તે ગંભીર ચેપ અને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ નથી બની રહ્યું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.