દેશમાં વધ્યો કોરોનાનો કહેર, JN.1નું નવું વેરિઅન્ટ 7 રાજ્યોમાં ફેલાયું, આ રાજ્યોમાં સૌથી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-12-27 18:40:18

વિશ્વમાં ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના 412 નવા કેસ નોંધાયા છે, દેશમાં હવે એક્ટિવ કેસની કુલ સંખ્યા 4170 થઈ ગઈ છે. આમાંથી 69 કેસ નવા JN.1 સબ વેરિઅન્ટના છે. કોરોનાવાયરસ JN.1 નું નવું વેરિઅન્ટ ભારતમાં ઝડપથી ફેલાવાનું શરૂ કર્યું છે. દેશમાં અત્યાર સુધીમાં તેનાથી સંક્રમિત 83 દર્દીઓ મળી આવ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો, બે રાજ્યો - કર્ણાટક અને કેરળમાં સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 409 કેસ જોવા મળ્યા છે. દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 4,170 પર પહોંચી ગઈ છે, જેમાંથી 3,096 કેસ એકલા કેરળના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કર્ણાટકમાં કોવિડ-19ના 122 કેસ છે અને 3 લોકોના મોત થયા છે.


આ રાજ્યોમાં સૌથી વધુ કેસ


ગુજરાતમાં JN.1 વેરિઅન્ટના 34 કેસ મળી આવ્યા છે. ગુજરાત ઉપરાંત ગોવામાં 18, કર્ણાટકમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 7, કેરળ અને રાજસ્થાનમાંથી 5-5, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ભારતમાં JN.1 સબ-વેરિઅન્ટ સાથે સંક્રમણનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે કેરળમાં જોવા મળ્યો હતો. JN.1 વેરિઅન્ટ 41 દેશોમાં ફેલાઈ ચુક્યું છે. WHO અનુસાર, JN.1 સબ-વેરિઅન્ટના સૌથી વધુ કેસ ફ્રાન્સ, અમેરિકા, સિંગાપોર, કેનેડા, બ્રિટન અને સ્વીડનમાં નોંધાયા છે.


ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે JN.1 


નવા સબ-વેરિઅન્ટ JN.1 ના સતત કેસોને કારણે, આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો પર વિશેષ તકેદારી રાખવાની સલાહ આપી છે. AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે, “હાલમાં JN.1 સબ-વેરિઅન્ટ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે પરંતુ તે ગંભીર ચેપ અને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ નથી બની રહ્યું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે