દેશમાં વધ્યો કોરોનાનો કહેર, JN.1નું નવું વેરિઅન્ટ 7 રાજ્યોમાં ફેલાયું, આ રાજ્યોમાં સૌથી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-12-27 18:40:18

વિશ્વમાં ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના 412 નવા કેસ નોંધાયા છે, દેશમાં હવે એક્ટિવ કેસની કુલ સંખ્યા 4170 થઈ ગઈ છે. આમાંથી 69 કેસ નવા JN.1 સબ વેરિઅન્ટના છે. કોરોનાવાયરસ JN.1 નું નવું વેરિઅન્ટ ભારતમાં ઝડપથી ફેલાવાનું શરૂ કર્યું છે. દેશમાં અત્યાર સુધીમાં તેનાથી સંક્રમિત 83 દર્દીઓ મળી આવ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો, બે રાજ્યો - કર્ણાટક અને કેરળમાં સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 409 કેસ જોવા મળ્યા છે. દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 4,170 પર પહોંચી ગઈ છે, જેમાંથી 3,096 કેસ એકલા કેરળના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કર્ણાટકમાં કોવિડ-19ના 122 કેસ છે અને 3 લોકોના મોત થયા છે.


આ રાજ્યોમાં સૌથી વધુ કેસ


ગુજરાતમાં JN.1 વેરિઅન્ટના 34 કેસ મળી આવ્યા છે. ગુજરાત ઉપરાંત ગોવામાં 18, કર્ણાટકમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 7, કેરળ અને રાજસ્થાનમાંથી 5-5, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ભારતમાં JN.1 સબ-વેરિઅન્ટ સાથે સંક્રમણનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે કેરળમાં જોવા મળ્યો હતો. JN.1 વેરિઅન્ટ 41 દેશોમાં ફેલાઈ ચુક્યું છે. WHO અનુસાર, JN.1 સબ-વેરિઅન્ટના સૌથી વધુ કેસ ફ્રાન્સ, અમેરિકા, સિંગાપોર, કેનેડા, બ્રિટન અને સ્વીડનમાં નોંધાયા છે.


ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે JN.1 


નવા સબ-વેરિઅન્ટ JN.1 ના સતત કેસોને કારણે, આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો પર વિશેષ તકેદારી રાખવાની સલાહ આપી છે. AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે, “હાલમાં JN.1 સબ-વેરિઅન્ટ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે પરંતુ તે ગંભીર ચેપ અને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ નથી બની રહ્યું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.